SearchBrowseAboutContactDonate
Page Preview
Page 317
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૮ શ્રીવિજયપદ્મસૂરીશ્વરકૃત કે આ ભવમાં તે દીક્ષા લઈ શકશે નહિ, એમ દશે શ્રાવકામાં સમજવું, અહીં આનદ શ્રાવકની શ્રીના બહુ વિસ્તારથી કહીને બાકીના અધ્યયનામાં વ્રતાદિની મીના ટૂંકાવીને “ જેમ આનં≠ શ્રાવકના વર્ણનમાં કહ્યું તેમ અહીંં સમજવુ, ” આ રીતે સૂચના કરી છે. પહેલા આન ંદાધ્યયનના ટૂંક પરિચય અહી` શરૂઆતમાં મંગલ વગેરેની, અને ચંપાનગરી તથા પૂર્ણભદ્ર ચૈત્યની બીના કહી ને જણાવ્યું કે-વાણિજ્ય ગ્રામમાં આનંદ નામે ધનાઢય ગૃહસ્થને શિવાનદા નામની ભાર્યાં હતી. આ વાણિજ્યગામની પાસે રહેલા કાલ્લાક ગ્રામમાં તેના મિત્ર વગેરે રહેતા હતા. એક વખત અહીં પ્રભુ શ્રીમહાવીરદેવ પધાર્યાં, તેમની દેશના સાંભળી પ્રતિમાધ પામેલા આન ૢ શ્રાવકે અને તેની સ્રીએ મારે વ્રતા પ્રભુની પાસે કઈ રીતે લીધા ? તે બીના કહીને પ્રભુએ સમજાવેલા ત્રતાનુ તથા તેના અતિચારાદિનુ સ્વરૂપ જણાવ્યું છે. અને જણાં હર્ષ્યાથી શ્રાવકપણાની આરાધના કરી રહ્યા છે. દેશવતપણે ૧૪ વર્ષા વિત્યા બાદ ૧૧ શ્રાવકતિમાને આરાધી અંતિમ સમયે અનશનભાવમાં રહેલા તે આનંદ શ્રાવકને શુભ ભાવનાદિ સાધનાના પ્રતાપે અવધિજ્ઞાનાવરણીય કા ક્ષયાપશમ થવાથી અવધિજ્ઞાન પ્રકટ થયું. તે ટાઈમે શ્રીગૌતમસ્વામીની સાથે અવધજ્ઞાનની બાબતમાં આનંદ શ્રાવકે કરેલી વાતચીતનું વર્ણન ક્રૂ કામાં આ પ્રમાણે જાણવું— એક વખત શ્રીગૌતમસ્વામી કાલ્લાક સંનિવેશમાં ગાચરી માટે જતા હતા, તે ટાઇમે તેમણે ઘણા માણસાના મુખથી એમ સાંભળ્યું કે આનંદ્ર શ્રાવકે મરણાંત સલેખના સ્વીકારી છે. તેથી તેમને આનન્દ્વ શ્રાવકને જોવાના વિચાર થયા ને ત્યાં ગયા, આનંદ શ્રાવકે શ્રીગૌતમસ્વામીને આવતા જોઈ નમસ્કાર કરી પૂછ્યુ કે હે ભગવન ! શું ગૃહસ્થને અવધિજ્ઞ।ન થાય ? જવાખમાં તેમણે ‘હા' કહી. એટલે આનંદે કહ્યુ, “ મને પાંચસા યાજનની મર્યાદામાં રહેલા રૂપી પદાર્થોની બીનાને જણાવનારું અવધિજ્ઞાન થયું છે. 15 આ સાંભળી શ્રીગૌતમસ્વામીજીએ કહ્યું ગૃહસ્થને આટલી મેાટી હદવાળુ અવિધજ્ઞાન થતું નથી. માટે હે આનંદ! તમે આ બાબત આલેાચના કરો, આના ખુલાસા કરતાં આનંદે તેમને પૂછ્યુ કે જિનપ્રવચનમાં શુ સદ્ભુત ભાવેાની આલાચના કરવાની હાય છે ? જવાબમાં શ્રીગૌતમસ્વામિજીએ ‘ના” કહી. એટલે આનંદે કહ્યું કે જો એમ હોય, તે આપ જ આ મામતની આલાચના કરો. તેથી ગૌતમસ્વામીને શંકા થઈ. પ્રભુની પાસે આવી પૂછતાં તેમને આલાચના કરવાની આજ્ઞા થઈ. તેથી આનંદ શ્રાવકની પાસે જઈ પાતે કરેલી ભૂલના મિથ્યાદુષ્કૃત દીધા. આ પ્રસંગ અપૂર્વ એધદાયક છે. તેના અને દશે શ્રાવકોના જીવનના યંત્ર સહિત વિસ્તાર્ શ્રીદેશના ચિંતામણીના પહેલા ભાગમાં અને શ્રી સત્યપ્રકાશ માસિકના વિશેષાંકમાં જણાવ્યા છે. તે ત્યાંથી જોઈ લેવા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004513
Book TitlePravachana Kiranavali Pistalisa agam Rahasya
Original Sutra AuthorN/A
AuthorVijaypadmasuri
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1987
Total Pages750
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_related_other_literature
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy