SearchBrowseAboutContactDonate
Page Preview
Page 211
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીવિજયપધસૂરીશ્વરકૃત સ્વરૂપ જાણવા માટે બીજા ગ્રંથને સમજવાની ભલામણ ) કર્યો છે, પછી અસંયત ભવ્ય દ્રવ્યદેવ વગેરે જેવો, સલિંગ છવો તથા વ્યાપન દર્શન (સમ્યકત્વથી ભ્રષ્ટ થયેલા) જીવ મરીને જઘન્યથી અને ઉત્કૃષ્ટથી દેવગતિમાં જાય તો ક્યાં સુધી જઈ શકે? આનો ઉત્તર સમજાવી નારકાદિ ના અસંગી આયુષ્યનું પ્રમાણ વગેરે બીના વિસ્તારથી સમજાવી છે, શ્રીભગવતીસૂત્રના પહેલા શતકના ત્રીજા ઉદ્દેશાને ટૂંક પરિચય અહીં કાંક્ષામહને વિચાર જણાવી કક્ષામહને ભેગવવાની રીત સમજાવી કહ્યું છે કે શ્રી જિનવચને જ સાચાં છે. પછી કાંક્ષામહને બાંધવાનાં કારણે (પ્રમાદ, યોગ, વીર્ય, શરીર, જીવ) કહીને જણાવ્યું છે કે ઉત્થાનાદિથી અનુદીર્ણ કર્મોના ઉદીરણા વગેરે થાય છે. તથા નારકાદિ જીવોને અને પૃથ્વીકાયાદિ છેવોને તક વગેરે સંભવતા નથી, તો પણ તેઓ કાંક્ષામહ કર્મને ભગવે છે તેમજ નિર્ચ કક્ષામેહ કર્મને ભોગવે છે. આ હકીકત તથા પ્રસંગે બીજી પણ જરૂરી બીના ટીકાકારે વિસ્તારથી સમજાવી છે. શ્રી ભગવતીજીના પહેલા શતકના શરૂઆતના ત્રણ ઉદ્દેશામાં જણાવેલી હકીકતોને અંગે મુખ્ય મુખ્ય મુદ્દાઓ અનુક્રમે આ રીતે સમજવા, શ્રીભગવતીસૂત્રના પહેલા શતકના પહેલા ઉદ્દેશાના મુદ્દાઓ ૧. મંગલાચરણ કરી, ૨, વ્યાખ્યા પ્રાપ્ત શબ્દની વ્યાખ્યા જણાવી છે. પછી અરિહંતાદિ પાંચને નમસ્કાર કરવાની બાબતમાં શિષે પૂછેલા સવાલનો જવાબ દેતાં અરિહંત વગેરેને અલગ નમસ્કાર ન કરવાનું પણ કારણ અને શ્રીકૃષભદેવ વગેરેનું અલગ અલગ નામ લઈને નમસ્કાર ન કરવાનું પણ કારણ દર્શાવતાં ફરમાવ્યું છે કે તેમના અલગ અલગ નામ લઈને નમસ્કાર કરવાનું બની શકે જ નહિ, આઠે કર્મથી રહિત સિદ્ધ છે ને અરિહંતને ૪ અઘાતી કર્મો ખપાવવાના બાકી હોવાથી સિદ્ધને નમસ્કાર કર્યા પછી અરિહંતને નમસ્કાર કરવો ઉચિત છે, છતાં પહેલાં અરિહંતોને નમસ્કાર કરવાનું શું કારણ? આનું કારણ સમજાવીને કહ્યું છે કે અરિહંત એ દેવાધિદેવ હોવાથી આચાર્યની જેવા પરતંત્ર નથી. તેથી તેઓ કેવલજ્ઞાની સ્વતંત્રપણે સિદ્ધ વગેરેના સ્વરૂપને સમજાવી તેમની આરાધના કરવાનું ફરમાવે છે. આચાર્ય ભગવંત તેવા સ્વતંત્ર નથી, કારણ કે તેઓ છzસ્થ છે, માટે અરિહંતના કહ્યા મુજબ જ સિદ્ધાદિના સ્વરૂપાદિને જણાવતા હોવાથી અરિહંતની પહેલાં તેમને નમસ્કાર કરે વ્યાજબી નથી, જે કેવલજ્ઞાની હોય, તે જ સ્વતંત્ર ઉપદેશક થઈ શકે. આ હકીકત વિસ્તારથી સમજાવીને શ્રુતજ્ઞાનની પ્રધાનતા સાબિત કરી બ્રાહ્મીલિપિને નમસ્કાર કરવાનો મુદ્દો સમજાવ્યો છે. પછી આ ભગવતીસૂત્ર છે કે પોતે જ મંગલરૂપ છે, છતાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004513
Book TitlePravachana Kiranavali Pistalisa agam Rahasya
Original Sutra AuthorN/A
AuthorVijaypadmasuri
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1987
Total Pages750
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_related_other_literature
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy