SearchBrowseAboutContactDonate
Page Preview
Page 440
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી જૈન પ્ર. કિરણાવલી (૮ થી ૧ર ઉપાંગરૂપ શ્રી નિરયાવલિકા સૂત્રને પર ) ર૯૧ મરણ પામી કાલકુમારની જેમ ચોથી નરકે જઈ મહાવિદેહમાં નરભવે મોક્ષ માને આરાધી મોક્ષે જશે. પહેલા વર્ગને ટૂંક પરિચય પૂરો થયો. બીજા કલ્પાવતંસિકા વર્ગને ટૂંક પરિચય આ બીજા વર્ગમાં પણ દશ અધ્યયનો છે. તે આ પ્રમાણે ૧, પદ્મ, ૨. મહાપદ્ધ, ૩. ભદ્ર, ૪. સુભદ્ર, ૫. પદ્મભદ્ર, ૬. પદ્મસેન, ૭. પદ્મગુલમ, ૮. નલિની ગુલમ, ૯, આનંદ, ૧૦. નંદન. અહીં દરેકના અંતે અધ્યયન શબ્દ જોડવો. તેમાં પહેલે પદ્મકુમાર શ્રેણિક રાજાની કાલી રાણીના પુત્ર કાલકુમારની પદ્માવતી રાણીને પુત્ર છે. તેને આઠ સ્ત્રી સાથે પરણાવવામાં આવ્યો. શ્રી મહાવીર સ્વામી ત્યાં પધારતાં તે વંદન કરવા ગયો. દેશના સાંભળી પ્રતિબંધ પામ્યો. અને માતાપિતાની આજ્ઞા લઈને તેણે દીક્ષા લીધી. ઉપવાસ, છડું, અઠ્ઠમ વગેરે ઘણી તપસ્યા કરી. પાંચ વર્ષને ચારિત્ર પર્યાય પાળી પ્રભુની આજ્ઞા લઈ વિપુલાચળ પર્વતે એક માસનું અનશન કરી સમાધિમાં કાળધર્મ પામી પહેલા સૌધર્મ દેવલોકમાં બે સાગરેપમના આયુષ્યવાળો દેવ થયા. ત્યાંથી વી મહાવિદેહ ક્ષેત્રમાં મનુષ્ય થઈ મોક્ષ માગને આરાધી સિદ્ધિપદ પામશે. (૨) બીજો મહાપદ્મ કુમાર સુકાલી રાણીના પુત્ર સુકાલ કુમારનો પુત્ર હતા. તે ચારિત્ર લઈ કાળ કરીને બીજા ઈશાન દેવલોકમાં ઉત્કૃષ્ટ આયુષ્યવાળો દેવ થયા. બાકીની બીના પહેલા અધ્યયનની માફક જાણવી. એ જ પ્રમાણે (૩) ત્રીજે કુમાર ત્રીજા દેવલોકમાં દેવ થયો. (૪) ચોથો કુમાર ચોથા માહેન્દ્ર દેવલોકમાં દેવ થયે. (૫) પાંચમો કુમાર પાંચમા દેવલોકમાં દેવ થયા. (૬) છઠ્ઠો કુમાર છઠ્ઠા લાંતક દેવલોકમાં દેવ થયે. (૭) સાતમે કુમાર મહાશુક્ર દેવલોકમાં દેવ થયા. (૮) આઠમો કુમાર સહસ્ત્રાર દેવલોકમાં દેવ થયા. (૯) નવ કુમાર દશમા પ્રાણત દેવલોકમાં દેવ થયો. (૧૦) દશ કુમાર અમ્રુત દેવલોકમાં દેવ થયો. આ દશે કુમારોનાં નામ શરૂઆતમાં જણાવ્યાં છે. તેઓ શ્રેણિક રાજાની કાલી વગેરે દશ રાણીઓના કાલકુમારાદિ દશ પુત્રોના પુત્રો હતા. એટલે શ્રેણિક રાજાના દશે પાની અનુક્રમે એકેક અધ્યયનમાં બીના કહી છે, તેથી તે કુમારના નામથી અધ્યયન ઓળખાય છે. તે દશે કુમારે દેવલોકમાંથી વી મહાવિદેહે મનુષ્ય થઈ નિમલ ચારિત્રને આરાધી મોક્ષે જશે. શ્રી નિરયાવલિકા વ્યુતર કંધના બીજા વર્ગનો ટુંક પરિચય પૂરો થયો. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004513
Book TitlePravachana Kiranavali Pistalisa agam Rahasya
Original Sutra AuthorN/A
AuthorVijaypadmasuri
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1987
Total Pages750
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_related_other_literature
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy