SearchBrowseAboutContactDonate
Page Preview
Page 483
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૩૪ શ્રીવિજયપધસૂરીશ્વકૃત કોઈ ધર્મ નથી. હિંસા કરતાં તે સગાંઓને પણ વધ કરાવવાનો પ્રસંગે ઉપસ્થિત થાય છે. ૩. બીજા ની દયા પાળતાં સ્વદયા જરૂર સચવાય છે. ૪, ચંડાલની જેમ હિંસક છ દુઃખી જ થાય છે. પ, અહિંસાનું (દયાનું) ફલ આરોગ્ય, શુભગતિનું દીઘ (લાંબું આયુષ્ય, ચક્રવર્તિ આદિની રાજ્ય કૃદ્ધિ વગેરે જાણવું. ૬. જો મુનિ પણ દૂષિત ભાષા બેલે, તો તે કથા લેપાય છે, ૭. સાચાં વેણ જ વખણાય છે, ૮. સાચાં વેણનાં ફલો વિશ્વાસ વગેરે જાણવાં. ક, જૂઠાં વેણ બોલવાનાં ફલ-અવિશ્વાસ, ચંડાલપણું વગેરે કહ્યાં છે. વસુરાજા અસત્ય બોલતાં દુર્ગતિને પામે. ૧૦. એક ઘાસ જેવી ચીજ પણ માલિકને પૂછવા સિવાય લેવાય નહિ, ૧૧, જે જેનું ધન ચારે, તે તેના જાન પણ કર્યો છે. ૧૨. અદત્ત ચીજ લેવી, એ કામ લોકવ્યવહારથી વિરુદ્ધ છે. ૧૩. અદત્તાદાન (ચોરી વગેરે) નાં ફલો નિર્ધનપણું, દુર્ગતિ વગેરે જાણવાં. ૧૪. શ્રાવકપુત્ર ચારીના પાપે બહુજ દુ:ખી થ. ૧૫. કામ દોષનું કારણ છે. ૧૬. મૈથુનસંજ્ઞા દુ:ખને દેનારી છે. ૧૭. સર્પના જેવો કામ છે, ૧૮, ભયકંર વેદના અને દુર્દશાને પમાડનારે કામ છે. ૧૯. કામ (વિષયવાસના; મૈથુન)ના પાપે કુબેરદત્તાદના બેહાલ થયા. ૨૦. સ્ત્રી દષની વેલડી છે. ૨૧ દુઃખરૂપ સમુદ્રમાં પાડનારી છે, રર. મહાપુરુષે રૂપી પર્વતોને ભેદનારી નદીના જેવી સ્ત્રી છે. ર૩. સ્ત્રી નાગણ જેવી છે, તેના વિશ્વાસ કરનાર છવ વગર મતે મરે છે. ર૪. મનને હરનારી (ભ્રમિત કરનારી, ભરમાવનારી ) સ્ત્રી છે. ૨૫. રાજા તરફથી ફાંસીના હુકમને પામેલા પુરુષના ગળામાં પહેરાવેલી કરેણના લાલ ફૂલોની માળા જેમ તે (પુરૂષ) ના વિનાશને (મરણને) સૂચવે છે, તેમ સ્ત્રી પણ શગીજનના અચાનક મરણને સૂચવે છે. ર૬. સ્ત્રીનો રાગી દેવરતિ રાજા બહુ જ હેરાન થઈ દુર્ગતિને પામે, ૨૭. શેક પાપાદિને કરાવનારી અને મોહવિષયને વધારનારી સ્ત્રી છે. ર૮. ચારિત્ર રૂપ ભાવપ્રાણુનો નાશ કરનારી અને મુનિવરેના પણ મનને ચલત કરનારી સ્ત્રી છે. જુઓ, સિંહ ગુફાવાસી મુનિ કેશા વેશ્યાને જોઈને ચલિત થઈ ગયા. ૨૯. પાણીના પૂરવાળી નદીની જેમ ભવ સમુદ્રમાં બુડાડનારી સ્ત્રી છે. ૩૦. મોટા સમુદ્રના મોજા જેવી જુવાની અસ્થિર છે, કાયમ રહેવાની નથી. જરૂર તે જુવાની જવાની છે. ૩૧, સંગને અર્થ આસકત મોહ, મમતા થાય છે. સંગમાં ફસાયેલો જીવ મણિપતિની જેમ બીજાને મારતાં વાર લગાડતો નથી. ૩ર. સંગને ત્યાગ કરનાર જીવ ચક્રવર્તિથી પણ વધારે પરમ સુખને ભોગવે છે. આ હિતશિક્ષા બત્રીશી નિજ ગુણ રમણતાને જરૂર વધારે છે. માટે તેની ભાવના વારંવાર કરવી, આ હકીકત કહ્યા પછી અનુક્રમે નિદાન (નિયાણું) નું સ્વરૂપ, અને રાગદ્વેષને મોહના ભેદ સમજાવીને જણાવ્યું કે રાગથી ગંગદત્તને દુ:ખી થવું પડ્યું, એમ શ્રેષથી વિભૂતિ હેરાન થયો. તથા ચંડપિંગલ મેહથી હેરાન થયા, તથા જે કઈ માણસ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004513
Book TitlePravachana Kiranavali Pistalisa agam Rahasya
Original Sutra AuthorN/A
AuthorVijaypadmasuri
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1987
Total Pages750
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_related_other_literature
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy