SearchBrowseAboutContactDonate
Page Preview
Page 264
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૫ શ્રી જૈન પ્રવચન કિરણાવલી (૫. શ્રોભગવતીસૂત્રને પરિચય) પણ ખુલાસા કર્યા છે. પાંચમા ઉદેશામાં ઈશાનેન્દ્રની સુધર્મા સભા વગેરેના પ્રશ્નોત્તરે જણાવ્યા છે. છડું ઉદ્દેશામાં પૃથ્વીકાયિક જીવ પહેલા ઉત્પન્ન થાય ને પછી આહાર કરે, કે આહાર કરીને ઉ જે? વગેરે પ્રશ્નોના ઉત્તરે કહ્યા છે. સાતમા ઉદ્દેશામાં જે પૃથ્વીકાયિક જીવ સૌધર્મ દેવલોકમાં મરણ પામી પૃથ્વીકાયપણે ઉપજવાનું છે તે જીવ ત્યાં ઉત્પન્ન થઈને આહાર કરે કે આહાર કરીને ઉત્તપન્ન થાય? વગેરે પ્રશ્નોના ઉત્તર જણાવ્યા છે. આઠમા ઉદેશામાં જેમ પહેલાં પૃથ્વીકાયિકની આહાર અને ઉત્પત્તિને અંગે પ્રશ્નોત્તરી કહી, તે જ પ્રમાણે જે અકાયક જીવ સૌધર્મ દેવલોકમાં અકાયકાદિપણે ઉપજવા યોગ્ય છે, તેને પહેલા આહાર કે ઉત્પત્તિ ? આ પ્રશ્નોત્તરે કહ્યા છે. નવમા ઉદ્દેશામાં જે અકાષિક જીવ ઘનોદધિ વલમાં ઊપજવાને લાયક છે. તેને અંગે તે પહેલા આહાર કરે કે ઉપજે? આ બીના પહેલાની માફક જણાવી છે. ૧૦ મા ઉદ્દેશામાં એવી જ બીન સૌધર્મ દેવલોકમાં ઉપજવા લાયક વાયુકાથિકને અંગે કહી છે. ૧૧મા ઉદેશામાં ઘનવાત ને તનવાતના વલમાં ઉપજવા લાયક વાયુકાયિક જીવને અંગે તેવાજ આહારના ને ઉત્પત્તિના પ્રશ્નોત્તરો કહ્યા છે. બારમા ઉદેશામાં પૂછયું છે કે શું બધા એકેન્દ્રિય જીવો સમાન આહારવાળા છે? આને ઉત્તર દઈને તેમની લેશ્યાની બીના, ને લેશ્યાવાળા એકેન્દ્રિયોનું ને તેમની વડદ્ધિનું અપહુવા જણાવ્યું છે. તેરમાથી સત્તરમા સુધીના પાંચ ઉદેશામાં અનુક્રમે બધા નાગકુમાર, સુવર્ણકુમાર, વિદુકુમાર, વાયુકુમાર ને અગ્નિકુમાર દેવો શું સમાન આહારવાળા છે? વગેરે પ્રશ્નોત્તરે જણાવ્યા છે. એટલે ૧૩ મા ઉદ્દેશામાં નાગકુમાર દેવના સમાન આહારના પ્રશ્નોત્તરે જણાવ્યા છે. ૧૪ મા ઉદ્દેશામાં સુવર્ણકુમારના, પંદરમાં ઉદ્દેશામાં વિદ્યુતકુમારના, ૧૬ મા ઉદ્દેશામાં વાયુકુમારના, ૧૭ મા ઉદ્દેશામાં અગ્નિકુમાર દેવોના રામાન આહારના પ્રશ્નોત્તરે જણાવ્યા છે. શ્રી ભગવતીજીના સત્તરમા ઉદ્દેશાને ટૂંક પરિચય પૂરો થયો. શ્રી ભગવતીજીના અઢારમા શતકનો ટૂંક પરિચય આના ૧૦ ઉદ્દેશામાંના પહેલા ઉદ્દેશામાં છવદ્વાર, આહારક દ્વાર વગેરે ૧૪ દ્વારમાં છવભાવ, આહારભાવ, વગેરે ભાવ વડે પ્રથમતા, અપ્રથમતા, ચરમતા, અચરમતાની બીના જ્યાં જેવી ઘટે તેવી ઘટાવી છે. એટલે જીવ છવભાવ વડે પ્રથમ છે કે અપ્રથમ, ચરમ છે, કે અચરમ ? તથા આહારક જીવ આહારભાવ વડે પ્રથમ છે કે અપ્રથમ? ચરમ છે કે અચરમ? આ રીતે ૧૪ દ્વારોમાં કહેલા પ્રશ્નોના ઉત્તર દેતાં પ્રથમપણું, ચરમપણું વગેરે શબ્દોના અર્થો સ્પષ્ટ રીતે સમજાવ્યા છે. બીજા ઉદ્દેશામાં કાર્તિક શેઠના વર્તમાન ભવની અને ભાવી ભવની બીના જણાવતાં કહ્યું કે વીસમા તીર્થંકરના સ્થવિરોની દેશના સાંભળી તે વૈરાગ્ય પામી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004513
Book TitlePravachana Kiranavali Pistalisa agam Rahasya
Original Sutra AuthorN/A
AuthorVijaypadmasuri
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1987
Total Pages750
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_related_other_literature
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy