SearchBrowseAboutContactDonate
Page Preview
Page 450
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી જૈન પ્રવચન કિરણાવલી (શ્રી અભયદેવસૂરિજી અને તેમના ગ્રંથાના પરિ. ) ૪૦૧ લેખ લખી બતાવ્યા. તેના આધારે શેઠે ચાપડામાં ઉતારેા કરી લીધે। અને બ્રાહ્મણાના ઉપકાર માની ઘણા જ આદર સત્કાર કરવા પૂર્વક તે અને બ્રહ્મણાને પેાતાને ત્યાં રાખી ઘણાં સુખી બનાવ્યા. એક વખત શેઠ વિચાર કરવા લાગ્યા કે આ મને બ્રાહ્મણેા મારા ગુરુ શ્રી વર્ધમાનસૂરિજી મહારાજના શિષ્યા થાય તે શ્રીજૈનશાસનને ઘણું જ દીપાવે. સપાદલક્ષ દેશમાં આવેલા કુપુર નામના નગરમાં અલરાજાનેા પુત્ર ભુવનપાલ નામે રાજા રાજ્ય કરતા હતા. તે નગરમાં શ્રાવ માનસૂરિ નામના આચાર્ય મહારાજા હતા, જેમણે શ્રી જૈન સિદ્ધાંતના અભ્યાસથી સંસારનું સાચું સ્વરૂપ સમજીને ચારાશી ચૈત્યેની માલીકીના ત્યાગ કર્યાં હતા. એક વખત તે સૂરિજી ધારાનગરીમાં પધાર્યાં. આ બીના સાંભળી ઘણા જ ખૂશી થઈને, પૂર્વે જણાવેલ અને બ્રાહ્મણાને સાથે લઈને શેઠ લક્ષ્મીપતિ ગુરુ મહારાજને વંદન કરવા આવ્યા. વાંદન કરી શેઠ યોગ્ય સ્થાને બેઠા. અવસરે બ્રાહ્મણાને ઉદ્દેશીને શ્રી ગુરુ મહારાજે કહ્યું કે આ બંનેની અસાધારણ આકૃતિ સને જીતનારી છે.” ગુરુજીનું એ વચન સાંભળીને તે અને બ્રાહ્મણેા ગુરુના સામું જોઈ રહ્યા. આથી ગુરુજીએ તેમને મોઢાનાં બીજા પણ ચિહ્નો ઉપરથી દીક્ષાને લાયક જાણીને વૈરાગ્યમય દેશના સાંભળાવી. તે સાંભળીને તેઓએ દીક્ષા લેવાની ઇચ્છા જણાવી. અવસરે ગુરુમહારાજે વિધિપૂર્વક તેમને દીક્ષા આપી. તે વખતે શ્રીજિનેશ્વર અને બુદ્ધિસાગર એમ બંનેનાં નામ પાડયાં, મહાતપસ્વી એવા તે અંનેના ચોગાઢનપૂર્વક સિદ્ધાંતના અભ્યાસ કરાવ્યા અને અવસરે તેમને આચાર્ય પદને લાયક જાણીને ગુરુએ સુરિપદ આપીને પોતાના પધર બનાવ્યા. ત્યારે તેઆ શ્રીજિનેન્ઘરસૂરિ અને બુદ્ધિસાગરસૂરિ એવા નામથી પ્રસિદ્ધ થયા. અનુક્રમે વિહાર માટે અનુજ્ઞા આપવાના પ્રસંગે શિખામણ દેતાં ગુરૂ મહારાજે જણાવ્યું કે પાટણમાં ચૈત્યવાસી યતિવર્ગ સુવિહત મુનિઓને ત્યાં ટકવા દેતા નથી ને બહુજ કનડગત કરે છે, તમારે તે જુલમને અટકાવવા, કારણ કે અત્યારે તમારા જેવા બુદ્ધિશાળીઆમાં શિરામણ બીજા કોઈ ભાગ્યે જ હશે. આ ગુરુવચનને વધાવી લઈ અને સૂવિરોએ ગુજરાત તરફ વિહાર કરી અનુક્રમે પાટણ શહેરમાં પ્રવેશ કર્યાં. ત્યાં શુદ્ધ ઉપાશ્રયની ઘણી તપાસ કરતાં પણ તે મળવામાં મુશ્કેલી જાણી. છેવટે અનેને ગુરુજીનું વચન યાદ આવ્યું, આ વખતે પાટણમાં મહાપરાક્રમી અને નીતિશાળી દુર્લભરાજ રાજાનું રાજ્ય હતું, તે અને સૂરિવર્યા સામેશ્વરદેવ નામના પુરોહિતના ઘેર ગયા. ત્યાં ઘરની બહાર ઊભા રહીને તેમણે કહેલાં વૈદ્યપદાના નિ સાંભળી પુરાહિત ઘણા જ રાજી થયા. અને તેણે ભક્તિપૂર્વક ખેાલાવવા માટે પેાતાના ભાઈને માકલ્યા, તેથી અને સૂરિજી પુરેાહિતના ઘેર આવ્યા. તેમને જોઈને પુરાહિત ઘણા ખુશી થઈને અને ભદ્રાસનાદ્મિની ઉપર એસા ” એમ વિનંતી કરવા લાગ્યા. અને આચાય મહારાજે આપ Jain Education International For Private & Personal Use Only - www.jainelibrary.org
SR No.004513
Book TitlePravachana Kiranavali Pistalisa agam Rahasya
Original Sutra AuthorN/A
AuthorVijaypadmasuri
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1987
Total Pages750
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_related_other_literature
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy