SearchBrowseAboutContactDonate
Page Preview
Page 496
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી જૈન પ્રવચન કિરણાવલી (શ્રી દશ પયન્નાને સંક્ષિપ્ત પરિચય) ૪૪૭ યોગ (સંબંધી કેટલે કાલ રહે? તેનો ખુલાસો કરીને જબુદ્ધીષાદિમાં ચંદ્રાદિની સંખ્યા, તેના પિટકે, અને તેની પંકિતઓ વગેરે બીના સ્પષ્ટ જણાવી છે. પછી ક્રમસર તિશ્વકની ગતિના આધારે સુખ દુ:ખ થવાની બીના, અને તાપક્ષેત્રની વૃદ્ધિ હાનિ, તથા ચંદ્રના પ્રકાશની વૃદ્ધિ હાનિ વગેરે, તેમજ રાહુથી ચંદ્રના વિમાનનું કંકાવવું, અને અઢી દ્વીપની બહાર રહેલા જતિષ્કનું સ્વરૂપ જણાવતાં કહ્યું કે તે સૂર્ય ચંદ્ર વગેરે એક બીજાને આંતરે રહ્યા છે. અહીં આંતરનું પ્રમાણ પણ જણાવ્યું છે, પછી અનુક્રમે એક ચંદ્રને પરિવાર, અને જ્યોતિષ્ક દેવાદિનું જઘન્ય અને ઉત્કૃષ્ટ આયુષ્ય કહીને જાતિષ્કને અધિકાર પૂર્ણ કર્યો છે. પછી વૈમાનિક દેવોના અધિકારમાં કહ્યું છે કે સૌધર્મ, ઇશાન, સનકુમાર વગેરે બાર દેવલોક છે, અને અન્યલિંગ (મુનિને વેષ એ સ્વલિંગ કહેવાય, ને સંન્યાસી વગેરેના જે વેષ, તે અન્યલિંગ કહેવાય.) થી શૈવેયકપણું પામી શકાય જ નહીં, તથા સમ્યક્ત્વને પામીને ફરી મિથ્યાત્વ ભાવને પામેલા જીવો દેવલોકમાં જાય, તે ઉત્કૃષ્ટથી નવ રૈવેયક સુધી જ જાય, પછી અનુક્રમે બારે દેવલોકમાં રહેલા વિમાનોની સંખ્યા, ત્યાં રહેલા દેવોનું આયુષ્ય, અને નવ રૈવેયકનાં નામ, તથા દરેક રૈવેયકમાં રહેલાં વિમાનની સંખ્યા, તથા ત્યાંના (તે વિમાનમાં રહેલા) દેવનું આયુષ્ય, તેમજ અનુત્તર વિમાનોનાં નામ, અને તે પાંચ વિમાનોમાંના વિજય વગેરે વિમાન કંઈ દિશા વગેરેમાં રહ્યાં છે? તેને ખુલાસો કરીને તે અનુત્તર વિમાનવાસી ટેના આયુષ્યની હકીકત સ્પષ્ટ જણાવી છે. પછી બાર દેવલોક, રૈવેયક અને અનુત્તર વિમાનના આકાર કહીને તે વિમાન કોના આધારે રહ્યાં છે ? આ પ્રશ્નને ખુલાસો કર્યો છે. પછી અનુક્રમે ચારે નિકાયના દેવોના વર્ણ, લેશ્યા, અને શરીરનું પ્રમાણ જણાવતાં કહ્યું છે કે આયુષ્યને અનુસારે શરીરના પ્રમાણ (ઉંચાઈ)નો નિર્ણય થઈ શકે છે. પછી વિમાનાદિનું પ્રમાણ, દેના પ્રવીચાર–અપ્રવીચાર, (કયા દેવોને કાયાદિથી પ્રવીચાર હોય? ને ક્યા દેવોને તે ન હોય, આ હકીકત) અને વિમાનોના ગંધાદિ, તથા આવલિકા પ્રવિષ્ટ વિમાનની ને પુષ્પાવકીર્ણ વિમાનોની સંખ્યા, તેમજ તે બધા વિમાનના સ્થાન, સંસ્થાન, અને પ્રકાર (કિલો) વગેરે. આ બધા પદાર્થોનું ક્રમસર વર્ણન ટૂંકામાં જણાવ્યું છે. પછી ક્રમસર ભવનની, ભૌમ નગરોની, ને જાતિછક દેવનાં વિમાનની સંખ્યા, તથા વૈમાનિકાદિ દેવોનું અલ્પબહુવ તેમજ પહેલા બે દેવલોકની દેવીઓના વિમાનની સંખ્યા સ્પષ્ટ જણાવી છે. પછી અનુત્તર વિમાનવાસી દેવોના સુખાદિનું વર્ણન કરી જણાવ્યું છે કે સર્વાર્થસિદ્ધ વિમાનના દેવો નિશ્ચય એકાવતારી જ હોય છે, તેવો નિયમ બાકીના વિજયાદિ વિમાનોના દેવા માટે ન સમજવો. કારણકે ત્યાંના દેવોમાંના કેટલાક દેને છેલ્લા એક બે આદિ મનુષ્યભવ કરીને પણ મેક્ષે જવાનું હોય છે. પછી કહ્યું કે દેવોને આહાર કરવાની ઇચ્છા અને ધાણ્વાસ લેવાની ક્રિયા પોતાના આયુષ્યને અનુસારે હોય છે. જે દેવનું Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004513
Book TitlePravachana Kiranavali Pistalisa agam Rahasya
Original Sutra AuthorN/A
AuthorVijaypadmasuri
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1987
Total Pages750
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_related_other_literature
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy