SearchBrowseAboutContactDonate
Page Preview
Page 404
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી જૈન પ્રવચન કિરણાલી (. ઉપાંગ શ્રી જીવાભિગમ સૂત્રને પરિચય ) ૩પપ ૭. સાતમી પ્રતિપત્તિ-અહીં ૧. પ્રથમસમયના નાકે, ૨. અપ્રથમસમયના નારકે, આ રીતે તિયાના, મનુષ્યોના અને દેવોના પણ બે બે ભેદ ગણીને સંસારી છના ૮ ભેદનું સ્વરૂપ વિસ્તારથી સમજાવ્યું છે. ૮. આઠમી પ્રતિપત્તિ-અહીં ૧ થી ૫ પૃથ્વીકાય વગેરે પાંચ સ્થાવરના પાંચ ભેદો ૬ થી ૮ ત્રણ વિકસેન્દ્રિય (બેઇંદ્રિય ઈદ્રિય ને ચતુરિન્દ્રિય)ના ત્રણ ભેદ, ૯ પંચેન્દ્રિય. આ રીતે ૯ ભેદ વિસ્તારથી સમજાવ્યા છે. ૯ નવમી પ્રતિપત્તિ-અહીં ૧, પ્રથમસમયના એકેન્દ્રિય, ૨. અપ્રથમસમયના એકેનિદ્રા આ રીતે દ્વીન્દ્રિયાદિ ચારે જીવોમાં બે બે ભેદે ગણતાં ૧૦ ભેદોનું સ્વરૂપ વિસ્તારથી સમજાવ્યું છે. છેવટે સિદ્ધાદિનું સ્વરૂપ જણાવ્યું છે. અહીં ત્રીજી પ્રતિપત્તિમાં બે ઉદ્દેશામાં નારકનું ને બે ઉદ્દેશામાં તિયચનું વર્ણન કરીને ક્રમસર જબૂદ્વીપ, દ્વીપ, સમુદ્રો અને જ્યોતિષ્ક દેનું વર્ણન કર્યું છે. અંતે બે ઉદેશામાં વૈમાનિક દેવોનું વર્ણન કર્યું છે. અહીં વિજય દેવનું વર્ણન વિસ્તારથી કરતાં સૂત્રકારે રાજશ્રીયની ભલામણ કરી છે. એટલે અહીં જે બીના ટૂંકામાં જણાવી છે, તેને વિસ્તાર બીજા ઉપાંગથી જાણવો એમ કહ્યું છે. પછી બાકીની ચાથી પ્રતિપત્તિ વગેરે ૬ એ પ્રતિપત્તિઓમાં પણ ત્રસાદિ છવામાં ભવસ્થિતિ, કાયસ્થિતિ, વિરહકાળ અને અ૫બહુવની બીના જણાવી છે. પ્રસંગે સ્ત્રીવેદમાં પણ તે ચારે દ્વારા સમજાવ્યા છે. અને કર્મભૂમિ આદિના મનુષ્ય, છપ્પન્ન અંતરદ્વીપના મનુષ્ય, દશ પ્રકારનાં કલ્પવૃક્ષો, જબૂદ્વીપની જગતી, તેના દ્વારે વિજયદેવ, વિજ્ય રાજધાની, વિજ્યદેવનાં કર્તવ્ય વગેરે, તેણે કરેલ પુસ્તક રત્નોનું વાંચન, પ્રતિમાપૂજન, જિનેશ્વરની દાઢા વગેરેની પૂજા, અત્યંતર પર્ષદાદિ ત્રણ પર્ષદાઓ, ઉત્તરફરૂ, નીલવંત કહ અને તેના કમળ, જંબુપીઠ, ભૂસુદનવૃક્ષ, લવણસમુદ્ર, ધાતકીખંડથી માંડીને સ્વયંભૂરમણ સમુદ્ર સુધીના દ્વીપસમુદ્રો, તેના ચંદ્ર સૂર્યો, તે ચંદ્ર સૂર્યોના ચંદ્વીપ ને સૂર્યદ્વીપ, ચંદ્ર સૂર્યની રાજધાની, લવણસમુદ્રની સાથે બીજા સમુદ્રોને મુકાબલો, લવણસમુદ્રની વેલા, કાલોદધિ આદિ વિશ પદાર્થો અને દેવદ્વીપાદિ આ બધાનું વર્ણન કરીને સર્વ દ્વીપ સમુદ્રાદિને ઉદ્દેશીને વર્ણન કર્યું છે. અને ઇન્દ્રિયોના વિષયાદિનું પણ સ્વરૂપ ટીકાકારે બહુજ સ્પષ્ટ સમજાવ્યું છે. આ રીતે શ્રીજીવાભિગમ સૂત્રનો સાર ટૂંકમાં જણાવીને હવે દરેક પ્રતિપત્તિને પરિચય ટૂંકામાં જણાવું છું. શ્રી જીવાભિગમ સૂત્રની પહેલી તથા બીજી પ્રતિપત્તિનો સંક્ષિપ્ત પરિચય અહીં શરૂઆતમાં અભિગમના ૧. અજીવ અભિગમ, ૨. જીવ અભિગમ આ બે ભેદમાંના અજીવ અભિગમના બે ભેદનું સ્વરૂપ કહીને જીવ અભિગમના અસંસારી (સિદ્ધ) જીવો અને સંસારી જીવો, એમ બે ભેદોમાંના સિદ્ધનું સ્વરૂપ ટૂંકામાં જણા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004513
Book TitlePravachana Kiranavali Pistalisa agam Rahasya
Original Sutra AuthorN/A
AuthorVijaypadmasuri
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1987
Total Pages750
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_related_other_literature
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy