SearchBrowseAboutContactDonate
Page Preview
Page 320
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી જૈન પ્રવચન કિરણાવેલી (૭શ્રી ઉપાસકદશાંગ સૂત્રને પરિચય) | ૭. સાતમા અધ્યયનમાં શ્રાવક સદ્દાલપુત્રનું વર્ણન કર્યું છે. તે પલાસપુરમાં રહેતા હતો. તે ગોશાલાના મતનો ઉપાસક હતો. એક વખત પ્રભુ શ્રી મહાવીરદેવ તેના નિમંત્રણથી તે કુંભકારની શાળામાં પધાર્યા. એક વખત તે પિતાના વાસણે શાલામાંથી બહાર કાઢી તડકે સુકવતો હતો, ત્યારે પ્રભુએ તેને પૂછયું કે હે સદ્દાલપુત્ર! આ બધાં વાસણે પ્રયત્નથી બન્યાં છે તે વિના બન્યાં? સાલપુત્રે ઉત્તર આપે કે પ્રયત્ન કર્યા વિના બન્યા છે. કારણ કે સર્વ પદાર્થો નિયત એટલે નિયતિને આધીન છે. ત્યારે પ્રભુએ તેને પૂછ્યું કે કોઈ પુરૂષ આ તારા વાસણને ઉપાડી જાય, કે ફેડી નાંખે અથવા તો આ તારી સ્ત્રી સાથે બળાત્કાર કરે, તો તું તેને શિક્ષા કરે? ત્યારે સદાલપુત્રે કહ્યું કે હું જરૂર તે પુરુષને શિક્ષા કરું. એટલે મારું અથવા તેનો નાશ કરું. ત્યાર બાદ પ્રભુએ કહ્યું કે જો તું પુરુષાર્થને માનતો નથી, તો તે પુરુષ તારા મતે વાસણેને ફેડત નથી, હરીને લઈ જતો નથી, ને તારી સ્ત્રી સાથે બલાકાર પણ કરતો નથી. અને તું તેને શિક્ષા પણ કરતા નથી. માટે તું જે કહે છે કે સર્વ ભા નિયત છે તે તારું કહેવું ખોટું છે. જે ઉદ્યમને માને, તે જ પુરૂષ “હું શિક્ષા કરું ? વગેરે કહી શકે. પ્રભુનાં યુક્તિસંગત આ વચનો સાંભળી તે પ્રતિબોધ પામ્યો, ને જીવાદિ તત્વોને જાણી વ્રતધારી શ્રાવક થયે. ગોશાલાને આ વાતની ખબર પડી, તેથી તેણે અહીં આવી પિતાને મત સ્વીકારવા ઘણું કહ્યું પણ તેણે તેનું વચન માન્યું જ નહિ. પછી ગોશાલાએ કહ્યું કે અહીં મહામાહણ, મહાગેપ, મહાસાર્થવાહ, મહાધર્મકથી, અને મહાનિર્યામક (પ્રભુ મહાવીર) આવ્યા હતા? ઈત્યાદિ કહી મહાવીરની સ્તુતિ કરી એટલે તેને રહેવા માટે પોતાની શાળામાં સ્થાન આપ્યું. તે પછી ઘણું સમજાવવા છતાં જ્યારે તે નિથ પ્રવચનથી ચલાયમાન ન થયું, ત્યારે તે ખિન્ન થઈ અહીંથી નીકળી ગયો. બાકીની (ઘણી ખરી) બીના આનંદ શ્રાવકના વર્ણનની માફક સમજવી. આ સદાલપુત્રની પાસે આવી એક દેવે તેના બધા પુત્રોને મારી નાંખ્યા છતાં પણ તે ડગ્યો નહિ. અંતે તેની સ્ત્રીને મારી નાંખવાની ધમકી આપી, ત્યારે તે શ્રાવક દેવને પકડવા દો, પછી ખરી હકીક્ત જાણી તે વખતે તેણે લાગેલા દોષની પ્રાયશ્ચિત્ત લઈ શુદ્ધિ કરી. ૮. આઠમા અધ્યયનમાં મહાશતક શ્રાવકનું જીવન જણાવ્યું છે. તેને રેવતી વગેરે ૧૩ સ્ત્રીઓ હતી. તેમાં રેવતીએ પોતાની ૧૨ શેકોને અગ્નિના શાસના અને વિશ્વના પ્રયાગથી મારી નાંખી. તે માંસ ખાવામાં ને દારૂ પીવામાં બહુ જ આસક્ત રહેતી હતી. એક વખત રાજગૃહ નગરમાં અમારી ઘેાષ થયે, એટલે રાજાએ ઢોલ વગડાવીને કોઈ પણ જીવને મારવાનો નિષેધ જણાવ્યું હતો, તે વખતે તેણે પોતાના પિયરથી કેટલાક માણસોને બોલાવીને કહ્યું કે તમારે હંમેશાં બે વાછરડાઓ મારી અહી આપી જવા. આ રીતે તે હંમેશાં વાછરડાનું માંસ ખાતી અને દારૂ પીતી હતી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004513
Book TitlePravachana Kiranavali Pistalisa agam Rahasya
Original Sutra AuthorN/A
AuthorVijaypadmasuri
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1987
Total Pages750
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_related_other_literature
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy