SearchBrowseAboutContactDonate
Page Preview
Page 267
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૮ શ્રીવિજયપઘસૂરીશ્વરકૃત છ મહાશ્રવવાળા, મહાક્રિયાવાળા, મહાવેદનાવાળા ને મહાનિર્જરાવાળા હોય, તે સંબંધી ભાંગાનું સ્વરૂપ વિસ્તારથી કહ્યું છે. પાંચમા ઉદ્દેશામાં પૂછ્યું છે કે મારક છે ચરમ એટલે અલ્પ આયુષ્યવાળા અને પરમ એટલે અધિક આયુષ્યવાળા હેય? અને ચરમનિરયિક કરતા પરમનૈરયિકો શું મહાચવવાળા, મહાકિયાવાળા, મહાવેદનાવાળા અને મહાનિર્જરાવાળા હોય? આવા પ્રશ્નો અસુરકુમારદિને ઉદ્દેશીને પણ પૂક્યા છે. તે બધાના ઉત્તરો સમજાવીને વેદનાના ૧૦નિદા, ૨. અનિદા, આ બે ભેદોને વિચાર નારકાદિ દંડકોમાં પણ જણાવ્યું છે. તથા નિદા વેદના અને અનિદા વેદનાનું સ્વરૂપ પણ સમજાવ્યું છે. છઠ્ઠા ઉદ્દેશામાં દ્વીપ-સમુદ્રોનાં સ્થાન, સંખ્યા અને આકારદિનું સ્વરૂપ જણાવ્યું છે. સાતમા ઉદ્દેશામાં ભુવનપતિ વગેરે ચારે પ્રકારના દેવના આવાસ અને વિમાનની સંખ્યા તથા આકૃતિ (આકાર)નું સ્વરૂપ સમજાવ્યું છે. આઠમા ઉદ્દેશામાં નિવૃત્તિનું સ્વરૂપ કહીને તેના જીવનિવૃત્તિ વગેરે ભેદે ને તે દરેકના પણ ભેદ જણાવ્યા છે. પછી પ્રશ્નકારે પૂછયું કે પૃથ્વીકાયિક જીવને કેટલી ઇંદ્રિય નિવૃત્તિ હોય? આને ઉત્તર કહીને ભાષાનિવૃત્તિ માનિવૃત્તિ, કષાય, વર્ણ, સંસ્થાન, લેશ્યા, સંજ્ઞા, દષ્ટિ, જ્ઞાન, અજ્ઞાન, યોગ અને ઉપયોગ નિવૃત્તિની બીના નારકાદિમાં જેમ ઘટે તેમ જણાવી છે. નવમા ઉદ્દેશામાં કરણની બીના જણાવતાં તેના શરીરકરણ ઇંદ્રિયકરણ વગેરે પાંચ ભેદે અને તેના પણ ભેદના વિચારે નારકાદિમાં જણાવ્યા છે. દશમા ઉદ્દેશામાં પૂછયું છે કે શું બધા વ્યંતરે સમાન આહારવાળા હોય છે? વગેરે પ્રશ્નોના ઉત્તરો સમજાવતાં દેવનું મનભક્ષિપણું એટલે તેમને અમુક નિયમિત ટાઈમ આહારની ઇચ્છા થવાની સાથે જ ધરાએલા માણસના જેવી તૃપ્તિ થાય છે વગેરે આહારને લગતી બીજી પણ હકીકત સ્પષ્ટ સમજાવી છે, શ્રીભગવતીજીના ઓગણીસમા શતકને ટૂંક પરિચય પૂરો થયો. શ્રીભગવતજીના વીસમા શતકને ટૂંક પરિચય આના ૧૦ ઉદ્દેશ છે. તેમાં પહેલા ઉદ્દેશાની શરૂઆતમાં દશે ઉદ્દેશાના ટૂંક સારને જણાવનારી સંગ્રહગાથા કહી છે. પછી બેઈદ્રિય વગેરે ના શરીરને બાંધવાનો ક્રમ લક્ષ્યમાં રાખીને પૂછયું કે બેઈદ્રિય જીવે શું સાધારણ શરીર બાંધે છે કે પ્રત્યેક શરીર બાંધે છે? આને ઉત્તર જણાવીને તેમને ઘટતી વેશ્યાની બીના કહીને જણાવ્યું કે તેમને સંજ્ઞા પ્રજ્ઞા વગેરે દેતા નથી. એ જ પ્રમાણે પંચેન્દ્રિય જીવો શું સાધારણ શરીર બાંધે છે કે પ્રત્યેક શરીર બાંધે છે? આ પ્રશ્નને ઉત્તર કહીને બેઇકિયાદિ જીવોનું અલ્પબહુત્વ વગેરે હકીકત સમજાવી છે, બીજા ઉદ્દેશામાં આકાશના ભેદો જણાવીને પૂછયું કે કાકાશ એ જીવરૂપ છે કે જીવના દેશરૂપ છે? અને અધોલોક ધર્માસ્તિકાય વગેરેના કેટલા ભાગને અવગાહીને રહેલો છે? આના ઉત્તર કહીને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004513
Book TitlePravachana Kiranavali Pistalisa agam Rahasya
Original Sutra AuthorN/A
AuthorVijaypadmasuri
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1987
Total Pages750
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_related_other_literature
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy