SearchBrowseAboutContactDonate
Page Preview
Page 339
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીવિજયપદ્ધસૂરીશ્વરકૃત આ દશમા અંગમાં તે સર્વ મંત્રાદિની બીના પણ પહેલાં કહેલી હતી. કાલાદિના દોષથી તે ભાગ વિરછેદ પામ્યો, તેથી હાલ આશ્રવ સંવરની બીનાને જણાવનારા ૧૦ અધ્યયનો જ અહીં બાકી રહ્યાં છે. તેમાં ૧. પહેલા પ્રાણતિપાત નામના અધ્યયનની શરૂઆતમાં મંગલ વગેરેનું વર્ણન કરીને આશ્રવ સંવરનું વર્ણન કરવાની પ્રતિજ્ઞા કરી છે. તેમાં આશ્રોને કહેતાં પહેલા પ્રાણાતિપાતનું સ્વરૂપ, તેનાં જુદાં જુદાં નામો કહીને જણાવ્યું છે કે ચમાર વગેરે હલકી કેટીના છ ચામડું, ચરબી વગેરે મેળવવા માટે એની હિંસા કરે છે. પછી પૃથ્વીકાયાદિ પાંચેની હિંસાના કારણે જણાવીને કહ્યું કે માછીમાર શક વગેરે સ્કેચ છ છવોને નિર્દય ભાવે હણ નરકાદિ દુર્ગતિમાં જઈ આકરાં દુઃખ ભોગવે છે. કદાચ મનુષ્ય થાય તો તેમાં ખરાબ પરિસ્થિતિવાળા તેઓ બહુ જ આધિ વ્યાધિ ઉપાધિના બહુ જ દુઃખ ભેગવે છે. એટલે હિંસાના કારણે ફલ વગેરેનું વિસ્તારથી વર્ણન કર્યું છે. ૨. બીજા મૃષાવાદ નામના અધ્યયનમાં મૃષાવાદનું સ્વરૂપ અને તેનાં નામે કહીને જણાવ્યું છે કે ૧, નાસ્તિક, ૨. પંચસ્કંધવાદી, ૩. પુણ્યાદિના ફલને નહિ માનનાર છ, ૪-૫. ઈંડામાંથી અને બ્રહ્માથી જગતની ઉત્પત્તિ માનનારા, ૬. વૈષ્ણ, ૭. એકાત્મવાદી, ૮, અકારકવાદી, ૯, બીજાની ઉપર ખેડું આળ દેનારા છે, ૧૦. કન્યા વગેરેની બાબતમાં જૂઠું બોલનારા છો, ૧૧, જીવને હણવામાં પાપ નહિ માનનારા છો, ૧ર. અનર્થદંડને ઉપદેશ દેનારા છે તથા ૧૩. અનર્થ. દંડની અનુમોદના કરનારા છે, આ તેર પ્રકારના છ તથા તેવા પ્રકારના બીજા પણ છવો જૂઠું બોલે છે. અહીં અંડવાદ સ્વયંભૂવાદનું સ્વરૂપ ટૂંકામાં જણાવીને સર્વ જગત વિષ્ણમય છે. આ મતનું સ્વરૂપ ટૂંકામાં કહ્યું છે, તેને અનુસરતી માકડઋષિની ગાથાઓ કહીને જૂઠું બોલવાના કડવા ફલ વગેરે બીના પણ સ્પષ્ટ સમજાવી છે. ટૂંકમાં એમ પણ કહી શકાય કે જેમ પહેલા અધ્યયનમાં ૧. હિંસાનું સ્વરૂપ, ૨. હિંસાનાં ૩૦ નામ, ૩. હિંસા કરવાનાં કારણે, ૪, હિંસાનું ફલ, ૫. હિંસા કરનારા જીનું સ્વરૂપ કહેવા રૂપ પાંચ દ્વારે (અને નરકની પીડા વગેરે ) કહ્યા છે. તે જ પ્રમાણે અહીં બીજા અધ્યયનમાં પણ ૧. મૃષાવાદનું સ્વરૂપ, ૨. મૃષાવાદનાં ૩૦ નામ, ૩, અસત્ય બોલનારા સ્વરતીર્થક જીનું સ્વરૂપ, ૪, અસત્ય બલવાનાં કારણે તથા ૫. અસત્ય બોલવાનું ફલ વગેરે બીના વિસ્તારથી સમજાવી છે. ૩. ત્રીજા અદત્તાદાન નામના અધ્યયનમાં ૧૦ અદત્તાદાન (ચારી)નું સ્વરૂપ, ૨. અદત્તાદાનનાં ત્રીસ નામ, ૩, અદત્તાદાનના કારણે, ૪, અદત્તાદાનનું ફલ, પ. ચોરી કરનારા પરધનના લોભિયા રાજાઓ, ચાંચિયા વગેરેના આ ભવના તથા પરભવના દુ:ખનું વર્ણન, સંસારને સમુદ્રની ઉપમા દઈને બંનેની સરખામણું વગેરે બીના વિસ્તારથી સમજાવી છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004513
Book TitlePravachana Kiranavali Pistalisa agam Rahasya
Original Sutra AuthorN/A
AuthorVijaypadmasuri
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1987
Total Pages750
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_related_other_literature
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy