SearchBrowseAboutContactDonate
Page Preview
Page 268
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી જૈન પ્રવચન કિરણાલી (પ, શ્રીભગવતીસૂત્રને પરિચય) ૨૧૯ ધર્માસ્તિકાયાદિ ચારેના પર્યાયવાચક શબ્દોની અર્થ ઘટના કરી છે. ત્રીજા ઉદ્દેશામાં કહ્યું છે. કે પ્રાણાતિપાત વગેરે આત્મા સિવાય બીજે પરિણમતા નથી. પછી ગર્ભવ્યુમ, વર્ણ વગેરેની બીના જાણાવી છે. ચેથા ઉદ્દેશામાં ઇકિપચયાદિની બીના જણાવી છે. પાંચમા ઉદ્દેશામાં પરમાણુ, દ્ધિપ્રદેશિક અંધથી માંડીને અનંત પ્રદેશિક સ્કંધમાં વર્ણાદિની -બીના, અને તે દરેકને આશ્રયી સંભવતા ભાંગાઓનું સ્વરૂપ કહીને પરમાણુના, ને દ્રવ્ય ક્ષેત્ર કાલ ભાવ પરમાણુના ભેદ વગેરે બીના વિસ્તારથી જણાવી છે. છઠ્ઠા ઉદ્દેશામાં પૂછ્યું છે કે જે પૃથ્વીકાયિકને જીવ-રત્નપ્રભાની અને શકરપ્રભાની વચ્ચે મરણ સમુદ્રઘાત કરીને સૌધર્મ દેવલોકમાં પૃથ્વીકાયિકપણે ઉપજવાને છે, તે પહેલા ઉપજીને આહાર કરે કે આહાર કરીને ઉત્પન્ન થાય? આ રીતે અકાયિક અને વાયુકાયિકના જીવને ઉદ્દેશીને પ્રશ્નો પૂછ્યા, તે બધાના ઉત્તરો અહીં વિસ્તારથી સમજવ્યા છે. સાતમા ઉદ્દેશામાં કર્મબંધની હકીકત જણાવતાં જીવના અનંતર બંધાદિની બીના અને જ્ઞાનાવરણીય કર્મના બંધને અનુસરતી હકીકત સ્પષ્ટ જણાવી છે. આઠમા ઉદ્દેશામાં કર્મભૂમિ ને અકર્મભૂમિના ભેદ, અકર્મભૂમિમાં તથા અરવત ક્ષેત્રમાં વર્તતા કાલની બીના તેમજ મહાવિદેહમાં ચાર મહાવ્રતાદિ રૂપ ધર્મને ઉપદેશ જણાવીને કહ્યું કે અહીં શ્રી ઋષભાદિ ર૪ તીર્થકર થઈ ગયા. તેમના ૨૩ આંતરા થાય. પછી કાલિકશ્રતના વિરછેદ-અવિચ્છેદની બીના તથા પૂર્વગત શ્રતની અને તીર્થની સ્થિતિ, તેમજ ભાવી છેલ્લા તીર્થકરના તીર્થની સ્થિતિ જણાવીને તીર્થ અને તીર્થકરનું અને પ્રવચનનું તથા પ્રવચનીનું સ્વરૂપ, તથા ઉગ્રાદિ કુલેમાં ઉત્પન્ન ક્ષત્રિયાદિ જીવોને ધર્મમાં પ્રવેશ તેમજ દેવલોકના ભેદ વગેરેનું સ્પષ્ટ વર્ણન કર્યું છે. નવમાં ઉદેશામાં ચારણમુનિના ભેદ અને તેમનું સ્વરૂપ તથા લબ્ધિનું સામર્થ્ય કહ્યું છે. પછી વિદ્યાચારણની ને જ ઘાચારણની ઊંચે જવાની ને તિર્થી જવાની હદ કહેતાં જણાવ્યું કે વિદ્યાચારણની પાછા વળતાં શીઘ ગતિ હોય, ને જંઘાચારણની સ્વસ્થાનેથી જતાં શીઘા ગતિ હોય. તીર્થયાત્રા કરીને પાછા વળતાં શ્રમ વગેરે કારણોથી મંદ ગતિ હોય. દશામા ઉદેશામાં સોપકમ નિરૂપક્રમ આયુષ્યની બીના, અને આત્માપક્રમ, પરોપક્રમ, ને નિરૂપકમનું સ્વરૂપ સમજાવ્યું છે. પછી પ્રશ્નો પૂછયા છે કે નરકના જીવો નરકમાં આત્માપક્રમથી પરોપક્રમથી કે નિરૂપકમથી ઉપજે છે? એ જ પદ્ધતિએ પૂછયું કે તેમની ઉદ્ધના આમેપક્રમાદિ ત્રણમાંથી કોનાથી થાય છે ? તથા તેમની નરકમાં ઉત્પત્તિ આત્મશક્તિથી કે પરની શક્તિથી થાય છે ? અને તે (ઉત્પત્તિ) સ્વકર્મથી થાય છે કે અન્યના કર્મથી થાય છે ? તેમજ તે આમપ્રયોગથી થાય છે કે પરપ્રયોગથી થાય છે ? આ બધા પ્રશ્નોના ઉત્તરે સ્પષ્ટ રીતે સમજાવીને કતિસંચિતાદિ ત્રણ પદોનું સ્વરૂપે જણાવ્યું છે. પછી તે ત્રણે પદોની બીના નારકાદિને અંગે વિચારી છે. એટલે નરકના છ કતિસંચિત છે કે અતિસંચિત છે કે અવકતવ્ય સંચિત છે? આવાજ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004513
Book TitlePravachana Kiranavali Pistalisa agam Rahasya
Original Sutra AuthorN/A
AuthorVijaypadmasuri
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1987
Total Pages750
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_related_other_literature
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy