SearchBrowseAboutContactDonate
Page Preview
Page 451
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૦૨ શ્રીવિજ્યપધસૂરીશ્વરકૃત પિતાના સંયમ ધર્મને વ્યવહાર જણાવીને તે ઉપર બેસવાનો નિષેધ કર્યો અને તેઓ શુદ્ધ કાંબલીની ઉપર બેઠા. અને વેદ, ઉપનિષદુ તેમજ જેનાગમના વચનથી સમાનતા ( તત્ત્વનું રહસ્ય ) પ્રકાશીને આશિષ દેતા બોલ્યા કે “હાથ, પગ અને મન વિના જે બધું ગ્રહણ કરે છે, ચક્ષુ વિના જે જુએ છે, કાન વિના જે સાંભળે છે, જે જગતના સ્વરૂપને જાણે છે, પણ તેને કોઈ પણ સામાન્ય પુરુષ જાણી શકતો નથી એવા અરૂપી શિવ જિનેશ્વર તમારું કલ્યાણ કરે ? ફરી પણ તેમણે જણાવ્યું કે જેનાગમન અર્થ રૂડી રીતે વિચારીને અમે જૈન ધર્મના સ્વીકાર કર્યો છે. આ સાંભળી પુરોહિતે પૂછયું કે તમે નિવાસ (ઉતારો) કયાં કર્યો છે? તેમણે કહ્યું કે અહીં ચિત્યવાસીઓની મહાકનડગત થતી હોવાથી અમને ક્યાંય પણ સ્થાન મળી શકતું નથી. આ સાંભળી ગુણગ્રાહી પુરોહિતે સપરિવાર બંને સૂરિજીને રહેવા માટે પોતાનું મકાન ખાલી કરી આપ્યું, અને કહ્યું કે આપ ખુશીથી અહીં ઊતરો. ત્યાં તેઓ ભિક્ષાધર્મ સાચવીને સંયમ પાળવામાં સાવધાન બની, ધર્મનું સત્ય સ્વરૂપ સમજાવવા તત્પર થયા, બપોરે પુરોહિતે યાજ્ઞિક સ્માત અને દીક્ષિત અગ્નિહોત્રીઓને તેમની પાસે બોલાવ્યા. ત્યાં તેમની પરીક્ષાથી તેઓ સંતુષ્ટ થયા, એમ બ્રહ્માની સભાની જેમ વિદ્યાવિનોદ ચાલી રહ્યો હતો, એવામાં ચૈત્યવાસીઓના પુરુષો આવી ગયા. તેમણે આવીને જણાવ્યું કે “તમે જલદી નગરની બહાર ચાલ્યા જાએ, કારણ કે ચૈત્યબાહ્ય (ચયમાં રહેવાનો નિષેધ કરનારા) શ્વેતાંબરોને અહીં સ્થાન મળતું નથી. આ વચન સાંભળીને પુરહિતે કહ્યું કે “રાજસભામાં આ વાતનો નિર્ણય કરવાનો છે. તેમણે પિતાના ઉપરીઓને આ બીના જણાવો. બધા સાથે મળીને રાજાની પાસે ગયા. ત્યાં પુરોહિતે આવીને રાજાને નમ્રતાથી જણાવ્યું કે “હે દેવી! બે જૈન મુનિ પિતાના પક્ષમાં સ્થાન ન પામવાથી મારે ત્યાં આવ્યા, એટલે ગુણવંત જાણીને મેં તેમને આશ્રય આપો. એવામાં આ ચૈત્યવાસીઓએ ભટ્ટ-પુત્રોને મારી પાસે મોક૯યા, માટે આ બાબતમાં મારી આપને ભૂલ જણાય તો ખુશીથી યોગ્ય લાગે તે શિક્ષા ફરમાવો. પુરોહિતે કહેલી બીને સાંભળીને સર્વ ધર્મોમાં સમાનભાવ રાખનારા રાજાએ હસીને કહ્યું કે “હે ચૈત્યવાસીઓ ! કઈ પણ દેશથી આવેલા ગુણીજનો મારા નગરમાં રહે તેને તમે શા માટે અટકાવ (નષેધ) કરો છો ? તેમાં ગેરવ્યાજબીપણું શું છે ? – રાજાના આ પ્રશ્નના ઉત્તરમાં ચૈત્યવાસીઓ બેલ્યા કે “હે રાજેન્દ્ર ! પૂર્વે વનરાજ નામના રાજાને નાગેન્દ્રગથ્વીય ચૈત્યવાસી શ્રીદેવચંદ્રસૂરિએ ઘણે ઉપકાર કરેલ હોવાથી કૃતા એવા તે રાજાની સમક્ષ શ્રીસંઘે એવી વ્યવસ્થા કરી કે સંપ્રદાયનો ભેદ ન રાખવાથી લઘુતા થવા પામી છે, માટે જે મુનિ ચિત્યગ૨છવાસી યતિધર્મને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004513
Book TitlePravachana Kiranavali Pistalisa agam Rahasya
Original Sutra AuthorN/A
AuthorVijaypadmasuri
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1987
Total Pages750
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_related_other_literature
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy