SearchBrowseAboutContactDonate
Page Preview
Page 310
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી જૈન પ્રવચન કિરણાવલી (૬. શ્રી જ્ઞાતા ધ કથાંગ સૂત્રને પરિચય ) ૨૬૧ કંડરિકમુનિને અંતપ્રાંત આહારાદિ કરતાં દાહશ્વરની વેદના પ્રકટ થઈ, અનુક્રમે વિચરતાં તે પુંડરીકિણીમાં આવ્યા. અહી' ગુરુની આજ્ઞા લઇ રાજાએ ઔષધેાપચાર (દવા) કરાવી કંડરીકમુનિને સાજા કર્યાં. પછી બીજા સ્થવિર મુનિઓએ વિહાર કર્યાં, પણ શિથિલ અનેલા કઇંડરીક મુનિએ વિહાર કર્યાં નહિ. રાજાએ તેમને સમજાવીને વિહાર કરાવ્યા. ત્યારે કેટલાક વર્ષો સુધી ગુરુની સાથે વિચરી ફરીથી પડવાઈ થઈને તે કડરીકમુનિ એકલા પુંડરીકિણી નગરીમાં આવ્યા. તેને રાજાએ ઘણી રીતે સમજાવ્યા, તાપણ તે સમજ્યેા નહિ. ત્યારે તે પુંડરીકરાજાએ તેને રાજ્ય સાંપી પાતે તેનાં જ ચારિત્રનાં ઉપકરણા લઈ ગુરુને વાંદી ચારિત્ર લઈ પછી આહાર કરવાના અભિગ્રહું લઈ ચાલ્યા. અહીં કરીકને ઘણા આહાર કરતાં ને ઉજાગરા કરતાં અપચા થયા. તેથી તે પિત્તજ્વ ની તીવ્ર વેદના ભાગવતાં આત્તધ્યાનમાં મરીને સાતમી નરકે ગયા. તે પ્રમાણે જે સાધુ સાધ્વીએ દીક્ષા લીધા પછી ફરીથી કામભાગમાં આસક્ત થાય, તેઓ કડરીકની જેમ દુ:ખી થઈ દુ`તિને પામે છે, હવે તે પુંડરીક એ દિવસે ગુરુની પાસે પહેાંચ્યા. ત્યાં તેમણે વિધિપૂર્વક ગુરુની પાસે દીક્ષા લીધી. પછી છઠ્ઠને પારણે નિર્દોષ આહાર લાવી તેમણે પારણું કર્યું, રાતે ધધ્યાનમાં રહેલા તેમને અદ્રિ નિમિત્તે પિત્તવર પ્રકટ થયા. આ ટાઈમે અંત સમય જાણી આલાચનાદિ કરવા પૂર્વક શુભધ્યાન વડે કાલ ધ પામી સર્વાસિદ્ધ વિમાને એકાવતારી દેવપણે ઉપજ્યા. અહીંથી ચવી મહાવિદેહે સિદ્ધ થશે. આ રીતે જે સાધુ સાધ્વીએ ચારિત્ર લઈ ને શુદ્ધભાવે ઘેાડા કાળ પણ આરાધે, તેઓ પુંડરીક મુનિવરની જેમ સદ્ગતિના ઉત્તમ સુખ ભોગવી અંતે માક્ષને પામે છે. શ્રી જ્ઞાતા સૂત્રના પહેલા શ્રુતરકધને ટ્રંક પરિચય પૂરો થયો. શ્રી જ્ઞાતા સૂત્રના બીજા શ્રુતરકધના ટૂંક પરિચય પહેલા શ્રુતસ્કંધમાં દૃષ્ટાંતને દાર્યાન્તિકમાં ઘટાવીને હિતાપદેશ આપ્યા છે. અને અહીં ઉપનય રહિત ધમકથા અને પૂભવની બીના વગેરે ઉપદેશ આપ્યા છે. આના ૧૦ વર્ગમાંના પહેલા વર્ગ માં કહ્યું છે કે ચમરેન્દ્રને કાલી, રાજી, રજની, વિદ્યુત અને મેઘા નામની પાંચ અગ્રમહિષીએ ( ઇંદ્રાણી ) છે. તેથી તે દરેકની બીના જણાવનારાં પાંચ અધ્યયના છે, તેમાં કાલી નામના પહેલા અધ્યયનમાં કાલી નામની દ્રાણીની બીના કહી છે, તે ટૂંકામાં આ પ્રમાણે જાણવી-કાલી નામની અગ્રહિષી ચમચા રાજધાનીમાં કાલાવત...સક નામના ભવનમાં કાલ નામના સિંહાસન પર પેાતાના પિરવારહિત બેઠી હતી. તેટલામાં તેણે અધિજ્ઞાનથી ગુણશીલ ચૈત્યમાં પધારેલા પ્રભુ મહાવીરને જાણીને ત્યાં જઈ વનાદ્ધિ વિધિ સાચવીને સર્યાભદેવની For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.004513
Book TitlePravachana Kiranavali Pistalisa agam Rahasya
Original Sutra AuthorN/A
AuthorVijaypadmasuri
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1987
Total Pages750
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_related_other_literature
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy