SearchBrowseAboutContactDonate
Page Preview
Page 431
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૮૨ શ્રીવિજયપધસૂરીશ્વરકૃત રાજધાની તથા અંકાવતી વગેરે વક્ષસ્કારનું વર્ણન કામ કરીને મેરૂ પર્વતની બીના શરૂ કરતાં મેરૂનું સ્થાન અને તેની લંબાઈ વગેરે તથા ભદ્રશાલવન, નંદનવન, સૌમનસવન, તેમજ પંડકવનની બીના જણાવીને તે વનોના કુમુદ વગેરેની અને વાવડીથોની તથા પોત્તર વગેરે દિફટોની હકીકત સ્પષ્ટ સમજાવી છે. પછી નંદનવનની લંબાઈ વગેરે, ત્યાંના સિદ્ધાયતનો, વાવ, તથા નંદનવન કૂટાદિ ૯ કૂટ, આ બધા પદાર્થોનું વર્ણન કરીને સૌમનસવનની લંબાઈ વગેરે, અને પંડકવનની તથા ચૂલિકાની લંબાઈ વગેરે કહીને પાંડશિલા વગેરે અભિષેક શિલાઓનું અને મેરૂના ત્રણ કાંડનું સ્વરૂપ વિસ્તારથી સમજાવ્યું છે જે શિલાની ઉપર ઈંદ્રાદિ દેવ શ્રી તીર્થકર, દેવના જન્મ કલ્યાણકનો અભિષેક કરે, તે અભિષેક શિલા કહેવાય. પછી મેરૂનાં નામ અને અવર્થ કહીને નીલવર્ષધર પર્વતનું અને સીતા નદી નારીકાંતા નદી તથા કુટનું, તેમજ રમ્યક ક્ષેત્ર (અકર્મભૂમિ), ગંધાપાતી પર્વત, રૂકિમ પર્વત તથા તેના ૮ ફૂટનું સ્વરૂપ વિસ્તારથી સમજાવ્યું છે. પછી હૈરણ્યવત ક્ષેત્રનું અને માલ્યવંત નામે ગોળ વૈતાઢય પર્વતનું તથા શિખરી પર્વત અને તેના કૂટોનું વર્ણન કરીને એરવત ક્ષેત્રનું સ્વરૂપ અને અન્યર્થ વગેરે બીના સ્પષ્ટ સમજાવી છે. શ્રીજબૂઢીપપ્રજ્ઞપ્તિના ચેથા વક્ષસ્કારને ટૂંક પરિચય પૂરો થયો. શ્રીજબૂદીપપ્રાપ્તિના પાંચમા વક્ષરકારને સંક્ષિપ્ત પરિચય અહીં શ્રીતીર્થકર દેવોના જન્માવસરે છપન્ન દિકકુમારીઓનાં કાર્યોનું અને સઠ ઇન્દોએ મેરૂ પર્વતની ઉપર કરેલા જન્માભિષેકાદિનું વર્ણન વિસ્તારથી કર્યું છે. પદ દિકકમારીઓમાં ૮ અધોલોકમાં રહેનારી ભેગંકરા વગેરેના અને ઉર્વલોકમાં રહેનારી મયંકર વગેરે ૮ દિફકમારીઓના તથા રૂચક પર્વતની પૂર્વાદિ ચાર દિશાઓમાં રહેનારી ૮-૮ દિકકુમારીઓ મળીને ૪ દિશાની ૩ર દિપકુમારીઓના તેમજ રૂચકગિરિના ચાર ખૂણામાં રહેનારી ૪ દિકુમારીઓના અને મધ્ય રૂચકની ૪ દિકુમારીઓના કતવ્યો વિસ્તારથી સમજાવ્યા છે. પછી જિન જન્મના પ્રભાવે ઈન્દ્રાસનને કંપ (હાલવું), સામે કરેલી સ્તુતિ, ઈન્દ્રની જન્મેન્સવ કરવાની ઇચ્છા, તેણે દેવોને બોલાવી જિન જન્મની ઉદ્દઘોષણા કરાવીને પાલક વિમાનની રચના કરાવી, તેમાં શુક વગેરે ઉચિત સ્થાને બેસીને સ્વર્ગમાંથી નીકળી અહીં આવ્યા, શક્રેન્દ્ર પ્રભુનું પ્રતિબિંબ સ્થાપીને પ્રભુને મેરૂ પર્વતની ઉપર લઈ ગયા. ત્યાં બાકીના ૬૩ ઇબ્દો આવ્યા. અચુદ્દે આભિરોગિક ની મારફત જન્માભિષેકની સામગ્રી મંગાવી, સૌધર્મેન્દ્ર સિવાયના ઇદ્રોએ કામસર અભિષેક કરવા માંડ્યા. તે વખતે વાજિંત્રો વાગે છે, દેવો નાચે છે, ને ગાય છે. તે પ્રભુને ઘરેણાં વગેરે પહેરાવીને અષ્ટમંગલ આલેખે પછી સ્તુતિ કરે છે. સૌધર્મેન્દ્ર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004513
Book TitlePravachana Kiranavali Pistalisa agam Rahasya
Original Sutra AuthorN/A
AuthorVijaypadmasuri
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1987
Total Pages750
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_related_other_literature
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy