SearchBrowseAboutContactDonate
Page Preview
Page 336
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી જૈન પ્રવચન કિરણાવલી (૯. શ્રી અનુત્તરાપપાતિક દશાંગ સૂત્રના પરિચય ) ૨૮૭ અધ્યયને તે તે ન્યાદિના નામથી આળખાય છે. પહેલુ. અધ્યયન માટું છે. તેમાં કહ્યું છે કે કાક દી નગરીમાં રહેનારી ભદ્રા માતાના પુત્ર ધન્ય કુમારે શ્રીમહાવીરદેવ ત્યાં પધારતાં તેમની પાસે જઈ દેશના સાંભળી પ્રતિાષ પામી ભદ્રામાની આજ્ઞા ઘણી મહેનતે મેળવી જિતશત્રુ રાજાએ કરેલા દીક્ષામહાત્સવથી દીક્ષા લીધી. તે જ દિવસથી છઠ્ઠ છઠ્ઠ તપને પારણે આંખેલ કરવાના અભિગ્રહ કર્યાં, તેમાં પણ એવે નીરસ આહાર લીધેા, જેથી ફક્ત આઠ જ મહિનામાં તે મુનિના શરીરમાં માત્ર હાડકાં જ દેખાવા લાગ્યા. ધન્ય મુનિના શરીરના દરેક અંગેાપાંગનું વર્ણન સૂત્રકારે બહુ જ વિસ્તારથી આપ્યું છે. તે વાંચતાં ત્યાગ ધનું ખરુ રહસ્ય સમજાય છે. એક વખત પ્રભુ શ્રીમહાવીરદેવ રાજગૃહીએ પધારતાં શ્રેણિક રાજાએ ચૌદ હજાર મુનિવરોમાં કયા મુનિ મહાદુષ્કર કાર્યને કરનારા અને મહાનિર્જરા કરનારા છે ! એમ પૂછતાં પ્રભુએ ધન્ય મુનિ જણાવ્યા. શ્રેણિક રાજાએ તેનું કારણ પૂછતાં પ્રભુએ તેણે કરેલી દુષ્કર તપસ્યાનું અને તેના શરીરની સ્થિતિનુ વર્ણન કરી સ્પષ્ટ જણાવ્યું કે તે ધન્ય અણગાર ચૌદ હજાર મુનિએમાં મહાદુષ્કર કાર્ય કરનાર અને કર્માંની મહાનિજા કરનાર છે. તે સાંભળી શ્રેણિક રાજાએ તે મુનિની પાસે જઈ વંદના નમસ્કાર કર્યાં, પછી સ્વસ્થાને ગયા. એક વખત રાતે ધન્ય મુનિને અનશન કરવાની ઇચ્છા થઈ. સવારે પ્રભુની આજ્ઞા લઈ સ્થવિર મુનિવરોની સાથે વિપુલાચલ પર્વત ઉપર ચડી અનશન કર્યુ. એક માસને અંતે કાળ કરીને સર્વાસિદ્ધ વિમાનમાં દેવપણે ઉત્પન્ન થયા. ત્યાંથી ચી મહાવિદેહ ક્ષેત્રમા ચારિત્ર લઈને સિદ્ધ થશે, એ જ પ્રમાણે બીજા મુનક્ષત્ર મુનિની ભીના જાણવી. તે પણ કાક'દી નગરીમાં ભદ્રા માતાના પુત્ર હતા. શ્રીવીર પ્રભુ પાસે ચારિત્ર લઈ અહુ વર્ષોં સુધી પાળી વિપુલાચલ પર્વત પર અનશન કરી સર્વાસિદ્ધ વિમાનમાં ધ્રુવ થયા. ભાકીના ૮ મુનિએ પણ તે જ પ્રમાણે એકેક માસનું અનશન કરીને વિપુલાચલ પર્ કાળ કરીને સર્વાં સિદ્ધે દેવ થયા. ત્યાંથી ચવીને મહાવિદેહે સિદ્ધ થશે, આ દશ મુનિમાં પ્રથમના એ મુનિઓની જન્મભૂમિ કાકદી, પછીના બેની (૩-૪ની) અને ૧૦મા મુનિની રાજગૃહી, પાંચમા છઠ્ઠા મુનિની સાકેતપુર, સાતમા આઠમા મુનિની વાણિજય ગ્રામ અને નવમા મુનિની જન્મભૂમિ હસ્તિનાપુર છે. તેમાં નવ મુનિઓની માતા ભદ્રા કહી, તે જુદી જુદી વ્યક્તિ જાણવી, (પિતાનું નામ આપ્યું નથી. સંભવ છે કે કદાચ તે વખતે હયાત ન હોય) દશમા વેહુલ્લ કુમારને પિતા હતા. તેથી રજા લીધી હતી, અને તે જ પિતાએ દીક્ષામહાત્સવ કર્યાં હતા. અહીં પિતાનું નામ જણાવ્યુ` નથી, માતા કદાચ હયાત ન હોય, એમ સભવ છે. આ દશ મુનિવરોમાં ધન્ય મુનિએ નવ મહિના સુધી ચારિત્રની નિલ આરાધના કરી છે, છેલ્લા વેહલ્લમુનિના ચારિત્ર પર્યાય ૬ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004513
Book TitlePravachana Kiranavali Pistalisa agam Rahasya
Original Sutra AuthorN/A
AuthorVijaypadmasuri
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1987
Total Pages750
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_related_other_literature
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy