SearchBrowseAboutContactDonate
Page Preview
Page 429
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૮૦ શ્રીવિજયપદ્યસૂરીશ્વરકૃત રાનથી ગુફામાં પ્રકાશ ફેલાવીને કાકિણી રતનથી ૪૯ માંડલાં આલેખે છે. ( ચિતરે છે) તથા ઉન્મજ્ઞા, નિમગ્ના નદીઓ ઊતરીને ચિલાતો (ભિલે)ની સાથે યુદ્ધ કરતાં ચર્મરત્ન અને છત્રરનથી સૈન્યની રક્ષા કરે છે, તેમજ તે વખતે ગાથા પતિ રત્નથી શાલી વગેરે અનાજ નિપજાવે છે (ઉત્પન્ન કરાવે છે). અંતે તે સુષેણ સેનાધિપતિ નાગકુમાર દેવોના ઉપદ્રવને દૂર કરી ભિલેને જ્યારે વશ કરે છે, ત્યારે તેઓ તેને રત્નાદિ ભેટ કરે છે. તે પછી તે અઠ્ઠમ કરીને શુદ્ધ હિમવંત પર્વતના અધિષ્ઠાયક દેવને વશ કરતાં તે તેને પુષ્પાદિની માલાએ વગેરે ભેટ કરે છે. ત્યાર પછી રુષભકૂટ પર ભરત મહારાજાએ પિતાનું નામ લખીને સીન મેળવીને અને ગંગા દેવીની સાધના વગેરે કરીને ખંડપ્રપાત ગુફાના અધિષ્ઠાયક નમાલ દેવને અઠ્ઠમ કરી વશ કર્યો. તેણે ભરત મહારાજાને ઘરેણુ વગેરેની ભેટ કરી. પછી સુષેણ સેનાધિપતિએ ગંગા નદીના પાછળના નિકૂટ સાધ્યા, વશ કર્યા, ત્યારે ત્યાંના રહીશ લોકોએ તેમને રનાદ આપ્યા. આ હકીકત જણાવીને કહ્યું કે તેણે ખંડપ્રપાત ગુફાના બારણું ઉઘાડયા વગેરે બીના વિસ્તારથી જણાવી છે, પછી ઉન્મનાદિ નદીઓનું ઉતરવું, અને ગંગા નદીના પશ્ચિમ કાંઠે નવ નિધિના અધિષ્ઠાયક દેવાના નિમિત્તે અઠ્ઠમ કરતાં નિધાનનું પ્રકટ થવું, તથા ભરત રાજાએ ૧૪ રત્નો, ૯ નિધિ, સ્ત્રીરતન વગેરે સહિત ધામધૂમથી અપાધ્યા નગરીમાં કરેલ પ્રવેશ, તેમજ ભરત મહારાજાના ચક્રવર્તાિપણાના અભિષેક વગેરેનું વર્ણન વિસ્તારથી કર્યું છે પછી ચકાદિ રત્નોને ઉત્પન્ન થવાના સ્થાન, અને ભરત ચક્રવત્તિની ઋદ્ધિનું વર્ણન કરીને જણાવ્યું કે-આદર્શમાં શરીરની શોભા જેવાના પ્રસંગે અનિત્ય ભાવનાનો વિચાર કરતાં ભરત ચક્રવત્તિને કેવલજ્ઞાન પ્રકટ થયું. દશ હજાર રાજાઓની સાથે સર્વ શ્રીભરત ચક્રવર્તીએ દીક્ષા લીધી, એક લાખ પૂર્વ સુધી કેવલીપણે વિચરી ઘણાં જીવોને તારી અષ્ટાપદ પર્વતે અનશન કરી મોક્ષે ગયા, આ હકીકત વિસ્તારથી જણાવીને અંતે ભરત ક્ષેત્રનો અન્વર્થ (શબ્દ પ્રમાણે થતો અર્થ) સમજાવ્યો છે. તેમાં કહ્યું છે કે આ ક્ષેત્રના અધિષ્ઠાયક દેવનું નામ ભરત હેવાથી તે ભરતક્ષેત્ર નામથી ઓળખાય છે. તે દેવનું આયુષ્ય એક પલ્યોપમનું જાણવું. જબૂદીપપ્રજ્ઞપ્તિના ત્રીજા વક્ષસ્કારને સંક્ષિપ્ત પરિચય પૂરો થયે. શ્રીજબૂદીપપ્રજ્ઞપ્તિના ચોથા વક્ષસ્કારનો સંક્ષિપ્ત પરિચય અહીં જંબુદ્વીપમાં આવેલા વર્ષધર પર્વતો, કૂટો ( શિખરો), તીર્થો (ભાગ વગેરે) વિદ્યાધરના નગરોની શ્રેણીઓ, ૩૪ વિજ (૧. ભરત, ર. ઐરાવત, ૩ થી ૩૪ મહાવિરહની ૩ર વિજો ) કહો અને નદી વગેરેનું વર્ણન વિસ્તારથી કર્યું છે. તે અનુક્રમે આ રીતે જાણવું : Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004513
Book TitlePravachana Kiranavali Pistalisa agam Rahasya
Original Sutra AuthorN/A
AuthorVijaypadmasuri
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1987
Total Pages750
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_related_other_literature
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy