SearchBrowseAboutContactDonate
Page Preview
Page 300
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી જૈન પ્રવચન કિરણાલી (૬. શ્રી જ્ઞાતા ધર્મકથાંગ સૂત્રનો પરિચય) ર૫૧ મહિલકુંવરીએ આ રાજાઓના આવ્યા પહેલાં જ પોતાના જેવી જ સોનાની પ્રતિમા કરાવી તેના મસ્તકના છિદ્ર દ્વારા હંમેશાં ભેજનનો એકેક કવળ ના હતા. અહીં આવેલા ૬ રાજાઓ તે પ્રતિમાને જોઈ તેમાં આસક્ત થયા. તે વખતે મલીકુંવરીએ ગુપ્ત રીતે તે પ્રતિમાના મસ્તકનું ઢાંકણું ઉઘાડયું ત્યારે તેમાંથી અત્યંત દુધ નીકળી, તેથી તેઓ બહુ વ્યાકુળ થયા. તે અવસરે મલીકુંવરીએ અશુચિ ભાવનાને ઉપદેશ આપીને તથા પૂર્વ ભવની બીના કહીને તેમને પ્રતિબોધ પમાડી દીક્ષા લેવાની ભાવના પ્રકટ કરાવી ને જણાવ્યું કે હું પણ દીક્ષા લેવાની છું. મલ્લીકુંવરીના ઉપદેશાદિ નિમિત્તે જાતિસ્મરણ જ્ઞાનને પામેલા તે ૬ એ પૂર્વ ભવના મિત્રોએ મલીકુંવરીને કહ્યું કે અમે પણ અમારા પુત્રોને રાજ્ય સોંપીને આપની પાસે દીક્ષા લેવા ચાહીયે છીએ. કહીને તેઓ પોત પોતાના રાજ્યમાં ગયા. અહીં ઇંદ્રના આવવાની બીના જણાવી છે. પછી મહિલકુંવરીએ વાર્ષિક દાન દેવા માંડયું, પિતાએ વરવરિકાની (જેની જે ઇરછા હોય તે આપનારી) ઉદ્ઘોષણા કરાવી. મહાનસશાલાની (રડાની) ગોઠવણ કરાવી. આ અવસરે લોકાંતિક દેવોએ તીર્થ પ્રવર્તાવવા માટે કરેલી વિનતિ, ઇદ્રોનું આગમન, વિભૂષા નામની પાલખી, ઇંદ્રાદિકે તેનું ઉપાડવું વગેરે દીક્ષા લીધા પહેલાની ઉત્સવાદિની હકીકત જણાવી છે. પછી કહ્યું કે શ્રીમલી કુંવરીએ ઘરેણાં વગેરેને ત્યાગ કરી શ્રસિદ્ધ ભગવંતને નમસ્કાર કરીને ચારિત્ર સ્વીકાર્યું. તે સમયે બીજા ૬૦૦ રાજકમારાદિકે - મલ્લીકુંવરીની સાથે દીક્ષા લીધી. ઇંદ્રાદિક દીક્ષા મહોત્સવ કરી નંદીશ્વરદ્વીપે અઠ્ઠાઈ મહેસૂવ કરી સ્વસ્થાને ગયા. શ્રીમલ્લિનાથ દીક્ષાના દિવસે જ કેવલજ્ઞાન પામ્યા. આસન ચલિત થવાથી આ બીના જાણી ઇદ્રાદિકે કેવલજ્ઞાન કલ્યાણકનો ઉત્સવ કર્યો. આ અવસરે તે ૬ રાજાઓ પ્રભુની પાસે દીક્ષા લઈ કેવલી થઈ મોક્ષે ગયા. અંતે શ્રીમલિનાથના ભિષક વગેરે ગણધરાદિની ને નિર્વાણદિની બીના પણ વિસ્તારથી સમજાવી છે. આ અવસર્પિણીના દશ અછરામાં શ્રીમલ્લિનાથની સ્ત્રીપણે તીર્થકર થવાની વાત પણ જણાવી છે. અહીં લોકાંતિક દે વાર્ષિક દાન શરૂ થયા પછી આવ્યા છે. એથી જણાય છે કે “તેઓ વાર્ષિક દાનની પહેલાં આવે એવો નિયમ નથી. નવમા માર્કદી અધ્યયનને રંક પરિચય કામગનો ત્યાગ કરનારા જીવોને સુખ મળે, ને તેમાં આસકત થનારા જીવોને દુ:ખ મળે છે. આ હકીકતને યથાર્થ સમજાવનારું આ દષ્ટાંત છે. ચંપાનગરીના માર્કદી નામના સાર્થવાહને બે પુત્રો ૧. જિનપાલિત અને ૨. જિનરક્ષિત. તે બંને બંધુઓ સમુદ્ર માગે ૧૧ વાર વેપાર કરી ઘણું દ્રવ્ય કમાયા, છતાં લેભને લીધે બારમી વાર જતાં વહાણ ભાંગ્યું, દૈવ યોગે મળેલા પાટીયાના આધારે સમુદ્રમાં તરતાં તરતાં રન દ્વીપ જઈ પહોંચ્યા. ત્યાંની અધિષ્ઠાયિકા દેવીએ તેમને કહ્યું કે, મારી સાથે તમે કામગ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004513
Book TitlePravachana Kiranavali Pistalisa agam Rahasya
Original Sutra AuthorN/A
AuthorVijaypadmasuri
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1987
Total Pages750
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_related_other_literature
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy