SearchBrowseAboutContactDonate
Page Preview
Page 223
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૪ શ્રીવિજ્યપદ્ધસૂરીશ્વરકૃત તે જીવે ત્યાં બાર વર્ષ સુધી રહી મરણ પામી પાછો પહેલાં પોતે બનાવેલા તેના તે શરીરમાં ઉપજી ફરી બીજાં બાર વર્ષ સુધી રહે. આ રીતે ચોવીશ વર્ષની યોજના જણાવી કહ્યું કે મનુષ્યના અને તિર્યંચ પંચેન્દ્રિય જીવના બીજમાં બીજાપણું જઘન્ય અંતમુહૂર્ત ને ઉત્કૃષ્ટ બાર મુહૂર્ત સુધી ટકે. એક જીવ એક ભવમાં એક બે ત્રણને કે બસેંથી નવસૅનો પુત્ર થાય, તથા એક જીવને એક ભવમાં જઘન્ય એક બે ત્રણ, ઉત્કૃષ્ટથી બેથી નવ લાખ પુત્રો થાય. આ હકીકત આશ્ચર્યજનક લાગે પણ ટીકાકારે ટીકામાં વિસ્તારથી સપષ્ટ સમજાવતાં કારણ પણ જણાવ્યું છે. પછી મૈથુનજન્ય અસં. યમની બીના જણાવી આ પ્રસ્તાવ પૂર્ણ કરતાં શ્રી મહાવીરદેવનો વિહાર જણાવ્યો છે. પછી તુંગિકા નગરીના ને ત્યાં રહેતા શ્રાવકોના વર્ણનમાં કહ્યું કે એક વખત શ્રીપાથનાથના સ્થવિર શિખ્યો અહીં પધાર્યા, તે ખબર શ્રાવકને પડી ત્યારે વિચાર કરી ત્યાં જઈ તેમને ધર્મોપદેશ સાંભળી જે પ્રશ્નો પૂછી જવાબ મેળવ્યા તેનું ટૂંક રહસ્ય એ છે કે, સંયમ અને તપનું ફળ અનાશ્રવ એટલે સંવભાવ છે વગેરે બીના કહી દેવ થવાની બાબતમાં થયેલી પ્રશ્નોત્તરી ટૂંકામાં જણાવી કહ્યું છે કે શ્રાવકે સ્વસ્થાને ગયા ને સ્થવિરોએ વિહાર કર્યો. પછી શ્રીગૌતમસ્વામીના તપ, પારણું, ભિક્ષા લેવા જવું, ત્યાં સ્થવિરેની વાત સાંભળી તેમને થયેલ આશ્ચર્ય, પ્રભુએ તેનો કરેલે ખુલાસો જણાવીને ૧ સાધુભક્તિનું ફલ–શાસ્ત્રોનું સાંભળવું તેનું કલ-ગાન, ૩. તેનું ફલ-વિજ્ઞાન, ૪. તેનું ફલ-પ્રત્યાખ્યાન, ૫, તેનું કુલ-સંયમ, ૬. સંયમનું ફલ-અનાશ્રવ એટલે આશ્રવનું રોકાણુ, ૭. તેનું ફળ-તપ, ૮. તેનું ફળ-વ્યવદાન (નિર્જર), ૯. તેનું ફળ-અક્રિયા, ૧૦. તેનું ફળ-સિદ્ધિ જણાવી છેવટે રાજગૃહના કુંડની બાબતમાં અન્ય મત કહી પ્રભુએ સાચી હકીકત સ્પષ્ટ જણાવી છે. ૬. છ ઉદ્દેશામાં ભાષાના અવધારિણી આદિ સ્વરૂપનું વર્ણન કરતાં વિસ્તાર માટે પ્રજ્ઞાપના સૂત્રના ભાષા પદની ભલામણ કરી છે. ૭. સાતમા ઉદ્દેશામાં દેવના ભેદ, સ્થાન (સ્થાન પદની ભલામણ), સ્વર્ગોના આધાર, વિમાનોની જાડાઈ, ઊંચાઈ, આકાર વગેરેનું વર્ણન કરતાં જીવાભિગમના વૈમાનિક ઉદ્દેશાની વિસ્તાર માટે ભલામણ કરી છે. ૮. આઠમા ઉદ્દેશામાં કહ્યું કે જંબુદ્વિીપના મેરૂની દક્ષિણે ચમરેન્દ્રની સુધર્મા સભા છે, પછી અરૂણવરદ્વીપ, તેની વેદિકાનો છેડ, તિગિછ ફૂટ નામના ઉત્પાત પર્વતનું પ્રમાણ, ગૌસ્તુભ નામે આવાસ પર્વતની સરખાઈ, પદ્મવરદિકા, વનખંડ, તે બેની બીના કહીને પ્રાસાદાવત સકના પ્રમાણનું વર્ણન કરી મણિપીઠિકા, અરૂણોદય સમુદ્ર, ચમચંચા રાજધાનીનો ક્રિલે, સુધર્મા સભા, જિનગૃહ, ઉપપાત સભા, હદ, અભિષેક, તથા અલંકાર સભાદિનું વર્ણન કરતાં વિજયદેવની ભલામણ કરી, અમરેન્દ્રની ઋદ્ધિ વગેરેનું વર્ણન કર્યું છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004513
Book TitlePravachana Kiranavali Pistalisa agam Rahasya
Original Sutra AuthorN/A
AuthorVijaypadmasuri
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1987
Total Pages750
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_related_other_literature
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy