SearchBrowseAboutContactDonate
Page Preview
Page 452
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી જેન પ્રવચન કિરણાવલી (શ્રી અભયદેવસૂરિજી અને તેમના ગ્રંથોને પરિચય) ૪૦૩ સંમત હોય તે જ અહીં રહી શકે, બીજા નહી ” તો હે રાજન ! તે પ્રાચીન રીવાજ ધ્યાનમાં લઈને તમારે ન્યાય આપવું જોઈએ. ” રાજાએ કહ્યું કે તે પ્રમાણે કબૂલ છે. પરંતુ ગુણીજનોને આદર જરૂર દેવો જોઈએ, જે કે રાજ્યની માગણી તમારી અમદષ્ટિને આધીન જ છે, છતાં અમારા આગ્રહથી એમને નગરમાં રહેવા દેવાનું કબૂલ રાખે, રાજાના આ વાકયને તેઓએ માન્ય રાખ્યું. આ મુશ્કેલી દૂર કરવાના ઈરાદાથી કેટલોક સમય વીત્યા બાદ રાજાએ ફરમાવેલા સ્થલે પુરોહિતે ઉપાશ્રય કરાવ્યો. ત્યાં રહેલા બંને સૂરિજી મહારાજે ધર્મોપદેશ દઈને ઘણા જીવોને સત્યધર્મના સાધક બનાવ્યા. આ શ્રી બુદ્ધિસાગરસૂરિજીએ સં. ૧૦૮૦માં મારવાડમાં જાલોરમાં રહીને આઠ હજાર લેક પ્રમાણુ “બુદ્ધિસાગર નામે નવું વ્યાકરણ બનાવ્યું. અને શ્રી હરિભદ્રસૂરિજીએ બનાવેલ અષ્ટકની ટીકા પણ તેમણે રચી છે. એક વખત વિહાર કરતાં શ્રી જિનેશ્વરસૂરિજી ધારાનગરીમાં પધાર્યા. મહીધર શેઠ અને ધનદેવી શેઠાણીને અભયકુમાર નામનો મહાગુણવંત પુત્ર હતો. પુત્ર સહિત શેઠ ગુરુજીને વંદન કરવા ગયા. ત્યાં સંસારની અસારતાને જણાવનારી દેશના સાંભળી અભયકુમારને હૃદયમાં વૈરાગ્ય ભાવ પ્રગટ થયો. તે સંયમ લેવાને ઉસુક થયો. પિતાની અનુમતિ હોવાથી ગુરુ મહારાજે અભયકુમારને દીક્ષા આપી. સૂત્રાર્થને ભણવારૂપ ગ્રહણશિક્ષા અને પ્રતિલેખનાદિ ક્રિયાને શિખવારૂપ આસેવના શિક્ષાને અભ્યાસ કરી અભયમુનિજી દ્વહન કરવા પૂર્વક સેલ વર્ષની અંદર વપરશાસ્ત્રના પારગામી બની શ્રીસંઘના પરમ ઉધારક બન્યા. એકદા વ્યાખ્યાનમાં સર્વાનુમય પંચમાંગ શ્રી ભગવતી (વ્યાખ્યાપ્રજ્ઞપ્તિ) સૂત્રમાં કહેલા ચેડારાજા અને કેણિકની વચ્ચે થયેલા રકંટકાદિ યુદધનું વર્ણન કરતાં શ્રી અભયમુનિએ રૌદ્ર અને વીરરસનું એવું સરસ વર્ણન કર્યું કે તે સાંભળીને ક્ષત્રિયો લડવા તૈયાર થઈ ગયા. તે જોઈને શ્રીજિનેશ્વરસૂરિજીએ તરત જ મહાશ્રાવક નાગનતુઓનું વર્ણન કરી એ શાંતરસ વિસ્તાર્યો કે તે સાંભળીને બધા ક્ષત્રિયો શાંત થઈ ગયા અને મનમાં વિચાર કરવા લાગ્યા : અહો અમને ધિક્કાર છે, કે વ્યાખ્યાનના અવસરે પણ અમે પ્રમાદથી ઉન્મત્ત થઈ ગયા. ધન્ય છે તે નાગનતક શ્રાવકને કે જેણે લડાઈના પ્રસંગે પણ ધર્મારાધનમાં વિવેક સહિત અડગ ટેક રાખી. ગુરુજીએ અભયમુનિને શિખામણ દીધી કે “હે બુધિનિધાન શિષ્ય! તારે અવસર જેઈને વ્યાખ્યાન વાંચવું.' એક વખત સાંજે પ્રતિક્રમણ કરી રહ્યા બાદ શ્રી અભયદેવ મુનિને એક શિષ્ય કહ્યું કે હે મહારાજ! શ્રી અજિતશાંતિસ્તવમાં કહેલ ગંતવચાળિયા ઈત્યાદિ ૧ આ સ્તવનના બનાવનાર શ્રી નેમિનાથના ગણધર શ્રી નંદીષેણ જાણવા. અન્યત્ર એમ પણ કહ્યું છે કે શ્રેણિક રાજાના પુત્ર નંદીષેણ મુનિએ તે બનાવ્યું છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004513
Book TitlePravachana Kiranavali Pistalisa agam Rahasya
Original Sutra AuthorN/A
AuthorVijaypadmasuri
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1987
Total Pages750
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_related_other_literature
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy