SearchBrowseAboutContactDonate
Page Preview
Page 346
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી જૈન પ્રવચન કિરણાલી (૧૧. શ્રી વિપાક સૂવાંગને પરિચય) રહ૭ પહેલા મૃગાપુત્ર અધ્યયનને ટ્રેક પરિચય ચાર જ્ઞાનવાળા શ્રી સુધર્માસ્વામીને ચંપાનગરીની બહાર ઉદ્યાનમાં શ્રીજબૂસ્વામીએ આ વિપાક સૂત્રનો અર્થ પૂછયો. શ્રી સુધર્માસ્વામી ગણધરે અનુક્રમે પહેલા શ્રતસ્કંધના મૃગાપુત્ર અધ્યયન વગેરે ૧૦માંના પહેલા મૃગાપુત્ર અધ્યયનમાં મૃગાપુત્રે પાછલા ભવમાં કરેલાં પાપ કર્મોનાં ફલો અહીં ભેગવ્યા, તે હકીકત જણાવી છે. તેમાં મૃગાપુત્રનું સ્વરૂપ જણાવતાં કહ્યું કે તેને યરામાં રાખ્યો હતો. અને તે જન્મથી આંધળો હતે. તથા તે દયાજનક સ્થિતિમાં પિતાનું દુઃખમય જીવન રીબાઈ રીબાઈને પૂરું કરતો હતો. વિજય ક્ષત્રિય બહાર ફરવા નીકળે, તે અવસરે રાજમાર્ગ થઈ એક જન્માંધ પુરુષ ચાલ્યો જતો હતો. તેને આહાર પાણી વહોરવા નીકળેલા શ્રીગૌતમસ્વામીએ જોયો. તેમણે પ્રભુની પાસે આવી જાલંધની હકીકત પૂછી, તેનો જવાબ દેતાં પ્રસંગે પ્રભુએ મૃગાપુત્રની હકીકત જણાવી. તે સાંભળી શ્રીગૌતમસ્વામી મૃગાપુત્રને જોવા તેના સ્થાને ગયા. ત્યાં જઈ તેમણે મૃગ રાણીને ભોંયરામાં રહેલા મૃગાપુત્રને જોવાની ઇચ્છા જણાવી. તે વખતે ભેજનની ગાડી લઈને તે (મૃગાપુત્રની માતા) ત્યાં આવી ત્યારે તેણીએ શ્રીગૌતમ ગણધરને મુખ નાક બંધ કરવા સૂચના કરી. તેનું કારણ એ હતું કે ભોંયરામાં રહેલા મૃગાપુત્રના શરીરની દુર્ગધ બહુ જ ઊછળતી હતી. તે સહન ન થઈ શકે તેવી હતી. તેની ખરાબ અસર ન થાય, આ મુદ્દાથી મૃગ રાણીએ શ્રીગૌતમસ્વામીને મુખ વગેરેને બંધ કરવાની સૂચના કરી હતી. ભોંયરામાં જઈ શ્રીગૌતમસ્વામીએ મૃગાપુત્રના આહારાદિ જોયા. અને તેની નારકીના જેવી હાલત પણ જોઈને કર્મોની વિચિત્ર પરિસ્થિતિને વિચાર કરી બહુ જ વૈરાગ્યને ધારણ કરનારા શ્રીગોતમ ગણધરે પ્રભુ શ્રી મહાવીરને આ બીના જણાવી. પછી તેમણે પ્રભુને મૃગાપુત્રનો પૂર્વ ભવ પૂછયો. તેના ઉત્તરમાં પ્રભુએ જણાવ્યું કે જેના તાબામાં ૫૦૦ ગામો હતા, એ ઈકકાઈ નામનો રાઠેઠ શતકાર નગરની નજીક આવેલા વિજય વર્ધમાન નામના બેટ (ગામ)માં રહેતો હતો. તે ધનવંત અને બહુ જ અધમી હતો, તેથી પ્રજાની ઉપર નવા નવા કરવેરા વગેરે નાંખી પ્રજાને કનડતો હતો. આ કરેલા હિંસાદિ પાપકર્મોને ઉદય થતાં તેને શરીરમાં સાલ રગે પ્રકટ થયા. તેને મટાડનાર વૈદ્યની તપાસ કરવા ગામમાં ઉદ્દઘોષણા કરાવી. તે સાંભળી આવેલા વૈદ્યોના કહ્યા પ્રમાણે તેલ વગેરેનું ચાળવું ઇત્યાદિ ઉપાયો કરતાં છતાં પણ વેદના ઓછી થઈ નહીં. અંતે બહુ રીબાતાં રીબાતાં ૫૦ વર્ષોનું આયુષ્ય પણ કરી પહેલી રત્નપ્રભા નરકમાં નારકી થયે હે ગૌતમ! ત્યાંનું આયુષ્ય પણ કરી તે અહીં મૃગાપુત્રપણે માતાના ગર્ભમાં આવ્યા, તેને (માતાને) તે ગભર જીવ અનિષ્ટ લાગ્યો. તેથી તેની માતાએ ગર્ભપાતાદિ કરવા માટે ઘણાં ઉપાયો કર્યા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004513
Book TitlePravachana Kiranavali Pistalisa agam Rahasya
Original Sutra AuthorN/A
AuthorVijaypadmasuri
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1987
Total Pages750
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_related_other_literature
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy