SearchBrowseAboutContactDonate
Page Preview
Page 316
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી જૈન પ્રવચન કિરણાવલી (૭. શ્રી ઉપાસકદશાંગ સૂત્રના પિચય) ૨૬૦ વિરમણવ્રત, ગુણવ્રત, પ્રત્યાખ્યાન, પૌષધેાપવાસની સાધના, શાસ્ત્રજ્ઞાન, તપ ઉપધાન, પ્રતિમાઓ ( ક્રિયાવિશેષ) ઉપસર્યાં, સલેખના, ભક્તપ્રત્યાખ્યાન, પાદપાપગમન, દેવલાગમન, મુકુલમાં ઉત્પત્તિ, ખેાધિલાભ, અને અંતક્રિયાનું (મેાક્ષનુ.) વર્ણન કર્યુ છે. વળી શ્રાવકોની ઋદ્ધિવિશેષ, પરિષપરિવાર, વિસ્તારથી તેમણે કરેલું ધ' શ્રવણ, અભિગમ—સમ્યકત્વની વિશુદ્ધિ, સ્થિરપણું, ભૂલ ગુણ્ણાના ને ઉત્તર ગુણાના અતિચારો, વ્રતપર્યાય, શ્રાવકની ૧૧ પ્રતિમાઓની આરાધના, અભિગ્રહાનું ગ્રહણ અને પાલન, ઉપસર્ગાનું સહન કરવુ, ઉપસર્ગાના અભાવ, વિચિત્રતપ, શીલવ્રત વગેરે કહીને અંતે મારણાંતિક સ’લેખનાની મીના જણાવી છે. પછી તે સલેખનાની આરાધનાથી આત્માને ભાવિત ( વાસિત) કરીને ઘણા ટંક અનશનભાવે વીતાવીને ઉત્તમ વિમાનમાં ઉત્પન્ન થઈને જે રીતે શ્રેષ્ટ દેવતાઈ સુખે ભાગવે છે, અને અનુક્રમે ઉત્તમ સુખાને ભાગવીને ત્યાંથી ચ્યવી જે રીતે એધિ (જૈનધમ` પ્રાપ્તિ) અને સંયમ પામી કેવલી ( થઈ માક્ષને પામે છે તે બીના, અને તે ઉપરાંત બીજું પણ તેમના જીવનને અંગે જરૂરી વન વિસ્તારથી કર્યુ છે. અહીં પરિમિત વાચના અને સંખ્યાતા અનુયાગદ્વારા તથા સખ્યાતી સંગ્રહણી છે. આ સાતમું અંગ છે, તેના એક શ્રુતસ્કંધ છે, દેશ ઉદ્દેશકાલ અને દેશ સમુદ્દેશકાલ છે. આનાં સંખ્યાતા હજાર પદ્મા, સખ્યાતા અક્ષરો કહી છેવટે ચરણ કરણની પ્રરૂપણા કરી છે. આ પ્રમાણે સમવાયાંગમાં જેમ કહ્યું, તેમ નદીસૂત્રમાં પણ દ્વાદશાંગીના ઢક પિરચય જણાવતાં આના પણ હૂઁક પરિચય વજ્ગ્યા છે, આ બધા શ્રાવકા નવ તત્ત્વાના જાણકાર, દૃઢ ધી, અને આર્થિક સ્થિતિમાં કરાડાનો મીલકતવાળા હતા. તેમણે સંપત્તિના ત્રણ ભાગ કરી એક ભાગ વેપારમાં, એક ભાગ વ્યાજે અને એક ભાગ સ્થાયી નિધિ તરીકે રાખ્યા હતા. તે બધા વ્યવહારકુશલ ગૃહપતિ (ગૃહસ્થ ) હતા. અને કુટુંબ જ્ઞાતિ રાજ્યાદિના ગુંચવણ ભરેલા કાર્યાંના નીકાલ કરનારા, પૂવા લાયક તેમજ બીજાને સલાહ લેવા ચેાગ્ય હતા. મહાશતક શ્રાવક સિવાયના ૯ શ્રાવકોને એકેક સ્ત્રી હતી. મહાશતક શ્રાવકને રેવતી વગેરે ૧૩ સ્રીઓ હતી. તેમને પ્રભુ વીરના ઉપદેશ સાચા લાગ્યા, તેથી શ્રદ્ધાપૂર્વક અધિક પરિગ્રહાર્દિના ત્યાગ કરી સમ્યકત્વ મૂલ ખાર ત્રતા લઇ આરાધે છે, ને પાતાની સ્રીને પણ સમજાવી વ્રતાને સાધનારી શ્રમણાપાસિકા થવા પ્રેરણા કરે છે. તે પણ પાતાના પતિના કહ્યા પ્રમાણે પ્રભુની પાસે આવી વ્રતારિણી બને છે. એ પ્રમાણે દશે શ્રાવકો ચૌદ વર્ષો સુધી તારાધન કરીને પાતાના મેાટા પુત્રોને કુટ્ટુંબના ભાર સોંપીને શ્રાવક ધર્માંની વિશિષ્ટ ક્રિયારાધન રૂપ અગિયાર પ્રતિમાઓને આરાધીને તથા વિવિધ પ્રકારના તપ કરીને અ ંતે અનશન કરી પહેલા દેવલાકમાં ગયા. ભવિષ્યમાં ત્યાંથી ચવીને સિદ્ધ થશે. હાલ તે દશે શ્રાવકા પહેલા દેવલાકમાં હયાત છે. શ્રી ગૌતમસ્વામીએ આનંદની દીક્ષા લેવાની બાબતમાં પૂછેલા પ્રશ્નના જવાબમાં પ્રભુ શ્રી મહાવીરે કહ્યુ. For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.004513
Book TitlePravachana Kiranavali Pistalisa agam Rahasya
Original Sutra AuthorN/A
AuthorVijaypadmasuri
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1987
Total Pages750
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_related_other_literature
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy