SearchBrowseAboutContactDonate
Page Preview
Page 219
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૦ શ્રીવિજયપધ્ધસૂરીશ્વરકૃત આહારાદિ કરે છે. ગર્ભમાં બે નાડી હોય છે : ૧. માતજીવ-સહરણી નાડી. ર. પુત્રજીવ-રસહરણી નાડી. આ બે માંહોમાંહે સંબદ્ધ હોય છે. નળીની મારફત માતાએ ખાધેલા ચાવેલા આહારને રસ પુત્રજીવ-રસરણી માં ઊતરે છે. તેને આહાર ગર્ભમાં રહેલો જીવ કરે છે. તથા સંતાનને માતાનાં ત્રણ અંગે હોય. વારસામાં મળેલાં અંગે સંતાન જીવે ત્યાં સુધી રહે. પછી ગર્ભમાં રહેલા કેઈક જીવ જે કારણથી નરકે (પણ) જાય તે કારણ જણાવતાં સંજ્ઞી જીવની હકીકત કહી છે. પછી જણાવ્યું છે કે ગર્ભમાં રહેલો કોઈક સંજ્ઞી જીવ લબ્ધિના પ્રભાવે શત્રુની સાથે લડાઈ કરે છે ને કેઈ તે (ગર્ભમાં રહેલો) છવ દેવ પણ થાય છે. ને તે કઈ સંસી જીવ ગર્ભમાં રહ્યા છતાં ધાર્મિક વચન સાંભળે છે. તથા ગર્ભમાં જીવ ચત્તો કે પડખાભેર હોય, કેઈ જીવ કેરીની માફક કુજ હોય, ઊભે હોય, બેઠો હોય, કે સૂતો હોય, તે જીવ માતાના સુખે સુખી, ને માતાના દુ:ખે દુ:ખી હોય, અંતે જણાવ્યું છે કે પ્રાવકાલે પહેલાં માથાથી કે પગથી નીકળે, તે જીવ જીવતો રહે; પણ જે જીવ આડો થઈને ગર્ભમાંથી નીકળે તે મરણ પામે અથવા કકુપો થાય. ૮. આઠમાં ઉદ્દેશામાં એકાંત બાલન અને બાલપંડિતને તથા અંતક્રિયાનો વિચાર જણાવ્યો છે. એટલે એકાંત બાલ જીવ ચાર ગતિમાંથી કઈ પણ ગતિનું આયુષ્ય બાંધે, બાલપંડિત જીવ દેશવિરતિના પ્રતાપે દેવાયુ બાંધે તથા એકાંત પંડિત મનુષ્ય મોક્ષે જાય અથવા દેવાયુષ્ય જ બાંધે. પછી હરણને મારનાર પુરુષને લાગતી ક્રિયાનું ને પાંચે ક્રિયાનું સ્વરૂપે કહી ઘાસને બાળનાર પુરુષને ને ધનુર્ધારી પુરુષને લાગતી ક્રિયા તથા મરાતા હરિણની સાથે વૈર બંધાવવાનો વિચાર જણાવીને કહ્યું કે પુરુષને મારનારે પુરુષ મરાતા પુરુષના વૈરથી બંધાયેલો છે, ને તે ૬ મહિનાની અંદર મરે તો તેને કાયકી વગેરે પાંચે ક્રિયાને લગતો કર્મબંધ થાય, ને છે મહિના પછી મરે તે પહેલી ચાર ક્રિયાને લાગવાથી થતો કમબંધ કરે. તથા બલ શસ્ત્ર વગેરેની અપેક્ષાએ બે પુરુષો સરખા હોવા છતાં એક પુરુષ તે ને એક પુરુષ હારે તેનું કારણ સમજાવીને લબ્ધવીર્યનું ને કરણવીર્યનું સ્વરૂપ વણવતાં ચોવીશે દંડકના જીવોને અંગે ચાલુ હકીકત જણાવી છે, તથા નવમા ઉદ્દેશામાં ટૂંકામાં રહસ્ય એ કહ્યું છે કે હિંસાદિથી જીવ ભારેકમી" બને, ને અહિંસાદિથી જીવ હલકમી થાય, પછી નિર્ગથે સાધુનાં ૪ પ્રશસ્ત વાનાં ગુણ) જણાવી કહ્યું કે અવકાશાંતર અને સાતમો તનવાત અનુક્રમે અગુરુલઘુ ને ગુરુલઘુ છે વગેરે. અહીં આ પ્રસંગને અનુસરીને જરૂરી બીજા પ્રશ્નોત્તર વર્ણવીને કહ્યું કે ક્રોધરહિતપણું વગેરે ગુણે નિર્ચથને શોભાવનારા છે. તથા કક્ષાનો ક્ષય કરીને સંવૃત બનેલા સાધુ અથવા પહેલા બહુ મોહવાળી સ્થિતિમાં રહીને સંવૃત બનેલા સાધુ કર્મોને ખપાવી સિદ્ધ થાય. પછી આયુષ્યની બાબ. તમાં બીજાઓ કહે છે કે “એક જીવ એક સમયે બે આયુષ્ય બાંધે છે, આ વાત એવી છે એમ સ્પષ્ટ સમજાવી પ્રભુએ કહ્યું કે એક જીવ એક સમયે એક આયુષ્યને બાંધે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004513
Book TitlePravachana Kiranavali Pistalisa agam Rahasya
Original Sutra AuthorN/A
AuthorVijaypadmasuri
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1987
Total Pages750
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_related_other_literature
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy