SearchBrowseAboutContactDonate
Page Preview
Page 378
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી જૈન પ્રવચન કિરણાવલી (૧. ઉપાંગ શ્રી ઓપપાતિક સૂત્રનો પરિચય) ૩૯ થયા, તે વખતે શ્રેણિક રાજાના રાજ્યકાલનાં ૩૩ વર્ષો વીત્યાં હતાં. ઉપર જણાવ્યા મુજબ શ્રેણિક ૨૦ વર્ષની ઉંમરે રાજા થયા હતા તે અપેક્ષાએ પ્રભુ વીર કેવલી થયા ત્યારે શ્રેણિક રાજાની ઉંમર ૫૩ વર્ષની ગણાય. એટલે ૨૦+૧૩=૧૩ આમાંથી ૪૨ વર્ષ, ૬ માસ અને ૧૫ દિન બાદ કરતાં ૧૦ વર્ષ પાંચ મહિના, ને પંદર દિવસ આવે. બંનેની ઉંમરમાં આટલો ફરક સમજવો. એટલે પ્રભુશ્રી મહાવીરદેવથી શ્રેણિક રાજા ૧૦ વર્ષ, ૫ માસ અને ૧૫ દિવસ મોટા હતા. ૪ શ્રેણિક રાજા ચેડા મહારાજના જમાઈ થાય, કારણ હૈહય વંશના તે ચેડા રાજાની જે ચલણ કુંવરી તે શ્રેણિક રાજાની પત્ની થાય. જ્યારે ચેલણાને હરણ કરી લાવ્યા, તે વખતે રાજા શ્રેણિકની ઉમર ૪૦ વર્ષની હતી. ત્રિશલા માતા ચેડા મહારાજાની બહેન થાય. આ રીતે પૂર્વાવસ્થાની અપેક્ષાએ પ્રભુશ્રી મહાવીર દેવના શ્રેણિક રાજા બનેવી થાય ને ચટક (ચેડા) મહારાજા મામા થાય, ૫. શ્રેણિક મહારાજાને એક વખત અનાથી મુનિને સમાગમ થયો ત્યારે તે હજુ જૈનધર્મ પામ્યા ન હતા એટલે બૌદ્ધધમી હતા. તેણે અનાથી મુનિને સંસારમાં ખેંચવા માટે બહુ સમજાવ્યા ને કહ્યું કે તમારે કઈ નાથ ન હોય, તે હું તમારો નાથ થવા તૈયાર છું. આ પ્રસંગે સંયમવીર અનાથી મુનિએ શ્રેણિક રાજાને નાથ થવાની યથાર્થ લાયકાત કોણ ધરાવી શકે? આ પ્રશ્નનો ઉત્તર વિસ્તારથી સમજાવ્યો. વચમાં પ્રસંગે જૈનધર્મનું યથાર્થ સ્વરૂપ સમજાવતાં જૈનધમી બન્યા. બીજા ગ્રંથમાં એમ પણ જણાવ્યું છે કે સુષ્ઠાથી નાની ચલણા રાણીએ દેવ-ગુરુ-ધર્મનું સ્વરૂપ સમજાવ્યું, તેથી શ્રેણિક રાજા જૈનધમી થયા. તે પછી કેટલાક વર્ષો બાદ પ્રભુશ્રી મહાવીર દેવ કેવલી થયા, ૬. રાજ્ય મળ્યા પછી શ્રેણિકની સાથે ધારિણી કુંવરીના લગ્ન થયા. ૭. વાહીકળદીપક શ્રેણિક રાજાને રાજા થયે ૧૫ વર્ષો વીત્યા બાદ અભયકુમારનો જન્મ થયો, તે વખતે શ્રેણિક રાજાની ઉંમર ૩૫ વર્ષની ગણાય. ૮. સુનંદા (અભયકુમારની માતા)ના પિતાનું નામ ઇદ્રદત્ત શેઠ. ૯. બેનાતટથી ૨૦ દિવસે માતા સુનંદાની સાથે અભયકુમાર રાજગૃહી નગરિમાં પિતાના પિતાને મળ્યું. તે વખતે તેની ઉંમર લગભગ ૧૫ વર્ષની હતી. રાજા શ્રેણિકની ઉમર ૫૦ વર્ષની, અને સુનંદાની ઉંમર ૩ર વર્ષની હતી. ૧૦. શ્રેણિક રાજાનું બીજું નામ નાની ઉંમરમાં ભંભસાર હતું છતાં કેટલાક ગ્રંથોમાં બિબિસાર નામ પણ જણાવ્યું છે. ૧૧. અજાતશત્રુ અને અશેક એ બે કોણિક રાજાના અપર નામ છે, ૧૨. શ્રેણિક રાજાને સુરસેના નામે બહેન હતી. તેની પુત્રી સાથે અભયકમારના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004513
Book TitlePravachana Kiranavali Pistalisa agam Rahasya
Original Sutra AuthorN/A
AuthorVijaypadmasuri
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1987
Total Pages750
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_related_other_literature
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy