SearchBrowseAboutContactDonate
Page Preview
Page 484
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી જૈન પ્રવચન કિરણાવલી (શ્રી દશ પયનનો સંક્ષિપ્ત પરિચય) ૪૩૫ કાચની ઉપર થયેલા મોહથી તે વપૂરને દઈને બદલામાં કાચને ગ્રહણ કરે, તો તે મૂર્ખ જ ગણાય, એમ કાચ જે ! રાગ મહાદિની જાલમાં ફસાઈને વૈયરનના જેવી મોક્ષ માર્ગની આરાધનાને હારી જનારે જીવ જરૂર મૂર્ખ જ ગણાય. હે જિનેશ્વર દેવ! તમારા પ્રસાદથી મારાં દુ:ખનો ને કમને ક્ષય થાઓ, આવી જે માગણી તે નિયાણું ન કહેવાય, જે નિદાનાદિ દોષોને છડે, તે મેક્ષનો સાધક આત્મા જાણવો. અને ઇંદ્રિયોના શબ્દાદિ વિષયોમાં આસકિત ભાવને ધારણ કરનારા જે સંસારમાં ભમે છે, તથા પિતાનાં હાડકાંને ચાટવા જેવા વિષયો છે. તેમજ સંગ એ પરિશ્રમનું કારણ છે, કેળની અંદરના ગર્ભ (વચલા ભાગ)ની જેવા સાર વિનાના વિષયો છે. આ પ્રસંગે પાંચ દતો જણાવ્યા છે. પછી જણાવ્યું કે ઇંદ્રિયાને વશ કરવી, મોક્ષ માર્ગની આરાધના કરવી, કષાયોને તજવાથી સુખ મળે, ને કષાય કરવાથી દુ:ખ મળે. અહીં નંદ અને પરશુરામાદિના દષ્ટાંતો દીધા છે. આ બીના સાંભળીને અનશન કરનાર જીવ ગુરુને કહે છે કે આવી હિતશિક્ષા મને વારંવાર સાંભળવાનો અવસર મળજે. પછી કહ્યું કે પરીષહાદિના અવસરે કરેલી અનશનની પ્રતિજ્ઞા સંભારીને મન સ્થિર રાખવું. આ રીતે વર્તવાથી અવંતી સુકમાલ મુનિરાજ આરાધક થઈ સદ્ગતિને પામ્યા. અનશન ભાવમાં રહેલા વિચારવું જોઈએ કે સંસાર અસાર છે, ધર્મરૂપી વહાણ મહાદુર્લભ છે. અને તે ચિંતામણિ વગેરેની જેનું અપૂર્વ (પ્રભાવશાલી) છે. આ રીતે વિચારવું, ને અંત સમય સુધી નવકાર મંત્રનું સ્મરણ કરવું. આ પ્રમાણે વર્તનારા જેવો જઘન્યથી સૌધર્મ દેવકે અને ઉત્કૃષ્ટથી અચુત દેવલોકે અથવા સર્વાર્થસિદ્ધ વિમાને દેવ થાય છે. શ્રી ભક્તપરિજ્ઞા પન્નાને ટૂંક પરિચય પૂરો થયો ૫. શ્રી નંદુલ વૈચારિક પન્નાને ટૂંક પરિચય અહીં કર્તાએ તંદુલ (ચોખા)ની ૪૬૦ કરેડ અને ૮૦ લાખ સંખ્યા જણાવીને વૈરાગ્યાદિનો ઉપદેશ આપે છે, તેથી આનું નામ “નંદુલચારિક પ્રકીર્ણક યથાર્થ (નામને અનુસાર થતા અર્થવાળું) જ છે. ટૂંકામાં એમ પણ જરૂર કહી શકાય કે તંદલેના વિચારવાળે જે પયને, તે તંદુવૈચારિક પ્રકીર્ણક કહેવાય. આની ગદ્યરચના અને પદ્યરચના બહુ જ સુંદર છે. એમાં વિશિષ્ટ શબ્દ રચના સાથે અર્થની સંકલના પણ પ્રૌઢ જ છે. એથી આની પ્રાચીનતા સાબિત થાય છે. તેમજ છપાયેલી શ્રીદશવૈકાલિક ચૂણિ (પાનું પાંચમું) વગેરે શાસ્ત્રોમાં આનું નામ જણાવ્યું છે, તેથી પણ સાબિત થાય છે કે દશ વૈકાલિક ચૂર્ણિકારના સમયની પહેલાં જ આ પ્રકણિકના રચનાર મહાસમર્થ પ્રતિભાશાલી ગીતાર્થે શ્રીસ્થવિર ભગવંત થયા છે. આને મખ્ય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004513
Book TitlePravachana Kiranavali Pistalisa agam Rahasya
Original Sutra AuthorN/A
AuthorVijaypadmasuri
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1987
Total Pages750
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_related_other_literature
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy