SearchBrowseAboutContactDonate
Page Preview
Page 357
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૮ શ્રીવિજ્યાદ્રસૂરીશ્વરક્ત ગણિતના દાખલા કરતાં આવડે જ નહિ, તેવી રીતે સૂત્ર વગેરેનું સ્વરૂપ સમજવા માટે સાધનભૂત પરિકને કહ્યો છે. એટલે પરિકને જાણનારા જેવો જ સૂત્ર, પૂર્વગત, પૂર્વાનુયોગને ભણવા લાયક કે સમજવા લાયક થઈ શકે છે. તેના મૂલ સાત ભેદો અને ૮૩ ઉત્તર ભેદો અહીં કહ્યા છે. તે તમામ ભાગ સૂત્રથી અને અર્થથી વિદ પામ્યા છે. આ સાત પ્રકારના પરિકમમાં પ્રથમના ૬ પરિકર્મો સ્વસમય સંબંધી જ છે, અને ગોશાળકે પ્રવર્તાવેલા આજીવિક નામના પાખંડી સિદ્ધાંતના મતે તો મૃતામ્યુત શ્રેણિકા' નામના પરિકમ સહિત સાતે પરિકમે કહેલા છે. હવે તે સાતે પરિકર્મને વિષે નયની વિચારણા કરે છે–તેમાં નૈગમનય બે પ્રકારે છે. સાંપ્રાહિક અને અસાંઝાહિક, તેમાં જેનો સમાવેશ સંગ્રહનયમાં થાય છે તે સાંઝાહિક નૈગમ કહેવાય. અને જેને સમાવેશ વ્યવહાર નયમાં થાય છે તે અસાંગાહિક નૈગમ કહેવાય, તેથી કરીને ૧, સંગ્રહ, ૨. વ્યવહાર, ૩. જુસૂત્ર, ૪. શાબ્દાદિ ત્રણને એક જ પ્રકાર ગણવો, એમ ચાર ન માનેલા છે. આ ચારે નય વડે કરીને સ્વસમયસંબંધી ૬ પરિકર્મો વિચારાય છે. વળી તેઓ જ આજીવિક એટલે ત્રિરાશિવાળા કહેલા છે. શાથી? તે કહે છે, કારણ કે તેઓ સર્વ પદાર્થો ત્રણ ત્રણ સ્વરૂપવાળા છે, એમ કહે છે. જેમકે જીવ, અજીવ અને છવાછવ; લોક, અલેક અને લોકાલેક; સત, અસત, અને સદસત, વગેરે. વળી તેઓ ૧. દવ્યાર્થિક, ૨. પર્યાયાર્થિક, ૩. ઉભયાર્થિક, આ રીતે ત્રણ ન સ્વીકારે છે. તેથી તેઓ સાત પરિકને ત્રણ પ્રકારના નો વડે વિચારે છે. આ રીતે પરિકર્મનું સ્વરૂપ જાણવું - ૨. હવે બીજા સૂત્ર નામના ભેદનું સ્વરૂપ આ પ્રમાણે જાણવું-જે થોડા શબ્દોમાં સર્વદ્રવ્ય, પર્યાય અને નય વગેરે અર્થને સૂચવે એટલે જણાવે તે સૂત્ર કહેવાય. અહીં તેવાં ૮૮ સૂત્રો છે. તે બધાં સૂત્રથી અને અર્થથી વિદ પામ્યા છે, તો પણ બીજા ગ્રંથને અનુસારે કાંઈક સ્વરૂપ જણાવું છું. આ રીતે આ ૨૨ સૂત્રો છિન્ન છેદનયને આશ્રીને સ્વસમયના સૂત્રની પરિપાટીએ કહ્યાં છે. અહીં જે નય છિન્ન એવા સૂત્રને છેદ વડે ઇછે છે તે છિન્નદ નય કહેવાય છે. જેમકે ધબ્બો મંઝિમુવિ ઇત્યાદિ લોક, સૂત્રથી અને અર્થથી છેદ કરીને (જુદાપણાએ કરીને) રહેલ છે. તે શ્લેક બીજા ત્રીજા શ્લોક વગેરેમાંના કેઈ પણ શ્લોકની અપેક્ષા રાખતા નથી, એટલે કે તે દરેક કરે છે. તેનો અર્થ પૂરે થાય છે, તેથી બીજા શ્લોકની અપેક્ષા રાખતા નથી. આ બાવીશ સૂત્રો સ્વસમયની સૂત્રની પરિપાટીએ રહેલાં છે. તથા એ જ બાવીશ સુત્રો અછિન છેદ નયવાળા આજીવિક સૂત્રની પરિપાટીએ રહેલાં છે. આનો ભાવાર્થ આ પ્રમાણે જાણી-અહીં જે નય છેદ વડે અછિન્ન સૂત્રને ઇચછે છે, તે અછિન્નછેદનય કહેવાય છે. જેમ કે ઘ ામુ ઇત્યાદિ લેક અર્થ થકી (અને આશ્રીને) બીજા ત્રીજા લેાકની અપેક્ષા કરનાર છે અને બીજો ત્રીજો વગેરે શ્લોકો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004513
Book TitlePravachana Kiranavali Pistalisa agam Rahasya
Original Sutra AuthorN/A
AuthorVijaypadmasuri
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1987
Total Pages750
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_related_other_literature
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy