SearchBrowseAboutContactDonate
Page Preview
Page 377
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૨૮ શ્રીવિજયપધસૂરીશ્વરકૃત દાસીની મારફત ઉકરડામાં મુકાવ્યો. ત્યાં થોડી વાર રહ્યો એટલામાં કૂકડાએ તેની આંગળી કરડી હતી. રાજાએ આ હકીકત જાણુ ચેલાણને ઠપકે આપે ને તેને પાછા મંગાવી ચેલાણાને સોં. આ રીતે કૂકડાએ આંગળી કુણિત એટલે ખંડિત કરી તેથી તેનું કેણિક નામ પાડયું. એ જ પ્રમાણે શ્રેણિક વગેરે કુંવરની બુદ્ધિની પરીક્ષા કરવા માટે શ્રેણિકના પિતા પ્રસેનજિત રાજાએ પોતાના એક મહેલમાં જ્યારે લાહ્ય લાગી, ત્યારે તે બળતા મહેલમાંથી સાર સાર (કિંમતી) પદાર્થો લઈને જલદી બહાર નીકળી જવા માટે ફરમાવ્યું. તે વખતે બીજા કુમારે હાથી વગેરે લઈને બહાર નીકળી ગયા. પણ મહાબુદ્ધિશાલી શ્રેણિક પિતાને આશય સમજીને એક પ્રભાવશાલી વિક ભેરી જ લઈને બહાર નીકળી ગયો, ને પિતાની પાસે આવ્યો. આ કુંવર (શ્રેણિક) મહાબુદ્ધિશાળી, ને રાજ્યને લાયક છે. ” એમ મનમાં સમજતા એવા પિતાએ બધા કુંવરની આગળ શ્રેણિકકુમારની હાંસી કરીને ભભસાર (ભંભાસર) નામ પાડયું, જેણે ભેરીને સાર ( ઉત્તમ) ગણી હતી તે ભંભાસાર કહેવાય. અનુક્રમે શ્રેણિકકુમાર પિતાના ગુજરી ગયા બાદ રાજા થયા. શરૂઆતમાં તે બૌદ્ધધમી હતા, પણ રાણી ચેલણાના ઉપદેશથી અને અનાથી મુનિના સમાગમ ઉપદેશાદિથી તે જૈનધમી બન્યા. બીજા ગ્રન્થોમાં કહ્યું છે કે પ્રભુશ્રી મહાવીરદેવના ઉપદેશ શ્રવણાદિથી દઢ જેનધમી બન્યા. તે એટલે સુધી કે દરરોજ સવારે “અમુક દિશામાં પ્રભુશ્રી મહાવીરદેવ વિચરે છે, 22 એવી ખબર મળે, ત્યારે તે દિશામાં સ્વસ્તિકાદિ વિધિ જાળવી ચૈત્યવંદન કરતા હતા. એ શ્રીઅરિહંતપદની ઉપર તેમને અપૂર્વ પ્રેમ હતો એમ જણાવે છે. તે ગુણગ્રાહી હતા, ને જિનશાસનની પ્રભાવના કરવામાં તીવ્ર ઉદ્યમવંત હતા. શ્રેણિકરાજાએ શ્રીઅરિહંતપદની આરાધનાથી જિનનામ કમ બાંધ્યું ને એમ સંભવ છે કે શ્રીજિનશાસનની પ્રભાવના, જિનભક્તિ, સાધુભક્તિ વગેરેમાંના કેઈ પણ કારણથી ક્ષાયિક સમ્યકત્વ પામ્યા એટલે કયા કારણે તે ક્ષાયિક સમ્યકત્વ પામ્યા તે હકીકત જાણવામાં આવી નથી, પણ ક્ષાયિક સમ્યગ્દષ્ટિ તે જરૂર હતા જ એ વાત નિ:સંદેહ છે. પ્રભુશ્રી મહાવીરના અને શ્રેણિક રાજાના જીવનને અંગે સમ્રાટ ચંદ્રગુપ્ત વગેરે ઐતિહાસિક ગ્રંથમાંથી જાણવા જેવી બીના મળેલી તે ભવ્ય જીને બોધદાયક જાણી નીચે પ્રમાણે જણાવું છું— ૧. શ્રેણિક રાજા ર૦ વર્ષની ઉંમરે રાજ્ય પામ્યા. ૨. ગૌતમબુદ્ધ ર૧ વર્ષના હતા ત્યારે પ્રભુશ્રી મહાવીરદેવને જન્મ થયો. એટલે ઈ. સ. પૂર્વે ૫૯૮મા વર્ષે પ્રભુશ્રી મહાવીરનો જન્મ થયો. ઈસ્વીસન પૂર્વે પ૯૮માં પ્રભુશ્રી મહાવીરદેવે દીક્ષા લીધી. પ્રભુશ્રી મહાવીરદેવથી ગૌતમબુદ્ધ ૨૧ વર્ષ મોટા હતા. ૩. પ્રભુશ્રી મહાવીરદેવ ૪ર વર્ષ, ૬ મહિના ને ૧૫ દિવસની ઉંમરે કેવલી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004513
Book TitlePravachana Kiranavali Pistalisa agam Rahasya
Original Sutra AuthorN/A
AuthorVijaypadmasuri
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1987
Total Pages750
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_related_other_literature
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy