SearchBrowseAboutContactDonate
Page Preview
Page 225
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૬ શ્રીવિજયસૂરીશ્વરકૃત ગણધરે પ્રભુ શ્રી મહાવીરદેવને ચમરેન્દ્રની વૈક્રિયશક્તિને અંગે પ્રશ્નો પૂછડ્યા છે. તેના ઉત્તર મેળવી તેના સામાનિક દેવો, ત્રાયચિંશક દેવ અને લોકપાલ દેવો તથા અગ્રમહિષી સંબંધી પ્રશ્નોત્તરો જણાવ્યા છે. પછી અગ્નિભૂતિ અને વાયુભૂતિ મહેમાંહે સવાલ જવાબ કરતા હતા તે અવસરે શ્રી અગ્નિભૂતિએ કહેલી જે બીના સાંભળી વાયુભૂતિને સંદેહ થયો તેનો ખુલાસે પ્રભુ શ્રી મહાવીરદેવે કર્યો. તે સાંભળી વાયુભૂતિને ખાત્રી થઈ કે શ્રીઅગ્નિભૂતિનું કહેવું સાચું છે. આ રીતે પોતાની ભૂલ સમજનારા શ્રીવાયુભૂતિ ગણધરે શ્રીઅગ્નિભૂતિ ગણધરને ખમાવ્યા. આ બીના સ્પષ્ટ સમજાવી છે. પછી શ્રીમહાવીવને અગ્નિભૂતિએ અને વાયુભૂતિએ અનુક્રમે દક્ષિણેન્દ્ર અને ઉત્તરેન્દ્રના (બલીન્દ્રાદિના) સામાનિકાદિ દેવોની વૈશ્વેિ લબ્ધિના પ્રશ્નો પૂછયા તેમાં સામાનિક દેવના અધિકારે તિબ્બક મુનિને અધિકાર વર્ણવ્યો છે. તેમાં તેની ક્રિયશક્તિને પ્રશ્ન પૂછેલ છે. પછી અગ્નિભૂતિનો વિહાર જણાવ્યો છે. હવે વાયુભૂતિ ઇશાનેદ્ધની શક્તિને અંગે પ્રભુને પૂછે છે, અને કુરૂદત્ત મુનિ પણ વિકવણા સંબંધી પ્રશ્નો પૂછે. છે. તેમાં સનકુમારેન્દ્રાદિની ને તેના સામાનિક દેવાદિની વક્ર શક્તિ સંબંધી પ્રશ્નોત્તર કહ્યા છે. આની પછી જણાવ્યું છે કે પ્રભુ શ્રી મહાવીરદેવ અહીંથી વિહાર કરી રાજગૃહ નગરમાં પધાર્યા. અહીં ઈશાનેન્દ્ર આવ્યા, તેમણે પ્રભુને પ્રદક્ષિણા વંદનાદિ કરી દેવતાઈ ઋદ્ધિ દેખાડી હરી લીધી. આ પ્રસંગે દેવ ઋદ્ધિના પૂછેલા પ્રશ્નનો જવાબ દેતાં પ્રભુએ ફૂટકારી શાળાનું દષ્ટાંત તથા તેવી દેવદ્ધિને પામવાના ઉપાયો જણાવ્યા છે. પછી મૌર્યપુત્ર ગણધર અને તાલી તાપસના અધિકારમાં જણાવ્યું કે, તેણે (તામલી તાપસે) પ્રાણામાં નામની પ્રવ્રજ્યા લીધી હતી ને ઈદ્ર માટે બલિચંચા રાજધાનીમાં દેવે ભેગા મળ્યા. એકમત થઈને તેઓએ અનશનભાવમાં રહેલ તામલી તાપસને પોતાના ઇંદ્ર થવા માટે બહુ આગ્રહભરી વિનંતી કરી, પણ તેમાં તેઓ સકલ નીવડ્યા નહિ. બન્યું એવું કે નિયાણું ન કરવાથી તે ઈશાને થયો. તેથી બલિચંચાના દેવોને તેની ખબર પડતાં તેમણે ક્રોધે ભરાઈ તેના શબ (મડદા)ની અવગણના કરી. તેની ઈશાનેન્દ્રને ખબર પડતાં તેણે કંધે ભરાઈ બલિચંચા તરફ નજર ફેકી, તેથી તે બળવા લાગી. દેવો નાસભાગ કરવા લાગ્યા, હેરાન થયેલા તેમણે ઇશાનેન્દ્રને ખમાવ્યા ને ઉપદ્રવને શાંત કરવા વિનંતી કરી. તેથી તેણે દૃષ્ટિ સંહરી લીધી. પછી ઇશાનેન્દ્રન આયુ તથા મુક્તિ સ્થળની બીના જણાવી કહ્યું કે, દક્ષિણાધના અને ઉત્તરાના ઢો. ભેગા મળે છે ને વાર્તાલાપ કરે છે. પછી સહકાર્યક્રમ જણાવી વિવાદ (ઝઘડા)ના પ્રસંગે સનકુમારેદ્રને યાદ કરતાં તે આવી નીવેડો લાવે છે. (ઝઘડો પતાવી દે છે.) પછી શકના ને ઇશાનેન્દ્રના જુદાં જુદાં વિમાનોની બીના, તે બધાંની ઊંચાઈ, ઇશાનેન્દ્રની પાસે શકનું આગમન (આવવું) વગેરે હકીકત જણાવીને કહ્યું કે શકના ને ઇશાનેન્દ્રના વિવાદનો નિવેડો લાવવાર (ઝઘડાને પતાવનાર) સનતકુમારે છે. તે શ્રમણ વગેરેનું હિત Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004513
Book TitlePravachana Kiranavali Pistalisa agam Rahasya
Original Sutra AuthorN/A
AuthorVijaypadmasuri
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1987
Total Pages750
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_related_other_literature
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy