SearchBrowseAboutContactDonate
Page Preview
Page 481
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૩ર શ્રીવિજયપધસૂરીશ્વરકુન ભાવે સહન કરજે. આ બધી બીના વિસ્તારથી સમજાવીને અંતે જઘન્ય આરાધનાનું, મધ્યમ આરાધનાનું ને ઉત્કૃષ્ટ આરાધનાનું ફલ વગેરે બીના સ્પષ્ટ જણાવી છે. શ્રી મહાપ્રત્યાખ્યાન પન્નાને ટૂંક પરિચય પૂરો થયો. શ્રી ભક્તપરિજ્ઞા પન્નાને ટૂંક પરિચય અહીં અંતકાલે ગીતાર્થ ગુરુ મહારાજ લાયક અને આહારના પચ્ચકખાણ કઈ રીતે કરાવે? આ બીના વિસ્તારથી સમજાવી છે, તેથી આનું યથાર્થ નામ ભક્ત પરિજ્ઞા સુપ્રસિદ્ધ છે. આના બનાવનાર શ્રી વીરભદ્રગણિ મહારાજે શરૂઆતમાં વર્તમાન શાસનના નાયક પ્રભુશ્રી મહાવીર દેવને નમસ્કાર કરીને શ્રી જિનશાસનની સ્તુતિ કરી છે. પછી કહ્યું છે કે જે મોક્ષનું સુખ તે જ ખરું સુખ છે, ને સંસારનું સુખ અસ્થિર છે, દુર્ગતિના દુઃખને દેનારું છે, તથા શ્રી જિનાજ્ઞાને આરાધતાં મુક્તિના શાશ્વતા સુખ જરૂર મળે છે, તેમજ અયુદ્યત મરણના ૧, ભક્તપરિણા; ૨. ઇંગિની મરણ, ૩. પાદપપગમ મરણ એમ ત્રણ ભેદો કહ્યા છે. આ પ્રસંગે ત્રણ ભેદોનું સ્વરૂપ વિસ્તારથી સમજાવીને ભક્તપરિણાને લાયક જીવની બીના જણાવી છે. પછી સંસારની વિષમતા સમજાવીને અનશનને સ્વીકારવાની ઈચ્છાવાળા મુનિને કરવા લાયક વિધિ જણાવતાં કહ્યું કે તે મુનિ જ્યારે ગીતાર્થ ગુરુ મહારાજને વંદન કરી અનશનની વિધિ કરવા માટે વિનંતિ કરે, તે અવસરે ગુરુ મહારાજ તેને વંદનાદિ વિધિ કરાવે, ને તેણે કહેલા રાષાને અંગે પ્રાયશ્ચિત્તાદિ જણાવીને વિશેષ શુદ્ધિને માટે પાંચ મહાવ્રત ઉચરાવે. ને ખમતખામણ કરાવી હિતશિક્ષા પ્રદાન, કાયેત્સર્ગાદિ સંપૂર્ણ ક્રિયા કરાવે. આ રીતે મુનિને કરવા લાયક અનશનને વિધિ સમજાવી દેશવિરતિ શ્રાવકને ઉદ્દેશીને જણાવ્યું કે વ્રતધારી શ્રાવકને અંતકાલે અણુવ્રતો ઉચ્ચરાવવાતે શ્રાવક સાત ક્ષેત્રમાં ધનનો સદુપયોગ કરી અનુકૂલતા હોય તો સંથારા દીક્ષાને પણ આચાર્યાદિ ગુરુમહારાજની પાસે સ્વીકારી અનશન સ્વીકારે. કાલદોષાદિ કારણે આ વિધિ પ્રચલિત નથી, પછી અનુક્રમે ચરમ પ્રત્યાખ્યાનની ને ભક્તપરિજ્ઞાને અંગીકાર કરવાની બીના, ક્ષેત્રની પ્રતિલેખનાની, તેમજ ત્રિવિધ આહારના પ્રત્યાખ્યાનની હકીકત વગેરે બીના જણાવીને સમાધિ પાનની બીના, સમાધિપાનના લક્ષણને ફૂલાદિની બીના ક્રમસર જણાવી છે. અહીં સમાધિપાનની વ્યાખ્યા આ રીતે જણાવી છે–૧૦ મી ગાથામાં ભક્તપરિજ્ઞા અનશનના સુવિચાર, અને અવિચાર આવા બે ભેદો કહીને, તે પછીની ગાથાઓમાં અનશન કરવાને લાયક જીવને સમાધિ પાન કરવાની હકીકત જણાવતાં કહ્યું કે ૧, એલચી, તજ ૩. નાગરેસર, ૪, તમાલપત્ર, ૫, સાકર, આ પાંચ વાનાં દૂધમાં ઉકાળીને દૂધ કાઢે કરી અનશનને લાયક જીવને પીવરાવવું. આનું નામ સમાધિ પાન કહેવાય. અનશનકાલે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004513
Book TitlePravachana Kiranavali Pistalisa agam Rahasya
Original Sutra AuthorN/A
AuthorVijaypadmasuri
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1987
Total Pages750
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_related_other_literature
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy