SearchBrowseAboutContactDonate
Page Preview
Page 322
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી જૈન પ્રવચનકિરણાલી (૭. શ્રી ઉપાસકદશાંગ સૂત્રનો પરિચય) ૨૭૩ નંદિનીપિતા, અને તેતલી (સાલિહી) પિતા નામના ચાર શ્રાવકોને ઉપસર્ગો થયા નથી. બાકીના ૬ શ્રાવકોને ઉપસર્ગો થયા છે. પહેલા આનંદ શ્રાવકને શ્રીગૌતમ ગણધરની સાથે અવધિજ્ઞાનની બાબતમાં પ્રશ્નોત્તરો થયા. અને છઠ્ઠા કંડોલિક શ્રાવકને દેવની સાથે ધાર્મિક ચર્ચા થઈ. દશે શ્રાવકો વિધિપૂર્વક બંને પ્રતિકમણ, ત્રિકાલ જિન પૂજા, દાન, શીલ, તપ, ભાવ, ગુરુભક્તિ, સ્વાધ્યાય, સંયમ, જિનાજ્ઞાપાલન, પર્વ દિવસોમાં પીધાદિ ધાર્મિક ક્રિયાની આરાધના, નમસ્કાર મંત્રનું સ્મરણ, પરોપકાર, યતના, ( જયણા), સાધર્મિક વાત્સલય, વ્યવહારશુદ્ધિ, રથયાત્રા, તીર્થયાત્રા, ઉપશમ, વિવેક, સંવર, ભાષાદ સમિતિ, દયા, ઘાએક જનોની સેબત, ઇંદ્રિયદમન, સર્વવિરતિ ચારિ. ત્રને આરાધવાની તીવ્ર ઉકંઠા, ચતુર્વિધ સંઘની ઉપર બહુમાન, શ્રી જેનાગમાદ શાને લખાવવા. તીર્થપ્રભાવના, સદાચારી પુરુષનાં ગુણગાન, નિંદા કરવાના પ્રસંગે કે સાંભળવાના પ્રસંગે મૌન રહેવું ને મુંગા જેવા બની જવું, આત્મસ્વરૂપની વિચારણું વગેરે ઉત્તમ જ્ઞાનક્રિયાગભુત સગુણેના પ્રતાપે ધર્મવીર બનીને જેવી રીતે આત્મોન્નતિ સાધી ગયા, તેવી રીતે ભવ્ય છે શ્રાવક ધર્મને સાધે, તો તેઓ પણ નિજગુણ રમણતામય મુક્તિના અવ્યાબાધ સુખ જરૂર પામી શકે છે. આ પ્રમાણે શ્રીઆચાર્ય ભગવંત વગેરે સદગુરૂઓના ઉપદેશને સાંભળીને હાલ પણ કેટલાએક પુણ્યશાલી ભવ્ય જીવો ભરજુવાનીમાં ચોથા વ્રતનું ઉચ્ચરવું, યથાશક્તિ બાકીના સ્થૂલ અહિંસાદિ વ્રતોને નંદી (નાણ) મંડાવીને શ્રી ગુરુમહારાજની પાસે સ્વીકારી આરાધવા, પર્વ દિવસોમાં પૌપધ વગેરે, થોડો ટાઈમ કે વધારે ટાઈમ ઠામ ચેવિહાર એકાસણું (એકાસણું કરતાં જ પાણી પી લઈ પછી પાણી ન પીવું તે) ચેથભક્ત, (વચમાં વિહાર કે તિવિહાર ઉપવાસ હોય, ને તેની પહેલાંના દિવસે, તથા પારણાના દિવસે એકાસણું) ને સામાયિકમાં શ્રી જિનવરભાષિત આગનું ગુણવંત જ્ઞાની શ્રી ગુરૂમહારાજની પાસે સાંભળવું, સાધુ-સાધ્વી વગેરે સાતે ક્ષેત્રોનું પોષણ, પરોપકાર, તીર્થયાત્રા, સવાર સાંજ આવશ્યક (પ્રતિક્રમણ), દાનાદિ ચાર પ્રકારના ધર્મની યથાશક્તિ આરાધના કરે છે. તેવી તે બીજા ચાર ભરત, પાંચ અરવત, પાંચ મહાવિદેહ ક્ષેત્રોમાં પણ ઘણાં શ્રાવકો શ્રાવકધર્મ સાધી રહ્યા છે, કરી રહ્યા છે. આ સાતમા અંગના રચનાર સુધર્માસ્વામીને જન્મ. ઈ. સ. પૂર્વે ૬૦૭ માં નાલંદાની પાસે આવેલા કલ્લાક ગામમાં થયો હતો. તેમને ધમ્મિલ નામે પિતા, અને ભઢિલા નામે માતા હતી. એક વાર અપાપા નગરીમાં રોમિલ નામના બ્રાહ્મણે યજ્ઞ કર્યો હતો, તે નિમિત્તે ગૌતમ ઇંદ્રભૂતિ અને સુધર્મા વગેરે ૧૧ બ્રાહ્મણે આવ્યા હતા. તેમને પ્રતિબંધ કરી પ્રભુ વીરે દીક્ષા આપી. શ્રીગૌતસ્વામીનું લાંબું આયુષ્ય નહિ હોવાથી પ્રણવીરે સંઘની વ્યવસ્થાનું કામ સુધર્માસ્વામીને પ્યું. તેમને ૯૨ વર્ષની ઉમરે કેવલજ્ઞાન પ્રકટ થયું. એટલે તેમણે સંઘની વ્યવસ્થાનું કામ પોતાના શિષ્ય જ બૂસ્વામીને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004513
Book TitlePravachana Kiranavali Pistalisa agam Rahasya
Original Sutra AuthorN/A
AuthorVijaypadmasuri
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1987
Total Pages750
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_related_other_literature
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy