SearchBrowseAboutContactDonate
Page Preview
Page 248
Loading...
Download File
Download File
Page Text
________________ ગ્રા જેન પ્રવચન કિરણવલી (પ, શ્રીભગવતીસૂત્રને પરિચય) ૧૯૯ ખરા? આના સ્પષ્ટ ઉત્તરો સમજાવીને પૃથ્વી આદિના ને લાગતી ક્રિયાઓની ખીના વિસ્તારથી સમજવી છે, શ્રી ભગવતીજીના નવમાં શતકનો સંક્ષિપ્ત પરિચય પૂરો થયો. શ્રી ભગવતીજીના દશમા શતકનો ટૂંક પરિચય ૧. પહેલા ઉદ્દેશામાં પૂર્વાદ દિશા અને દિશાઓનાં ૧૦ નામો તથા શરીરના મેદાદિનું વર્ણન કર્યું છે. અહીં શરૂઆતમાં ૩૪ ઉદેશાના સારને જણાવનારી સંગ્રહગાથા કહીને દિશા અને શરીરની બીના વર્ણવી છે. ૨. બીજા ઉદ્દેશામાં કહ્યું કે કષાયી સાધુને સાંપરાયિકી ક્રિયા લાગે ને અકષાયી સાધુને ઇર્યાપથિકી ક્રિયા લાગે. પછી યોનિ, વેદના, અને લેનિના ભેદો, નારકોને વેદના તથા ભિક્ષપ્રતિમા (૧૨) તેમજ આરાધના વગેરેનું સ્વરૂપ સ્પષ્ટ જણાવ્યું છે. ૩. ત્રીજા ઉદ્દેશામાં કહ્યું કે દેવે આત્મઋદ્ધિથી ચાર પાંચ દેવાવાસ (વિમાન કે ભુવન) ઉલંઘી જઈ શકે તેથી વધારે વિમાનાદિ ઉલંઘીને જવાનું પરઋદ્ધિથી બને. પછી અલ્પાદ્ધિવાળા, સમ (સરખી) ઋદ્ધિવાળાને મહાદ્ધિવાળા દેવાનું અને દેવીઓનું એક બીજાની વચ્ચે થઈ જવાનું તથા તેઓ મોહ પમાડીને (મૂંઝવીને) જાય કે ગયા પછી મોહ પમાડે? આ પ્રશ્નોત્તર અસુરકુમારાદિને અંગે તથા વૈમાનિકાદિને અંગે જણાવ્યા છે. આ બીના સ્પષ્ટ સમજાવીને કહ્યું છે કે ઘોડાના હૃદયની ને યકનુની વચ્ચે કર્ભટક નામનો વાયુ હોય છે, તેથી ઘોડો દોડે ત્યારે “ખુ ખુ શબ્દ કરે છે. અંતે ભાષાના બાર ભેદો સમજાવ્યા છે. આ પ્રસંગનું મૂલ સ્થાન રાજગૃહ નગર છે. ૪. ચોથા ઉદેશામાં કહેલો પ્રસંગ વાણિજ્યમામે બન્યું છે. પ્રભુ મહાવીરના શ્યામહસ્તી અનગારે પ્રભુને યમરેન્દ્રના, અલીન્દ્રના, ધરણેન્દ્રના, કેન્દ્રના, ઈશાનેદ્રના અને સનકુમારેદ્રના ત્રાયસ્ત્રિશિક દેના પૂર્વભવની બીના વગેરેને અંગે પૂછેલા પ્રશ્નોના ઉત્તરે સ્પષ્ટ સમજાવ્યા છે. તેમાં કહ્યું છે કે ચમરેન્દ્રના ત્રાયસ્વિંશક દેવ પાછલા ભવે કાકંદી નગરીના રહીશ હતા, બલીન્દ્રના ત્રાયસ્વિંશક દેવો પૂર્વ ભવે બિભેલક ગામના રહીશ હતા. શાકના ત્રાયસ્ત્રિશક દેવ પૂર્વભવે પલાશ ગામના રહીશ હતા, ઇશાનેન્દ્રના ત્રાયઅિંશક દેવો પૂર્વભવે ચંપાનગરીના રહીશ હતા, અવસરે શ્રીગૌતમસ્વામીના પ્રશ્નના જવાબમાં પ્રભુએ ત્રાયચિંશક દેવોના શાશ્વતત્વ (શાશ્વતપણું) વગેરેની બીના જણાવી છે. ૫. પાંચમા ઉદ્દેશામાં જણાવેલી બીનાનું ઉત્પત્તિસ્થાન રાજગૃહ નગરના ગુણશીલ ત્વવાળા રમણીય પ્રદેશ છે. અહીં અમરેન્દ્રની અમહિષીઓ, તે દરેકનો પરિવાર વગેરે જણાવીને કહ્યું કે ચમરેન્દ્રાદિની મુખ્ય ચમરસિંહાસનાદિવાળી ઇદ્ર સભાઓમાં શ્રી જિનેશ્વર દેવોની હાહા, હાડકા વગેરે પૂજ્ય પદાર્થોની આશાતનાથી બચવાની શુભ ભાવનાવાળા ઇવો તથા લોકપાલ વગેરે દેવો પણ ભોગ ભોગવતા નથી, પછી ચમરેન્દ્રના સેમ, યમ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004513
Book TitlePravachana Kiranavali Pistalisa agam Rahasya
Original Sutra AuthorN/A
AuthorVijaypadmasuri
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1987
Total Pages750
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_related_other_literature
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy