SearchBrowseAboutContactDonate
Page Preview
Page 247
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીવિજયપદ્મસુરીધરકૃત ૩ર. ત્રીસમા ઉદ્દેશામાં વાણિજ્યગ્રામે શ્રીપાર્શ્વનાથના સંતાનીય શ્રીગાંગેયમુનિએ પ્રભુ શ્રીમહાવીરદેવને નરકાદિમાં સાંતર ( આંતરે આંતરે) અને નિરંતર ( આંતરા રહિતપણે ) જીવાતુ ઉપજવું ને ત્યાંથી નીકળવુ. આ બેને અ ંગે પૂછેલા પ્રશ્નોના ઉત્તરા, તથા રત્નપ્રભાદિ નરકસ્થાનામાં એકાદિ વાનાં પ્રવેરાનકો (દાખલ થવા )ના વિચારો એ જ રીતે તિર્યંચ મનુષ્ય વેામાં એકાદિ વાના પ્રવેશનકાના વિચારો, તેમજ આ પ્રસંગે સંભવતા ક્રિકાદિસ ચાર્ગી ભાંગાનું વર્ણન કરીને નારકાદિ પ્રવેશનકોના નાનાં મેાટાં અલ્પમહુવા જણાવ્યા છે. પછી નારકાદિના ઉત્પાદમાં અને ઉદ્ભનામાં વિદ્યમાનતાના અને અવિદ્યમાનતાના વિચારો કહીને પ્રભુ મહાવીરે ગાંગેયમુનિને પાતાનાં વચનેમાં સાક્ષી આપતાં જણાવ્યું કે જેમ હું કહું છું તેમ પુરુષાઢાનીય પ્રભુ શ્રીપાર્શ્વનાથે આ લેાકને વ્યાસ્તિક નયની અપેક્ષાએ શાધતા કહ્યો છે, ને જીવો શુભાશુભ કર્મના ઉદયાદિથી નારકાદિપણું પામે છે. આ રીતે પ્રભુ મહાવીરની દેશના સાંભળતાં પ્રભુ મહાવીર સજ્ઞ છે, આવી ખાત્રી થતાં પંચ મહાવ્રતા સ્વીકારી આરાધીને ગાંગેય મુનિ મેક્ષે ગયા. ૧૯૮ ૩૩. તેત્રીસમા ઉદ્દેશામાં બ્રાહ્મણકુંડ ગ્રામના રહીશ ઋષભદત્ત બ્રાહ્મણ અને દેવાનંદા, બ્રાહ્મણી મહુશાલક ચૈત્યવાળા બગીચામાં પધારેલા પ્રભુ મહાવીરદેવને વંદન કરવા ને દેશના સાંભળવા આવ્યા. દેવાનાની કુક્ષિમાં પહેલાં પ્રભુ મહાવીર રહેલા હાવાથી તે પ્રભુની માતા થાય. પુત્રસ્નેહથી પ્રભુને જોતાં દેવાનાના સ્તનમાંથી દૂધ જીવા માંડયું. આથી આશ્ચય પામેલા શ્રીગૌતમસ્વામી વગેરેને પ્રભુએ સત્ય બના જણાવી ને વૈરાગ્યમય દેશના આપી. તે સાંભળી બંને પ્રભુના હાથે દીક્ષા લઈ આરાધીને મેક્ષે ગયા. પછી જમાલિની બીના જણાવતાં કહ્યું કે જમાલિક રાજકુમાર પ્રભુની દેશના સાંભળી દીક્ષા લેવા તૈયાર થયા. માતાપિતાને સમજાવી અનુમતિ લઈ પ્રભુના હાથે દીક્ષા પામીને આરાધતાં એક વખત પાષકર્માંદયે તેને પ્રભુનાં વચનામાં અશ્રદ્ધા થઇ, અને કરાતી વસ્તુ અકૃત છે. (કરાઇ નથી) વગેરે મિથ્યાવાદ વધારનાર નિવ થયા. શ્રીગૌતમસ્વામીજીએ તેને લોક અને જીવના શાધૃતત્વાદિના પ્રશ્નો પૂછ્યા, પણ તે જવાબ દઈ શકયા નહિ. પ્રભુએ તે બીના વગેરે સ્વરૂપ સમજાવ્યું, તે પણ સમયા નહિ, અંતકાલે મરીને કિષિયા દેવ થયા. અંતે તેના પછીના ભવાની બીના તથા ફિલ્મિષિયા વાના આયુષ્યાદિની હકીકત સ્પષ્ટ સમજાવી છે. ૩૪, ચાત્રીસમા ઉદ્દેશામાં પ્રશ્નો પૂછ્યા છે કે પુરુષને હણનારા જીવ પુરુષને હણે છે કે નાપુરુષને હણે છે ? એ જ રીતે અશ્વને હણનાર અને ઋષિને હણનાર જીવાની આમતમાં પ્રશ્નો પૂછીને કરી પૂછ્યું કે પુરુષાદિને હણનારા જીવો કાના વૈરથી બધાય છે ! તથા પૃથ્વીકાયિક વા વગેરે પૃથ્વીકાયિકાદિને ધાસા^વાસ રૂપે લે અને મૂકે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004513
Book TitlePravachana Kiranavali Pistalisa agam Rahasya
Original Sutra AuthorN/A
AuthorVijaypadmasuri
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1987
Total Pages750
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_related_other_literature
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy