SearchBrowseAboutContactDonate
Page Preview
Page 230
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૧ શ્રી જૈન પ્રવચન કિરણાવલી (૫. શ્રીભગવતીસૂત્રનો પરિચય) શ્રીભગવતીજીના ચેથા શતકના દશમા ઉદ્દેશાના મુદ્દાઓ અહીં પૂછવું છે કે કૃષ્ણ લેશ્યા નીલ લશ્યાને પામીને નલ લેગ્યા રૂપે અને તેના જેવા વર્ણરૂપે પરિણમે? આનો ઉત્તર દેતાં જણાવ્યું કે આની વિસ્તારથી હકીકત પ્રાપનાના ૧૭મા લેશ્યા પદના ૪થા ઉદ્દેશામાં કહી છે. પછી લેશ્યાના પરિણામ, વણ, ગંધ, રસ, શુદ્ધ, અપ્રશસ્ત, સંકિલષ્ટ, ઉષ્ણ, ગતિ, પરિણામ, પ્રદેશ, અવગાહ, વર્ગણા, સ્થાન, અને અહપબહુત્વ દ્વારનું સ્વરૂપ સમજાવીને છેવટે પ્રભુના ઉત્તરથી સંતુષ્ટ થયેલા શ્રીગૌતમના “હે ભગવન! તે એ પ્રમાણે છે. આવાં શ્રદ્ધાગર્ભિત વચનો જણાવ્યાં છે. શ્રીભગવતીજીના ચોથા શતકનો ટૂંક પરિચય પૂરો થયો. શ્રીભગવતીજીના પાંચમા શતકને ટૂંક પરિચય આ પાંચમા શતકના ૧૦ ઉદ્દેશા છે. તેમાં પહેલા ઉદેશામાં સૂર્યને ઉદ્દેશીને પ્રશ્નોત્તર છે. તે ચંપાનગરીમાં પૂછાયા છે. તે જણાવવા માટે વિષયોની સંગ્રહ ગાથામાં જંપ વિ' એમ કહ્યું છે. બીજા ઉદ્દેશામાં વાયુ સંબંધી પ્રશ્નોત્તરે છે. ત્રીજા ઉદ્દેશામાં જાલગ્રંથિકાના ઉદાહરણ ઉપરથી જણાતી બીનાનો નિર્ણય છે. ચેથા ઉદ્દેશામ શબ્દને અંગે પ્રશ્નોત્તરે છે. પાંચમા ઉદ્દેશામાં છઠ્ઠસ્થ સંબંધી હકીકત છે. છઠ્ઠા ઉદ્દેશામાં આયુષ્યના છાપણાની ને વધારેપણાની બીના છે. સાતમા ઉદ્દેશામાં પુદગલોના કંપન સંબઈ રિો છે. આઠમા ઉદ્દેશામાં નિર્ચથી પુત્ર અનગારે પદાર્થો સંબંધી વિચારો કર્યા છે. નવમાં ઉદ્દેશામાં રાજગૃહ નગર સંબંધી વિચારણા કરી છે. દેશમાં ઉદ્દેશામાં ચંદ્રના પ્રશ્નોત્તરે જણાવ્યા છે. તે હકીકત ચંપાનગરીમાં જણાવી છે. શ્રીભગવતીજીના પાંચમા શતકના પહેલા ઉદ્દેશાને રંક પરિચય પૂર્ણભદ્ર ચૈત્યવાળા ઉદ્યાનમાં શ્રીગૌતમસ્વામીજીએ પ્રભુ શ્રી મહાવીરદેવને સૂર્યોદયાદિના પ્રશ્નો અને દિવસ રાત્રિના વિચારોને અંગે પ્રશ્નો પૂછી ઉત્તર મેળવ્યા પછી જબૂદ્વીપના દક્ષિણ અને ઉત્તરાર્ધના વિચાર અને મેરૂના ઉત્તર-દક્ષિણનો વિચાર તથા અઢાર મુહૂર્તને દિવસ, ને બાર મુહૂર્તાની રાતની બીના, તેમજ દિવસ અને રાત્રિના માપમાં વધઘટ કહીને બાર મુહૂર્તનો દિવસ, ને ૧૮ મુહૂર્તની રાત્રિના વિચારો અને વર્ષાઋતુ, હેમંતઋતુ વગેરેના પહેલા સમયનો વિચાર તથા પ્રથમસમયાદિ કાલ સંખ્યા જણાવ્યા છે. અહીં સૂર્ય ઈશાન ખૂણામાં ઊગીને અગ્નિ ખૂણામાં આવે વગેરે સૂર્યની સ્પષ્ટ બીના જણવી મેરૂના દક્ષિણાર્ધમાં ને ઉત્તરાર્ધમાં પહેલે દિવસે રાત્રિનાં મુહૂર્તોના પ્રશ્નોત્તરે કહ્યા છે. પછી દક્ષિણાદિમાં સમય, આવલિકા વગેરેની પ્રથમતાને નિર્ણય કહીને લવણસમુદ્રાદિમાં પણ સમય વગેરેની પ્રથમતાનું વર્ણન કર્યું છે. એ પ્રમાણે આનું ટૂંક રહસ્ય છે, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004513
Book TitlePravachana Kiranavali Pistalisa agam Rahasya
Original Sutra AuthorN/A
AuthorVijaypadmasuri
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1987
Total Pages750
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_related_other_literature
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy