SearchBrowseAboutContactDonate
Page Preview
Page 210
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી જૈન પ્રવચન કિરણાલી (૫. શ્રી ભગવતીસૂત્રને પરિચય) ૧૬૧ સંગ્રહગાથા કહી છે. પછી શ્રુતજ્ઞાનને નમસ્કાર કરી અનુક્રમે રાજગૃહ, ગુણશીલ ચિત્ય, શ્રેણિક રાજા અને તેની ચેલણ રાણુની બીના ટૂંકામાં જણાવી શ્રીવીરપ્રભુના સમવસરણ સુધીનું વર્ણન કર્યું છે. અહીં શ્રોતાઓ માંહમાંહે વાતચીત કરીને પિતાના ઘેરથી નીકળી પ્રભુ શ્રી મહાવીરદેવની પાસે આવી પ્રદક્ષિણ વંદનાદિ વિધિ જાળવી - ધર્મદેશના સાંભળી હર્ષથી અનુમોદના કરી અવસ્થાને ગયા, ત્યાં સુધીની બીના વિસ્તારથી કહી છે. દેશનાનું સ્વરૂપ સમજવા માટે ઓપપાકિસૂત્રની ભલામણ કરી છે, તે વ્યાજબી છે. કારણ કે ત્યાં પ્રભુએ આપેલી દેશનેની હકીકત વિસ્તારથી જણાવી છે. પછી યથાર્થ સાધુતાને દર્શાવનારું શ્રીગૌતમસ્વામીનું વર્ણન કરી “રસ્ટને વસ્ત્રા વગેરે પદાર્થોને લક્ષ્યમાં રાખીને શ્રીગૌતમસ્વામી મહારાજે પ્રભુ શ્રી મહાવીરદેવને ૯ પ્રશ્નો પૂછ્યા, તે બધા પ્રશ્નોના અનુક્રમે ઉત્તર દેતાં રત્ન (જે ચાલતું હોય) તે સિત (અમુક અંશે ચાર્લ્સ) કહેવાય વગેરે હકીકતને વિસ્તારથી સમજાવી છે. પછી રાત્રિના એકાઈને અંગે અને અનેકાર્થને અંગે પ્રશ્નો તથા તે સર્વેના ઉત્તરે વિસ્તારથી સમજાવ્યા છે. પછી નારકીના જીવોને ઉદ્દેશીને તેમની સ્થિતિ, ઉછૂવાસ, આહાર વગેરે (૩૯ દ્વારો)નું સ્વરૂપ સમજાવી પહેલા ખાધેલા પુદ્ગલેના ચય વગેરેનું વર્ણન કરતાં પુલનાં ચયન-ઉપચયન અને ઉદીરણ-વેદન તથા નિર્જરણ-ઉદ્વર્તન તેમજ સંકમ, નિધત્ત અને નિકાચનાને અંગે પૂછેલા જરૂરી પ્રશ્નોનું સ્વરૂપ કહ્યું છે. પછી તૈજસ કામણનાં ગ્રહણ-ઉદીરણ અને વેદન તથા નિર્જરાને અંગે બે પ્રશ્નો અને તેના ઉત્તરે જણાવી ચલિત કમબંધ અને અચલિત કર્મબંધ વગેરેની બીના કહી છે. પછી નારકાદિના દંડકમાં સ્થિતિની અને આહારની બીના જણાવી આત્મારભાદિનું સ્વરૂપ સમજાવતાં કહ્યું કે જે અપ્રમત્ત હોય તે અનારંભ એટલે આરંભરહિત હોય એમ સમજવું. પછી ઈહિભાવિક જ્ઞાનાદિના અને પરભવિક જ્ઞાનાદિના તથા ઉભયભવિક જ્ઞાનાદિના પ્રશ્નોત્તર જણાવી ફરમાવ્યું કે અસંવૃત (સંવરભાવને નહિ સાધનારા) છ અસિદ્ધિ (ભવભ્રમણ) રૂપ ફલને પામે છે, ને સંવૃત (સંવર માર્ગના સાધક) છ મુકિતના અવ્યાબાધ સુખ પામે છે. તથા અસંવૃત જીવોમાંના કેટલાએક છે અકામનિર્જરાના પ્રતાપે દેવપણું પણ પામે છે, શ્રીભગવતીસૂત્રના પહેલા શતકના બીજા ઉદ્દેશાને રંક પરિચય અહીં સંસારી જીવે પોતે બાંધેલા અશાતા વેદનીય કર્મને કઈ રીતે કયારે ભોગવે અને કયારે ન ભેગવે, તે હકીકત સમજાવી નારકાદિ ના આહાર, શરીર તથા ઉચ્છવાસ-નિ:શ્વાસ તેમજ કર્મની બીના કહી તેમના શરીરના વર્ણ, લેશ્યા તથા વેદના તેમજ ક્રિયાનું વર્ણન કરી તેમના આયુષ્યની સમાનતા વગેરેનું વર્ણન કરતાં લેશ્યાનું વિસ્તારથી સ્વરૂપ જાણવા માટે શ્રી પ્રજ્ઞાપના સૂત્રના લેશ્યાપદને સમજવાની ભલામણ કરી છે. પછી નારકાદિ છવોના શૂન્ય કાલાદિનું વર્ણન કરી અંતક્રિયાને અતિદેશ (તેનું વિસ્તારથી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004513
Book TitlePravachana Kiranavali Pistalisa agam Rahasya
Original Sutra AuthorN/A
AuthorVijaypadmasuri
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1987
Total Pages750
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_related_other_literature
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy