SearchBrowseAboutContactDonate
Page Preview
Page 442
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી જૈન પ્રવચન કિરણાલી (૮ થી ૧૨ ઉપાંગરૂપ શ્રી નિયાવલિકા સૂત્રને પરિ.) ૩૯૩ છે. દેવે કહેલી આ બીના સાંકળી સે મિલે પૂછયું કે હે દેવ! ત્યારે હવે મારી સુપ્રવજ્યા કેમ થાય? દેવે કહ્યું કે તું પાછો શ્રાવક ધર્મ અંગીકાર કર, અને પાંચ અણુવ્રતોનું સેવન કર. તેણે તે પ્રમાણે કર્યું, ઘણી તપસ્યા કરી શ્રાવકધર્મને આપો , પરંતુ પૂર્વના મિથ્યાભાવની આલોચના કરી નહી, તેથી તે કાળે કરીને શુકાવાંસક નામના વિમાનમાં શુક્ર (ગ્રહ) દેવપણે ઉત્પન થશે. તેણે પ્રભુની પાસે આવી નાટક કર્યું. તેનું એક પોપમનું આયુષ્ય જાણવું. હાલમાં તે શુક્રગ્રહ દેવાયુષ્ય પૂરું કરી મહાવિદેહ ક્ષેત્રમાં ઉત્પન્ન થઈ માસે જશે. ચોથા અધ્યયનમાં સીધમ દેવલોકમાં ઉત્પન્ન થયેલી બહુપુત્રિકા નામે અપહીતા દેવીનું વર્ણન કર્યું છે. તે ઉત્પન્ન થયા બાદ પ્રભુની પાસે આવી. દેશના સાંભળી, નાટક દેખાડીને સ્વસ્થાને ગઈ. શ્રીગૌતમસ્વામીએ તેનો પૂર્વ ભવ પૂછતાં ભગવંતે કહ્યું કે “તે દેવી પાછલા ભવમાં વાણારસી નગરીમાં ભદ્ર સાર્થવાહની સુભદ્રા નામે સ્ત્રી હતી. તેને કંઈ સંતતિ નહતી, તેથી તે ઉદાસ રહેતી હતી. એક વખત ત્યાં સુવ્રતા નામે સાધ્વી પધાર્યા, તે ઘરે આવતાં તેને ભાવપૂર્વક આહાર પાણી વહેરાવીને સુભદ્રાએ પુત્રપ્રાપ્તિનો ઉપાય પૂછયો. તે સાંભળી સાધ્વીએ કહ્યું કે તેવી વાત સાંભળવાનો પણ અમારે આચાર નથી. ” એમ કહી શ્રાવક ધર્મનું સ્વરૂપ સમજાવ્યું. તેથી તે શ્રાવિકા થઈ. કેટલાક વર્ષો વીત્યા બાદ તેણે વિચાર્યું કે, હવે સંતતિ થવાનો સંભવ નથી, માટે ચારિત્ર લેવું વ્યાજબી છે આ વિચાર પ્રમાણે પતિની આજ્ઞા મેળવી, તે સુવ્રતાની ચેલી સાધી થઈ. અમુક કાળ ગયા પછી તેના મનમાં બાળકો પ્રત્યે પ્રેમ ઉભો , તેથી તે અનેક બાળકોની શરીર શુશ્રષા વગેરે કરવા લાગ્યું. ત્યારે ગુરુણીએ શિખામણ આપીને કહ્યું કે આ પ્રમાણે કરવું, એ આપણે આચાર નથી, માટે તજી દે. ” સુભદ્રા સાવીને તે હિતશિક્ષા ગમી નહીં. તેથી તે જુદા ઉપાશ્રયમાં જઈને રહી. પછી તે નિ:શંકપણે બાળકની પરિચર્યા કરવા લાગી. ચારિત્રમાં ઘણાં વર્ષો ચારિત્ર પર્યાય પાળી અંતે અનશન કરી કરેલી વિરાધનાને આવ્યા વિના કાળધર્મ (મૃત્યુ) પામી પહેલા દેવલોકમાં ચાર પાપમના આયુષ્યવાળી દેવી થઈ. ત્યાંથી વીને આ ભરતક્ષેત્રના બિભેલ નગરમાં સોમા નામે બ્રાહ્મણની દીકરી થશે. તેને ત્યાંના રાષ્ટ્રકૂટ સાથે પરણાવશે, તેના સમાગમથી તેને સોળ વર્ષમાં ૩ર પુત્ર પુત્રીઓ થશે, તેની પરિચર્યા કરતાં તે બહુ થાકી જશે. તેથી તે સંતાન વિનાની સ્ત્રીઓને ધન્ય માનશે. એક વખત ત્યાં પધારેલા સુત્રતા સાધ્વીના ઉપદેશથી તે ચારિત્ર લેવા પતિની આજ્ઞા માગશે, પણ આશા ન મળવાથી તે શ્રાવક ધમને સ્વીકારીને પાળશે. કેટલાંક વર્ષો વીત્યા બાદ પતિની આજ્ઞા મેળવી તે ચારિત્રને આરાધી અંતે કાળ કરી સૌધર્મ દેવલોકમાં બે સાગરોપમના આયુષ્યવાળો સેમ નામે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004513
Book TitlePravachana Kiranavali Pistalisa agam Rahasya
Original Sutra AuthorN/A
AuthorVijaypadmasuri
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1987
Total Pages750
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_related_other_literature
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy