SearchBrowseAboutContactDonate
Page Preview
Page 443
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૪ શ્રીવિજયપધસૂરીશ્વરકૃત સામાનિક દેવ થશે. ત્યાંથી થવી મહાવિદેહે મનુષ્ય થઈ ચારિત્ર આરાધી સિદ્ધ થશે. વગેરે બીના વિસ્તારથી સમજાવી છે. (૫) પાંચમાં અધ્યયનમાં સૌધર્મ દેવલોકના પૂર્ણભદ્ર વિમાનના સ્વામી પૂર્ણભદ્ર દેવનો અધિકાર વર્ણવ્યો છે. તે ઉત્પન્ન થઈ પ્રભુ પાસે આવી, નાટ્ય વિધિ દેખાડી સ્વસ્થાને જાય છે. ગૌતમસ્વામી તેનો પૂર્વ ભવ પૂછે છે. પ્રભુ કહે છે કે તે આ ભરતક્ષેત્રમાં મણિવતી નગરીમાં પૂર્ણભદ્ર નામે ગાથાપતિ હતો. ત્યાં સ્થવિર ભગવંત પધારતાં તે વંદન કરવા ગયો. દેશના સાંભળી પ્રતિબોધ પામી દીક્ષા લઈ આરાધીને અંતે સૌધર્મ દેવલાકમાં બે સાગરોપમના આયુષ્યવાળો પૂર્ણભદ્ર નામે દેવ થયા. ત્યાંથી ચ્યવી મહાવિદેહે સિદ્ધ થશે. () છઠ્ઠા અધ્યયનમાં પૂર્ણભદ્રની જેવા જ માણિભદ્ર દેવને અધિકાર છે. તે પાછલા ભવમાં મણિવતી નગરીમાં માણિભદ્ર નામે ગાથાપતિ હતો. તે સ્થવિર મુનિ પાસે ચારિત્ર લઈ આરાધી અંતે અનશન કરીને સૌધર્મ દેવકે બે સાગરોપમના આયુષ્યવાળે મણિભદ્ર દેવ થયો. અહીંથી અવી મહાવિદેહે સિદ્ધ થશે. આ પ્રમાણે સાતમે દત્ત ગૃહસ્થ ચંદના નગરીમાં, આઠમાં શિવ નામે ગૃહસ્થ મિથિલા નગરીમાં, નવમે બળ નામે ગાથા પતિ હસ્તિનાપુરમાં અને દશમો અનાહત નામે ગાથા પતિ કાકંદી નગરીના રહીશ હતા. ત્યાં ચારિત્રને પાળી સૌધર્મ દેવલોકે બે સાગરોપમના આયુષ્યવાળા તે તે નામના દેવ થયા. અહીંથી તેઓ વી મહાવિદેહે સિદ્ધ થશે. શ્રી નિરયાવલિકા શ્રુતસ્કંધના ત્રીજા વર્ગને સંક્ષિપ્ત પરિચય પૂરો થયો. શ્રી નિયવાલિકા તસ્કંધના પુષ્પ ચૂલિકા નામના ચોથા વર્ગનો ટૂંક પરિચય (૪) ચોથા વર્ગનાં દશ અધ્યયનમાં અનુક્રમે ૧. શ્રી દેવી, ૨. હીદેવી, ૩. ધૃતિ. દેવી, ૪. કીર્તિદેવી, ૫. બુદ્ધિદેવી, ૬. લક્ષમીદેવી, ૭. ઇલાદેવી, ૮. સુરાદેવી, ૯. રસદેવી, ૧૦. ગંધદેવીની બીના કહેલી હોવાથી તે તે દેવીના નામથી તે તે અધ્યયન ઓળખાય છે. તેમાં પહેલા અધ્યયનમાં શ્રીદેવી સૌધર્મ દેવલોકમાં ઉત્પન્ન થઈ પ્રભુની પાસે આવી નાટ્યવિધિ દેખાડીને પાછી ગઈ, ત્યારે શ્રી ગૌતમસ્વામીએ તે દેવીને પૂર્વ ભવ પૂછતાં પ્રભુએ કહ્યું કે તે દેવી પાછલા ભવમાં સુદર્શન નામના ગાથાપતિની (ગૃહપતિની ) ભૂતા નામે પુત્રી હતી. તેને કેઈ પરણ્યું નહીં, તેથી તે મોટી ઉંમર સુધી કુમારી રહી. એક વખત ત્યાં શ્રી પાર્શ્વનાથ પધાર્યા. ત્યારે પર્વદા વંદન કરવા નીકળી. તેની સાથે સુદર્શનની તે ભૂતા નામની પુત્રી પણ ગઈ. દેશના સાંભળી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004513
Book TitlePravachana Kiranavali Pistalisa agam Rahasya
Original Sutra AuthorN/A
AuthorVijaypadmasuri
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1987
Total Pages750
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_related_other_literature
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy