SearchBrowseAboutContactDonate
Page Preview
Page 303
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫૪ શ્રીવિપક્વસૂરીશ્વરસ્કૃત કરે, ને કુતીથિકાદિનાં દુર્વચનને સહન કરે, તો ઘણા દેશે (અંશે) વિરાધના અને થોડે અંશે આરાધના કરી કહેવાય. ર તથા બંનેના દુર્વચનને સહન ન કરે, તો સર્વથા વિરાધના કરી કહેવાય, ૩. તથા બંનેનાં દુર્વચનને સહન કરે, તો સર્વથા આરાધના કરી કહેવાય, અહીં દાવઢવ વૃક્ષની જેવા સાધુઓ અને દ્વીપના વાયુ જેવાં સ્વપક્ષનાં દુ:સહ વચને જાણવા ૧, સમુદ્રના વાયરા જેવા અન્ય તીર્થિકાદિનાં દુર્વચનો તથા ફૂલ વગેરેના જેવી મોક્ષમાર્ગની આરાધના જાણવી. ૨. જેમ (જેવો) પુષ્પ વગેરેની સમૃદ્ધિને વિનાશ કર્યો, તેમ (તેથી) મેક્ષ માર્ગની વિરાધના જાણવી, જેમ દ્વીપના વાયરાથી ઘણી સમૃદ્ધિ અને થેડી અસમૃદ્ધિ કહી, તેમ સાધર્મિકનાં વચનોને સહન કરવાથી મોક્ષ માર્ગની ઘણી આરાધના થાય, અને અન્ય તીથિંકાદિકનાં દુર્વચનો નહીં સહન કરવાથી મોક્ષમાગની થોડી વિરાધના થાય તેમ જાણવું ૪. જેમ સમુદ્રના વાયરા વાતા પુષ્પાદિકની થોડી સમૃદ્ધિ થાય. અને ઘણી અસમૃદ્ધિ થાય છે. તેમ પરપક્ષ (કુતીર્થિકાદિક)નાં દુર્વચનો સહન કરવાથી આરાધના થડી અને વિરાધના ઘણી થાય છે. પ. જેમાં બંને વાયુના અભાવે તમામ ઝાડોની કૂલ વગેરે સમૃદ્ધિ વિનાશ પામે છે, તેમ નિમિત્ત (કારણ વિના બંને પક્ષનાં દુર્વચને નહિ સહન કરવા રૂપ મસર ધારણ કરવાથી સર્વથા મોક્ષમાર્ગની વિરાધના થાય છે. ૬. જેમાં બંને વાયુ વાય તે વનની સંપૂર્ણ સમૃદ્ધિ થાય, તેમ બંને પક્ષનાં દુર્વચનોને સહન કરવાથી સંપૂર્ણ મોક્ષમાર્ગની આરાધના કરી છે. ૭. તે કારણ માટે સંપૂર્ણ શ્રમણ (સાધુ) ધર્મની આરાધના કરવામાં જ નિરંતર ચિત્તને રાખનાર મહાસત્ત્વશાલી મુનિવરે એ બંને પક્ષનાં પ્રતિકૂલ વચન સહન કરવા જોઈએ. આ રીતે રહસ્ય જણાવી ક્ષમા રાખવાનો ઉપદેશ આપે છે. બારમાં ઉદક અધ્યયનનો ટૂંક પરિચય જેમ પુદગલોનાં સારાં કે નરસાં વર્ણાદિ પ્રયોગથી કે સ્વભાવથી થાય છે, તેમ સ્વભાવથી જ મલિન મનવાળા ભવ્ય છે પણ સદ્દગુરુના ઉપદેશ શ્રવણાદિથી મોક્ષ માર્ગને આરાધી મોક્ષના સુખ પામે છે. આ હકીકતને સ્પષ્ટ સમજાવનારું ખાઈના પાણીનું દષ્ટાંત છે. તે ટૂંકામાં આ પ્રમાણે જાણવું. ચંપાનગરીના જિતશત્રુ રાજાને સમૃદ્ધિ નામનું તત્ત્વજ્ઞ શ્રાવક મંત્રી હતા. આ નગરીની બહાર રહેલી ખાઈનું પાણી, બહુ જ દુગધી હતું. એક વખત રાજાએ ઉત્તમ ભેજન કરી તેના વખાણ કર્યા, તેના પરિવારે પણ તેની અનુમોદના કરી, પરંતુ મંત્રી મૌન રહ્યો. રાજાએ આગ્રહ કરી પૂછતાં તેણે જણાવ્યું કે હે રાજન ! કેટલાંક પુદ્ગલેના વર્ણાદિ સ્વભાવથી જ સારા કે ખરાબ હોય છે, ને કેટલાંક પુદ્ગલેના વર્ણાદિ પ્રયોગથી સારા તથા નરસા થઈ શકે છે. આવા સત્ય વચનને પણ રાજાએ સાચું માન્યું નહી. પછી એક વખત રાજા નગરીની બહાર ફરવા ગયે, ત્યારે ખાઈ તરફ જતાં તેને પાણીની દુધથી તે પરાભવ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004513
Book TitlePravachana Kiranavali Pistalisa agam Rahasya
Original Sutra AuthorN/A
AuthorVijaypadmasuri
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1987
Total Pages750
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_related_other_literature
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy