SearchBrowseAboutContactDonate
Page Preview
Page 269
Loading...
Download File
Download File
Page Text
________________ २२० શ્રીવિજયપધસૂરીશ્વરકૃત પ્રશ્ન પૃથ્વીકાયાદિ અને સિદ્ધોને ઉદ્દેશીને પૂછ્યા છે. તે બધાને હેતુ જણાવવા પૂર્વક ઉત્તર આપીને નારકેને અને સિદ્ધોને આશ્રયી કતિસંચિતાદિના અલ્પબહુ સમજાવ્યા છે. પછી ષટૂંકસમર્જિતાદિનું સ્વરૂપ સમજાવીને તે ત્રણ પદને નારકાદિમાં કતિસંચિતાદિની માફક વિચાર કરીને અહ૫બહુ જણાવ્યું છે. પછી એ જ પ્રમાણે દ્વાદશ સમજિતાદિનું ને ચોરાશી સમજિતાદિનું સ્વરૂપ સમજાવીને નરકાદિમાં તે બંનેના વિચારે કહીને અલ્પબહુવો પણ વિસ્તારથી સમજાવ્યાં છે. શ્રી ભગવતીજીના વીસમા શતકને ટૂંક પરિચય પૂરો થયો. શ્રી ભગવતીજીના એકવીસમા શતકને ટૂંક પરિચય આના ૮ વર્ગો છે. શતકને ઉદ્દેશા જેવો જે ભાગ તે વર્ગ કહેવાય. પહેલા વર્ગમાં પૂછયું છે કે શાલી વગેરે દશ જાતિના અનાજના મૂળ વગેરે રૂપે હાલ જે જીવો વતે છે, તે છે અનંતર પાછલા ભવમાં કઈ ગતિમાં હતા અને એક સમયમાં તેવા કેટલા ઉપજે? આના સ્પષ્ટ ઉત્તરે કહીને તેમની અવગાહના, કર્મોને બંધ, લેશ્યા તેમજ આયુષ્યની બીના સમજાવી છે. પછી શાલી વગેરેનો અને પૃથ્વીકાયક જીવોને સંવેધ અને શાલી વગેરેના મૂળપણે સર્વ ને ઉપજવાને નિર્ણય જણાવ્યો છે. બીજા વર્ગમાં શાલી વગેરેની હકીકત જે પદ્ધતિએ કહી તે જ પદ્ધતિએ વટાણા વગેરે દશ જાતના અનાજના કંદરૂપે જીવોની બીના કહી છે. ત્રીજા વર્ગના દશ ઉદેશામાં અનુક્રમે અળશી વગેરે દશ જાતના અનાજના મૂળપણે પહેલા ની બીના પહેલા વર્ગની માફક જણાવી છે. ચોથા વર્ગના દશ ઉદ્દેશામાં અનુક્રમે વાંસ વગેરે દશ વન સ્પતિની બીના કહી છે. પાંચમા વર્ગના દશ ઉદ્દેશામાં અનુક્રમે શેલડી વગેરે દશ વનસ્પતિની બીના કહી છે. છઠ્ઠા વર્ગના દશ ઉદેશામાં અનુક્રમે સેવિય, ભંતિય વગેરે દશ વનસ્પતિની બીના કહી છે. સાતમા વર્ગના ૧૦ ઉદ્દેશામાં અનુક્રમે અશ્વરહ વગેરે દશ વનસ્પતિની બીના કહી છે. આઠમા વર્ગના ૧૦ ઉદ્દેશામાં અનુક્રમે તુલસી વગેરે દશ વનસ્પતિની બીને કહી છે. દરેક વર્ગના ૧૦-૧૦ ઉદ્દેશા ગણતાં ૮૦ ઉદ્દેશા અહીં જાણવા. શ્રી ભગવતીજીના એકવીસમા શતકને ટૂંક પરિચય પૂરો થયો. શ્રી ભગવતીજીના બાવીસમા શતકને ટૂંક પરિચય આના ૮ વર્ગો છે. તેમાં પહેલા વર્ગમાં તાડ વગેરે વલય વર્ગના મૂલાદિના છેવાની બીના કહી છે. બીજા વર્ગમાં લીબડા વગેરે એકાસ્થિક (એક ઠળિયાવાળી) વનસ્પતિની બીના કહી છે. ત્રીજા વર્ગમાં અગસ્તિક વગેરે બહુબીજ વનસ્પતિના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004513
Book TitlePravachana Kiranavali Pistalisa agam Rahasya
Original Sutra AuthorN/A
AuthorVijaypadmasuri
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1987
Total Pages750
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_related_other_literature
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy