SearchBrowseAboutContactDonate
Page Preview
Page 405
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૫૬ શ્રીવિજયસૂરીશ્વરકૃત વીને સંસારી જીવનું સ્વરૂપ બહુ જ વિસ્તારથી ૯ પ્રતિપત્તિઓમાં જણાવ્યું છે. તેમાં પ્રથમ સ્થાવરના પાંચ ભેટો ને તે દરેકના સૂક્ષ્મ તથા બાદર ભેદ વિસ્તારથી સમજાવીને ત્રસ ઇવેનું સ્વરૂપ જણાવ્યું છે. તેમાં બેઈદ્રિય વગેરેનું અને નારક તિર્યંચ મનુષ્ય અને હેવના ભેરાનું, તથા સંમૂર્ણિમ-ગર્ભજ મનુષ્ય-તિ"ચના ભેદોનું, તેમજ તિર્યંચ પંચેન્દ્રિયના જલચરાદિ ભેદનું સ્વરૂપ વગેરે બીના જણાવીને અંતે ત્રસાહિ છાની ભવ સ્થિતિ વગેરેનું વર્ણન કર્યું છે. આ રીતે પહેલી પ્રતિપત્તિને સંક્ષિપ્ત પરિચય જણાવી દીધે. ૨. બીજી પ્રતિપત્તિમાં જીવના ત્રણ ભેદનું વર્ણન કમસર કર્યું છે. તેમાં પહેલાં સ્ત્રીઓના ભેદો, અને સ્ત્રી વેદની સ્થિતિ વગેરેનું વર્ણન કરીને તિર્ય“ચાની સ્ત્રીઓની સ્થિતિ વગેરે (ભવસ્થિતિ, કાયસ્થિતિ, વિરહાકાલ, અને અલ્પબહુવ) નું વર્ણન કર્યું છે. પછી સ્ત્રીપણાની સ્થિતિના ભેદોનો વિચાર (સાજ્ઞાન્યથી અને વિશેષથી) બે પ્રકારે કહીને સ્ત્રીઓના (સ્ત્રીપણાના) વિવિધ પ્રકારના અંતર (આંતરાં) અને નાના મોટા (અલગ અલગ, અને સમુદિત ભેગ) અલ્પબહુવો તથા સ્ત્રી વેદની જુદી જુદી જાતની સ્થિતિએ જણાવી છે. આજ ક્રમે પુરુષના અને નપુંસકના ભવ સ્થિતિ વગેરેનું વર્ણન કરીને અંતે વેદોની વિવિધ પ્રકારની સ્થિતિઓનું અને તે વેદના અલ્પબહુ વગેરેનું સ્વરૂપ જણાવ્યું છે. અહીં બીજી પ્રતિપત્તિનો સંક્ષિપ્ત પરિચય પૂર્ણ થાય છે. શ્રી છવાભિગમ સૂત્રની ત્રીજી પ્રતિપત્તિનો સંક્ષિપ્ત પરિચય અહી સંસારી જીવોના નારકાદિ ચાર ભેદનું સ્વરૂપ વિસ્તારથી સમજાવવાની ભાવનાવાળા સૂત્રકારે પહેલાં નરક સ્થાનાદિનું વર્ણન આ રીતે કર્યું છે. જે નરક પૃથ્વીના (રતનપ્રભા વગેરે) ૭ ભેદે અને ૨. નામ અને ગોત્રનું વર્ણન કરીને તે દરેક નરક પૃથ્વીઓની જાડાઈ, અને કાંડ તથા નરકાવાસા તેમજ તેના આધારભૂત ઘનેદધિ વગેરેનું સ્વરૂપ સમજાવ્યું છે, પછી કાંડાદિનું આંતરું, અને રતનપ્રભાદિના સંસ્થાન, તથા તેની અને અલેકની વચ્ચેનું અંતરું વગેરે બીના કહી છે. ત્યાર બાદ ઘનોદધિ વગેરેની જાડાઈ કહીને રનપ્રભાદિમાં સર્વે જીવાદિની ઉત્પત્તિને અંગે જરૂરી હકીકત જણાવી છે. પછી રનભાદિના શાશ્વતતાદિ (શાશ્વતપણે અશાશ્વતપણું, આ બે) ને નિર્ણય જણાવીને તે રત્નપ્રભાદિના અલ્પબહુcો કહ્યાં છે. પછી નરકાવાસ, તે સર્વેના સંસ્થાન અને વર્ણાદિ, તથા મોટાપણું (ઊંચાઈ લંબાઈ વગેરે) વર્ણવીને ઉપજવાની સંખ્યા અને અવગાહના કહી છે. પછી નારક જીવોના દેહના સંઘયણ સંસ્થાન વગેરે તથા શ્વાસ, આહાર, વેશ્યા, દષ્ટિ, જ્ઞાન. અજ્ઞાન, યોગ, ઉપયોગ, સમુદ્દઘાત વગેરેનું વર્ણન કરીને તેમને અંગે ભૂખ તરસની બીના કહી છે. પછી તેમના આયુષ્ય ઉદ્વર્તાનાની બીના કહીને નરકસ્થાનોના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004513
Book TitlePravachana Kiranavali Pistalisa agam Rahasya
Original Sutra AuthorN/A
AuthorVijaypadmasuri
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1987
Total Pages750
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_related_other_literature
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy