SearchBrowseAboutContactDonate
Page Preview
Page 491
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૪૨ શ્રીવિજયપદ્મસૂરીશ્ર્વરકૃત પશુએ હેાય તેવા સ્થાને રહેવુ નહિ, તથા પ્રમાદાદિને છડીને વૈરાગ્યાદિ ગુણા ધારણ કરી સયમની આરાધના કરવી, ગુરુણી આદિના વિનયાદ્વિ કરવા તેમજ વાતચીત કરતાં સામાના તિરસ્કાર કરવાની ભાવનાએ ઉત્તર પ્રત્યુત્તર દેવા નહિ, સામાને જવામ દેવાના અવસરે સાધ્વીએ પેાતાની ગુરુણીની પાછળ ઊભા રહીને કે બેસીને જવાબ દેવા. આ હકીકત પુરુષને જવામ દેવાના પ્રસંગે સમજવી. તથા સાધ્વીએ જેથી શીલભાવના ઘટે, તેવી વાતચીત કરવી નહિ. તેમજ સાધુ કે સાધ્વી જો ગૃહસ્થના જેવી ભાષા મેલે, તે તે માસાપવાસાદિ તપના ફૂલને હારી જાય છે, એટલે તેવી આકરી તપશ્ચર્યાનું પણ સંપૂર્ણ`લ તે પામી શકતા નથી. આ બધી મીના વિસ્તારથી સમજાવીને તે કહ્યું છે કે શ્રી મહાનિશીથ, બૃહત્કલ્પ અને વ્યવહારસૂત્રમાંથી સાર લઇ ને આ પયન્નાની રચના કરી છે. જે મુનિવરો અહીં જણાવેલી મીના પ્રમાણે ગચ્છમાં રહીને પરમ ઉલ્લાસથી સયમાદિની સાત્ત્વિકી આરાધના કરશે, તેઓ જરૂર સંસાર સમુદ્રના પાર્ પામશે, એટલે મુક્તિનાં અવ્યાબાધ સુખા પામશે. ૭. શ્રીગચ્છાચાર પયન્નાના સંક્ષિપ્ત પરિચય પૂર્ણ થયા. ૮. શ્રીણિવિદ્યા પ્રકીર્ણાંકના ( ગણિવિઝા પયન્નાના ) ટ્રંક પરિચય અહી. ૮ર ગાથાઓ છે. તેમાંથી પર (બાવન )માંથી ૫૮મા સુધીના ૭ શ્લોકા અનુષ્ટુપ છંદમાં છે, બાકીની ૭૫ ગાથાઓ આર્યાં છંદમાં છે. ગણી એટલે આચાય મહારાજને ખાસ જરૂરી એવી જ્યાતિષની વિદ્યા (જ્યાતિષનું જ્ઞાન ) જેમાં ટૂંકામાં જણાવી છે તે ગણિવદ્યા કહેવાય. શ્રીઆચાય મહારાજ ગચ્છના નાયક છે, તેથી કુલ ગણુ સદ્યાદિના નિમિત્તે સારા દિવસ, તિથિ, નક્ષત્રાદ્રિને જોઈને નક્કી કરી તેઓ તે દિવસાદિમાં દીક્ષા પ્રતિષ્ઠા વગેરે કરાવે છે. આ કારણથી ‘ણિવિદ્યા' નામમાં ગણશબ્દ શરૂઆતમાં મૂકયા છે. જેવી રીતે ! અંગામાં શ્રીસ્થાનાંગસૂત્ર અને સમવાયાંગ સૂત્રમાં જ્યાતિષની થાડી ભીના અને દૃષ્ટિવાદના ૧૧ મા કલ્યાણપ્રવાદ પૂર્ણાંમાં જયાતિષની શ્રીના બહુ જ વિસ્તારથી કહી છે, તથા ૧૨ ઉપાંગામાં સૂર્યપ્રજ્ઞપ્તિ, ચંદ્રપ્રજ્ઞપ્તિ અને જમ્મૂઢીપપ્રજ્ઞપ્તિસૂત્ર નામનાં ત્રણ ઉપાંગામાં જ્યાતિષની મીના કહી છે, તેવી રીતે દશ યન્નાઓમાં ફકત આ વિદ્યા પયન્નામાં જ જન્મ્યાતિષની ટૂંકી છતાં બહુ જ જરૂરી મીના વર્ણવી છે. આ હુકીકત ૪૫ આગમાની અપેક્ષાએ જણાવી છે. એટલે ૪૫ આગમામાં ઉપર જણાવેલાં સૂત્રો સિવાય બીજા આગમામાં જ્યાતિષની ખાસ જરૂરી શૃંખલાબદ્ધ ( ક્રમિક ) મીના કહી નથી. બાકી છૂટી છવાઈ તેવી બીના તા શ્રીપ્રજ્ઞાપનાસૂત્રાદિમાં કોઈ કોઈ સ્થલે જણાવી છે, તે પણ સ્વતંત્ર નહિ, પણ બીજા ચાલુ પ્રસંગને સ્પષ્ટ સમજાવવાને માટે ટીકાકારાદ્રિ મહાપુરુષોએ ખપ પૂરતી જયોતિષની For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.004513
Book TitlePravachana Kiranavali Pistalisa agam Rahasya
Original Sutra AuthorN/A
AuthorVijaypadmasuri
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1987
Total Pages750
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_related_other_literature
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy