SearchBrowseAboutContactDonate
Page Preview
Page 347
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૯૮ શ્રીવિજયપધસૂરીશ્વરકૃત છતાં તેમાં તે નિષ્ફલ નીવડી. આ અવસરે તેને જન્મ થતાં માતા હીની, ત્યારે તેના પતિએ કહ્યું કે પુત્રને ભેંયરામાં રાખી સાચવો. આ પ્રસંગે પ્રભુએ મૃગાપુત્રની નાડી આદિનું સ્વરૂપ જણાવ્યું છે. અંતે કહ્યું કે અહીંનું આયુષ્ય પૂર્ણ કરી સિંહાદિ રૂપે સંસારમાં ભમશે. આ રીતે પાપકર્મોને ક્ષય થતાં અંતે સુપ્રતિષ્ઠાનનગરે જન્મી અનુક્રમે દીક્ષાની આરાધના કરીને સૌધર્મ દેવલોકે દેવપણું અનુભવી મહાવિદેહે સિદ્ધ થશે. હિતશિક્ષા હે જીવ! પ્રજાની ઉપર કરવેરા નાંખવા વગેરે સ્વરૂપે પ્રજાને બહુ જ હેરાન કરવાથી મૃગાપુત્રને પિતાના ચાલુ માનવ ભવમાં નરકના જેવી ભયંકર વેદના ભોગવતાં છતાં પણ તેનો છેડો આબે નહિ, પણ સિંહાદિના ભવોમાં પણ તેને બહુ જ દુઃખ ભોગવવું પડયું. એ બધાં પાપકર્મોનાં ફલો સમજીને તું કદાચ રાજ્યાદિ પામ્યો હોઉં, તે તે વખતે પ્રજાને કનડીશ નહિ, પુત્રના જેવી ગણીને તેનું પાલન કરજે ને તેનો આશીર્વાદ લેજે. મરતાં છતાં પણ સૌ કઈ ભલા માણસેના ગુણને સંભારે છે. બીજાને સુખશાંતિ દેવાથી જ સુખશાંતિ મળી શકે છે. દુ:ખ દેનારાને દુ:ખ જ મળે. વ્યાજબી છે કે “વાવે તેવું લણે, ને કરે તેવું પામે. ? ૨. બીજા ઉજિઝતક નામના અધ્યયનમાં કહ્યું છે કે વાણિજય નામના ગામમાં સુધર્મ નામના યક્ષનું મંદિર હતું. અહીંના મિત્ર નામે રાજાને શ્રી નામે રાણી હતી. અહી કામદેવજ નામે ગણિકા ( વેશ્યા) રહેતી હતી. આ પ્રસંગે વેશ્યાનું વર્ણન કરીને કહ્યું કે વિજ્ય મિત્ર સાર્થવાહને ઉજિઝતક નામે પુત્ર હતા. એક વખત શ્રી ગૌતમસ્વામી પ્રભુની સાથે અહીં આવ્યા. તે પ્રભુની આજ્ઞા લઈ ગોચરી વહોરવા નીકળ્યા, તે વખતે રાજમાર્ગમાં તે ઉજિઝતકના હાથ બાંધીને સિપાઈએ તેના શરીરના તલ તલ જેવા ટુકડા કરીને તેણે કરેલો ગુનો પ્રજાને જણાવતા હતા. આ બનાવ જોઈને શ્રીગૌતમસ્વામી પ્રભુની પાસે આવીને પૂછવા લાગ્યા કે આને આવું દુઃખ ભોગવવાનું કારણ શું? તેના જવાબમાં પ્રભુએ કહ્યું કે હે ગૌતમ! હસ્તિનાપુર નામના નગરમાં સુનંદ નામે એક મનુષ્ય રહેતો હતો, ત્યાં ગોમંડપ હતો, જે સ્થલે ગા બેસીને વિસામો લે તે ગામંડપ કહેવાય. આ નગરના રહીશ ભીમ નામના કૂટગ્રાહી (મચ્છીમાર વગેરેમાંની એક હલકી જાતિના મનુષ્ય) ની ઉત્પલા નામની ભાર્યાને ખરાબ ગર્ભના પ્રભાવે ગાયનું માંસ ખાવાનો દેહલો થયો. ભીમે તે ગમંડપમાંથી માંસ લાવીને તે દેહલે પૂર્યો. તે બેલે ત્યારે ગાયો ત્રાસ પામતી હતી, તેથી તે ભીમનું ગોત્રાસ નામ પ્રસિદ્ધ થયું, ગાયનું માંસ ખાવું, વગેરે પાપ કર્મો કરીને તે ભીમ નરકે ગયો. અહીંથી નીકળીને તે ભીમને જીવ વિજય મિત્ર સાર્થવાહની ભદ્રા ભાર્યાને પુત્ર થશે. માતાએ તેને ઉકરડામાં ત્યાગ કર્યો હતો, તેથી તે ઉચ્છિતક Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004513
Book TitlePravachana Kiranavali Pistalisa agam Rahasya
Original Sutra AuthorN/A
AuthorVijaypadmasuri
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1987
Total Pages750
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_related_other_literature
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy