SearchBrowseAboutContactDonate
Page Preview
Page 302
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી જૈન પ્રવચન કિરણાવેલી (૬. શ્રી જ્ઞાતા ધર્મકથાગ સૂત્રને પરિચય) ર૫૩ વિચારો પણ તને સુખી થજો. ને યાદ રાખજો કે કામભોગને ચાહનારા જીવો જિનક્ષિાની જેમ દુઃખી થાય છે. ટીકાકારે આ હકીકત વિસ્તારથી સમજાવી છે. દશમાં ચંદ્ર અધ્યયનને રંક પરિચય પ્રમાદી જીવન જ્ઞાનાદિ ગુણે ઘટે છે (એાછા થાય છે) ને અપ્રમાદી જીવોના ગુણ વધે છે. આ વાત યથાર્થ સમજાવવા માટે શ્રી ગૌતમસ્વામીજીએ પૂછેલા પ્રશ્નો જવાબ દેતાં પ્રભુ શ્રી મહાવીરદેવે ચદ્રનું દષ્ટાંત આપ્યું છે. તેમાં પ્રભુએ ફરમાવ્યું છે કે જેમ કૃષ્ણપક્ષની (અંધારિયાની) એકમનો ચંદ્ર સુદ પૂનમના ચંદ્રની અપેક્ષાએ સર્વ પ્રકારે હીન છે, તેની અપેક્ષાએ બીજને ચંદ્ર હીન છે. એ કમે હીન થતો થતો છેવટે અમાસને ચંદ્ર સર્વથા પ્રકાશ રહિત થાય છે. તે જ પ્રમાણે પ્રમાદી સાધુ ક્ષમાદિ ગુણથી ઘટતાં ઘટતાં અંતે તે ગુણે સર્વથા ગુમાવી બેસે છે. એટલે સર્વથા ગુણ ભ્રષ્ટ થઈ નાશ પામે છે. તથા જેમ અમાસના ચંદ્રની અપેક્ષાએ સુદ એકમને ચંદ્ર તેજ વગેરેથી વધતો જણાય છે. ને તેની અપેક્ષાએ બીજને ચંદ્ર વધારે કાંતિઆદિ ગુણવાળો દેખાય છે. આ ક્રમે વધતો વધતો અંતે સુદ પૂનમે સંપૂર્ણ તેજ આદિ ગુણવાળો દેખાય છે. તેમ અપ્રમાદી સાધુ ક્ષમાદિ ગુણોથી વધતાં વધતાં સર્વગુણ સંપન્ન બની અંતે મોક્ષે જાય છે. અગીઆરમાં દાવદ્રવ અધ્યયનને ટૂંક પરિચય દેશથી ને સર્વથી આરાધના તથા વિરાધનાનું સ્વરૂપ સમજાવવા માટે આ દાંત કહ્યું છે. શ્રી ગૌતમસ્વામીએ આરાધના અને વિરાધનાને લક્ષ્યમાં રાખીને પૂછેલા પ્રશ્નના જવાબમાં પ્રભુ શ્રી મહાવીરદેવે પહેલાં દાવઢવ નામના ઝાડ જે સમુદ્રની વચમાં રહેલા દ્વીપમાં થાય છે, તેની બીના જણાવતાં ફરમાવ્યું કે જેમ દાવદ્રવ નામનાં વૃક્ષને સમૂહ સ્વભાવથી જ દ્વીપના વાયુ વડે ઘણા વિભાગમાં પિતાની સંપદાની સમૃદ્ધિને અનુભવે છે. એટલે લીલાંછમ વધારે દેખાય છે, અને થોડા વિભાગમાં અસમૃદ્ધિને અનુભવે છે. એટલે સૂકાં છ દેખાય છે. ૧ તથા સમુદ્રના વાયરા વાય, ત્યારે ઘણા વિભાગમાં અસમૃદ્ધિને અને થોડા વિભાગમાં સમૃદ્ધિને અનુભવે છે. ૨. તથા બંને વાયુને અભાવ હોય ત્યારે સર્વથા પ્રકારે અસમૃદ્ધિને જ અનુભવે છે. ૩. તથા બંને વાયુ વાતા હોય, ત્યારે સર્વથા સમૃદ્ધિને જ અનુભવે છે. ૪. તે જ પ્રમાણે સાધુ પણ કીર્થિકાદિનાં દુર્વચનોને સહન ન કરે તો ક્ષમા છે પ્રધાન જેમાં એવા મોક્ષમાર્ગની દેશથી વિરાધના થઈ કહેવાય, અને બહુમાન કરવા લાયક સાધુ વગેરેનાં દુર્વચનને સહન કરે તેથી ઘણા દેશે આરાધના કરી કહેવાય છે, સાધુ વિગેરેનાં દુવચનને સહન ન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004513
Book TitlePravachana Kiranavali Pistalisa agam Rahasya
Original Sutra AuthorN/A
AuthorVijaypadmasuri
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1987
Total Pages750
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_related_other_literature
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy