SearchBrowseAboutContactDonate
Page Preview
Page 490
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી જેને પ્રવચન કિરણાવલી (શ્રી દશ પન્નાનો સંક્ષિપ્ત પરિચય) ૪૪૧ તથા અગીતાર્થ-કુશીલાદિની સોબત નહિ કરવાનો આબાદ ઉપદેશ આપે છે. પછી અનુક્રમે ગ૭માં રહેનારા મુનિવરાદિને થતા લાભ અને ગચ્છવાસી મુનિવરાદિના લક્ષણ કહીને જણાવ્યું કે મુનિઓ ૬ કારણે આહાર કરે. દીક્ષા પર્યાયાદિકથી જેઓ મોટા હોય તેમનું સન્માન જરૂર સાચવવું. સાધુઓ સાવીનાં વસ્ત્રો વાપરે નહિ, તેનાં અંગોપાંગાદિને એકાગ્રતાએ ખરાબ ભાવનાથી જુવે નહિ, તથા તેનો વિચાર પણ કરે નહિ. તેમજ સાધ્વીને પરિચય કરે નહિ. આ રીતે જણાવીને કહ્યું કે સાધુએ સાવીને સંસર્ગ (પરિચય, વાતચીત વગેરે) ન કરવો જોઈએ, અને સંનિહિત દેષાદિથી દૂષિત આહારદિને વાપરવા નહિ, તથા સંયમધર્મની આરાધના કરવામાં અપ્રમત્તભાવે પ્રયત્નશીલ થવું જોઈએ, તેમજ ૬ જવનિકાયના રક્ષક બનીને દ્રવ્યાભિગ્રહાદિને જરૂર ધારણ કરવા જોઈએ. આ બીના સ્પષ્ટ જણાવીને કહ્યું કે મુનિએ ખજૂરીના પાંદડાંની સાવરણથી કાજે ન કાઢવા જોઈએ, કારણ કે તેથી દયા સચવાતી નથી. સચિત્ત પાણીના તથા અન્ન આદિના સમારંભાદિને ત્યાગ કરે . તેમજ પુષ્પાદિને સ્પશદિ કરવા નહિ (અડવું પણ નહિ). હાસ્ય ક્રીડાદિને વર્જવાં, સ્ત્રીને અડવું પણ નહિ. આ બીના તથા તેને અનુસરતી બીજી પણ બીના સ્પષ્ટ જણાવીને કહ્યું છે કે મુનિએ અયોગ્યને દીક્ષા દેવી નહિ, નિગુણ સાધુને દૂર કરે, અને પોલાણવાળા પાટ-પાટલા વગેરે વાપરવા નહિ, જેથી સંયમને પુષ્ટિ મળે તેવાં વચ્ચે વાપરવાં. તથા હિરણ્યાદિને અડવું નહિ, સાવીનાં પાત્રો અને દવા વગેરે વાપરવાં નહિ, તથા જ્યાં એકલી સ્ત્રી હોય, ત્યાં ઊભું પણ રહેવું નહિ. સાધ્વીને ભણાવવી નહિ, તેમજ સાધુઓની મંડલીમાં સાધ્વીથી અવાય નહિ, ક્રોધાદિ કષાયને ત્યાગ કરે, શાંત થયેલા કષાયની ઉદીરણા કરવી નહિ. આ બધી બીના સ્પષ્ટ સમજાવી છે. પછી આ રીતે હિતશિક્ષા આપી છે કે મુનિ ક્રયવિક્રય (વેચવું, ખરીદવું) કરે નહિ, સુવિહિત મુનિ સમુદાયમાં રહે. એક સાધુ વગેરેથી કે એક સાધ્વી આદિથી ઉપાશ્રયની રક્ષા થાય નહિ, તથા સાધ્વીઓને સમુદાય પ્રામાદિની બહાર આવેલા સ્થાનમાં રહેતો હોય, તો તે ખરાબ ગચ્છ કહેવાય. તેમજ જે ગચ્છમાં એકલો સાધુ એકલી સાથ્વીની સાથે વાતચીત કરે અને સાધુપણાને ન છાજે તેવી હલકી ભાષા બોલાતી હોય તે ગછ નહિ, પણ ખરાબ ગચ્છ કહેવાય. મુનિ સ્ત્રીની છબી વગેરેને જુવે નહિ, વસ્ત્રનું સીવવું વગેરે સદોષ ક્રિયા ન કરે, અને વિલાસવાળી ગતિ વગેરે કરે નહિ, ગૃહસ્થના ઘેર કથા કહે નહિ તથા રાતે કથા ન કહે, કલેશ કરે નહિ, તેમજ બહારગામથી આવેલા સાધુઓની ઉપર વાત્સલ્યભાવ રાખે ને શરીરની શાભા ન કરે, રાતે સૂવાના ટાઈમે બે જુવાન સાથીઓના સંથારાની વચ્ચે એક વૃદ્ધ સાધ્વીને સંથારે થાય, એ રીતે તરુણ સાધ્વીએ સંથારા કરવાને વ્યવહાર છે. સાવીઓએ મે દેવું વિગેરે ક્રિયા શરીરને શોભાવવા માટે કરવી નહિ. જ્યાં ગભ વગેરે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004513
Book TitlePravachana Kiranavali Pistalisa agam Rahasya
Original Sutra AuthorN/A
AuthorVijaypadmasuri
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1987
Total Pages750
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_related_other_literature
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy