SearchBrowseAboutContactDonate
Page Preview
Page 428
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી જૈન પ્રવચન કિરણાલી (૬. ઉપાંગ શ્રી જંબુદ્વીપ પ્રાપ્તિ સત્રનો પરિચય) ૩૯ હકીકત શરૂ કરીને અનુક્રમે પહેલા આરાનું, અને પુષ્પરાવર્નાદિ મેઘ, માંસાદિને વર્જવાની મર્યાદા, બીજા આરાનું સ્વરૂપ વગેરે બીના વિસ્તારથી સમજાવી છે. આ રીતે બીજા વક્ષસ્કારને ટૂંક પરિચય જાણો. શ્રીજબૂદ્વીપ પ્રજ્ઞપ્તિના ત્રીજા વક્ષસ્કારને સંક્ષિપ્ત પરિચય શ્રીભરત ચક્રવર્તીનું ચરિત્ર અહીં શરૂઆતમાં અયોધ્યા નગરનું અને ભરત ચક્રવતીનાં લક્ષણાદિનું વર્ણન કરીને જણાવ્યું છે કે આયુધશાલામાં ચકરનની ઉત્પત્તિ થઈ, નોકરે ભરત મહારાજાને વધામણી આપી, તેણે તેની પૂજા કરી, ભરત મહારાજાએ નોકરને રાજી થઇ દાન આ ચું, ચક્રનો મહોત્સવ કર્યો, તેમાં ભરત મહારાજાએ સ્નાનાદિ કરીને નગરશેઠ વગેરે પરિવારની સાથે ચક્રની પાસે જઈ પ્રમાજનાદિ (મોર પીંછી વગેરેથી સાફ કરવું વગેરે) કરવા પૂર્વક ચક્ર પૂજા (ચક્રરનની પૂજા) કરીને તેની આગળ દર્પણ વગેરે અષ્ટમંગલે આલેખ્યા (ગોઠવ્યા) અને પ્રજાનું દાણ (જકાત) માફ કર્યું વગેરે પ્રકારે ધામધૂમથી ચક્રરનનો મહોત્સવ કર્યા બાદ ભરત મહારાજા ચક્રની ગતિને અનુસરે છ (૬) ખંડ સાધવા નીકળ્યા. અનુક્રમે માગધ તીર્થ તરફ ચક્ર ચાલવા માંડયું, તેની પાછળ ભરત મહારાજાએ પણ ચાલવા માંડયું. જ્યાં ચક્ર સ્થિર થયું, તે સ્થલે પૌષધશાલામાં અમે તપ કરી રથમાં બેઠા. પછી તેમણે લવણ સમુદ્રમાં ઉતરી સુસ્થિત દેવને નમસ્કારાદિ કરી બાણ છોડયું, આથી ક્રોધ પામેલ સુસ્થિતદેવ બાણની ઉપર લખેલ ભરત મહારાજાનું નામ વાંચીને ભેટયું લઈ ભરત મહારાજાની પાસે આવીને કહેવા લાગ્યા કે હું આપનો દાસ છું, જે હુકમ હોય તે ફરમાવશે, તે કરવા તૈયાર છું અને તૈયાર રહીશ. આ વચન સાંભળી ભરત મહારાજાએ તેને સત્કારાદિ કરવા પૂર્વક સ્વસ્થાને જવાની રજા આપી. લવણ સમુદ્રમાંથી બહાર નીકળી સ્નાનાદિ કરીને અમનું પારણું કર્યું. પછી ભરત મહારાજાના સૈન્યની બીના અને વરદામ તીર્થના દેવને સાધવાની હકીકત તથા પૌષધશાલા રથ ઘોડા વગેરેની તેમજ પ્રભાસ તીર્થને સાધવાની હકીકત વિસ્તારથી સમજાવી છે. પછી સિંધુ દેવીન અટ્ટમ, પૌષધ વગેરે વિધિ કરતાં સિંધુ દેવીએ અહીં ભાવી ચક્રવતી આવ્યા છે એમ અવધિજ્ઞાનથી જાણીને ભરત મહારાજાને ભદ્રાસનાદિની ભેટ કરી. ત્યાર બાદ વૈતાગિરિના કુમાર દેવને સાધવાને અક્રમ કરતાં તે વે ભરત મહારાજાને કહાં વગેરે (ભેટમાં) આપ્યાં અને તિમિસ્રા ગુફાના સ્વામી કૃતમાલ દેવને સાધવા અઠ્ઠમ કરનાર ભરત રાજાને તે દેવે ૧૪ તિલક વગેરે આપ્યાં. પછી સુષેણ સેનાપતિનું વર્ણન કરીને જણાવ્યું કે તે સુષેણ સેનાપતિ હસ્તિ નાદિની મદદથી સિંહલ દેરા વગેરેને સાધે છે, ત્યાંના લોકો તેને આભરણાદિની ભેટ આપે છે. પછી તે સુષેણ અઠ્ઠમ કરીને તિમિજા ગુફાનું દ્વાર ઉઘાડે છે, ને મણિ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004513
Book TitlePravachana Kiranavali Pistalisa agam Rahasya
Original Sutra AuthorN/A
AuthorVijaypadmasuri
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1987
Total Pages750
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_related_other_literature
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy