SearchBrowseAboutContactDonate
Page Preview
Page 38
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૩૫ ] ઉત્તમ થાય. પૂ. મહારાજશ્રીની આ શુભ વિચારણને પરિપાક એટલે “જૈન પ્રવચન કિરણવલી” ગ્રંથ, પ્રસ્તુત પુસ્તક. પ. પૂ. આચાર્ય મહારાજ શ્રી વિજયસૂરીશ્વરજી મહારાજ એ પૂજ્ય શાસનસમ્રાટશ્રીના શિષ્ય સમુદાયના એક અણમેલ આભૂષણરૂપ પુરુષ હતા. પ્રાકૃત ભાષા, આગમગ્રંથો અને સૈદ્ધાંતિક પદાર્થોના વિષયમાં તેમની કક્ષાના જ્ઞાતા પુરુષ અન્યત્ર વિરલ હતા. વૈરાગ્યરંગનું એમનું પ્રતિપાદન અનન્ય રહેતું. સર્જનાત્મક પ્રતિભાને ઉમેષ એમને કઈ વિશિષ્ટ પ્રકારને હતે. પૂર્વકૃત તથા પ્રકારના કેઈ વેદનીયકર્મના વિશે તેમનાથી બાહ્યતપ-ઉપવાસાદિરૂપ-વે અશક્યપ્રાય હતા. એવા કેઈ રોગને પ્રકાર તેમના દેહને પીડત કે જેથી તેમને માટે તપશ્ચર્યા માત્ર સ્વપ્નવત્ જ બની રહેલી. અને આ વાતને ઉપયોગ અન્ય જનોએ સૂરિસમ્રાટના સમુદાયનું ઓછું દેખાય તે અંગે સતત કર્યા પણ કરેલે, એ પણ પ્રસંગોપાત્ત અહીં ખેંધવું પડશે. પરંતુ તેમને અત્યંતર તપ-સ્વાધ્યાય-એ જ અનન્ય હતો, એમ કહેવું જ જોઈએ. પિતાની તપસ્યાની અશક્તિને તેઓ ખુલ્લંખુલ્લા એકરાર કરતા, અને તેના રંજ સાથે, તેને બદલે વાળ હોય તેવી રીતે, તેઓ રાતદિવસ સ્વાધ્યાયમાં વાયેલા રહેતા. દિવસના અજવાળાને છેવટ સુધી ઉપયોગ કરીને તેઓ વાંચતા, વાંચે જ જતા. તેમણે વાંચેલાં અને તેમાં ઠેર ઠેર નિશાનીઓ કરેલાં અઢળક-અગણિત પુસ્તકે આજે પણ પાંજરાપોળના ભંડારમાં જોવા મળે. કેઈક નવું પુસ્તક આવ્યું કે તેમણે બે ચાર દહાડામાં તે વાંચી લીધું જ હોય. અરે, કેઈ નવા પુસ્તકની ભાળ મળે, તો અનેકવિધ મથામણું કરીને પણ તે મંગાવી–મેળવી–વાંચીને જ તેમને જંપ વળત. પ્રાકૃત, સંસ્કૃત, ગુજરાતી, હિંદી, જૈન-જૈનેતર ગમે તે પ્રકારનું પણ તેમાંથી કાંઈક તત્ત્વબોધ મળી શકતો હોય, કાંઈ નવા પદાર્થો કે પદાર્થનિરૂપણની નવી રીત સમજવા મળે તેમ હોય, તે તેઓ વાંચવાનું કદી ચૂક્યા નથી. સાથે જ, પ્રાસંગિક ચોપાનિયાઓ કે સસ્તી અને સામાન્ય કે હલકા પ્રકારની ચોપડીઓને તેઓ સ્પેશ્ય પણ નથી. તેઓ જ્યાં બેઠા હોય ત્યાં કેરા કાગળો ને પેન્સિલ પડ્યા જ હોય. રાતે કે દહાડે, જ્યારે તેમને કેઈક પદાર્થ કે કૃતિ હૈયામાં ઊગે, ત્યારે અંધારામાં પણ કાગળ પર તેના નોધ્યા વિના ન રહે. પિતાના અભ્યાસકાળમાં અને પછી પણ, તેમણે સંસ્કૃત-પ્રાકૃતગુજરાતીમાં અસંખ્ય રચનાઓ કરી છે, તે આ રીતે રાત્રે પાઠ કે સ્વાધ્યાય પતે, પછી પાસે કાગળ-પેન્સિલ લઈને બેઠા કે સૂતા હોય; તે ક્ષણમાં મનમાં અવનવું સર્જન ઉગે, ત્યારે અંધારામાં જ તે કાગળ પર ટપકાવે. ઘણીવાર તો ભીંત ઉપર પંક્તિઓ લખી દે પછી સવારે તેને સારા અક્ષરે નોંધીને પેલું કાગળ કે ભીત પરનું લખાણ દૂર કરી વાળે. “ જૈન સત્યપ્રકાશ” માસિકના પ્રત્યેક અંકને આરંભ એમના પ્રાકૃત સ્તત્રકાવ્યથી થત. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004513
Book TitlePravachana Kiranavali Pistalisa agam Rahasya
Original Sutra AuthorN/A
AuthorVijaypadmasuri
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1987
Total Pages750
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_related_other_literature
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy