SearchBrowseAboutContactDonate
Page Preview
Page 209
Loading...
Download File
Download File
Page Text
________________ o શ્રીવિજયપધસૂરીશ્વરત લીંપણ કરવા જેવી જ ગણાય. એ રહસ્ય આમાંથી સમજવાનું છે. તેમજ ઊના પાણીના કુંડની બીના બીજા શતકના પાંચમા ઉદેશામાં જણાવી છે. તે ઉષ્ણુ યોનિ વાળા અપકાય જીવની વિશેષતાથી તે કુંડાદિનું પાણી કાયમ ગરમ જ રહે છે, એ રહસ્ય જણાવે છે. અને એ જ બીજા શતકના પહેલા ઉદેશામાં વેદ વગેરે નામો પણ જણાવ્યાં છે. તથા પાંચમા શતકના ૩૩ મા ઉદેશામાં સ્વદેશની ને પરદેશની દાસીઓનાં નામ કહ્યાં છે. તેવાં જ નામે નવમા શતકના ૩૩મા ઉદેશામાં પણ કહ્યા છે. દેવાધિદેવ, દ્રવ્યદેવ, નરદેવ, ધર્મદેવ અને ભાવદેવ, એમ ૫ પ્રકારના દેવનું અને સૂવું સારું કે જાગવું સારું વગેરે પ્રશ્નોનું તથા બુદ્ધજાગરિકા વગેરેનું પણ વર્ણન બહુ તાત્વિક બોધને કરાવનારું છે. વળી સંયતને કે અસંયતને નિર્દોષ કે સદોષ આહારાદિ દેતાં કેવા કેવા લાભ થાય તે બીના ટીકાકારે લુબ્ધક શ્રાવકાદિનાં દૃષ્ટાંતો, યુક્તિઓ, અન્ય શાસ્ત્રોના સાક્ષી પાઠ વગેરે આપીને યથાર્થ સમજાવી છે. તથા કષાય કરવાથી ભેગવવા પડતા આકરા વિપાકે, નિગોદ, બંધ અને પુદગલોની બહુજ સૂક્ષ્મ બુદ્ધિવાળા જીવોને સમજાય તેવી હકીકત નિગોદ છત્રીશી, બંધ છત્રીશી, પુદગલ છત્રીશીની વ્યાખ્યા સાથે આપીને સ્પષ્ટ સમજાવી છે, તેમજ તંગિયાનગરીને શ્રાવકેનું ને મંડૂક વગેરે શ્રાવકેનું વર્ણન પણ અપૂર્વ તાવિક બોધ આપે છે. સુનક્ષત્ર મુનિ તથા સર્વાનુભૂતિ મુનિનું વર્ણન અને ચમરેન્દ્રના ઉત્પાદાદિનું વર્ણન પણ દેવ-ગુરુ-ભક્તિ આદિ ગુણોને અપૂર્વ બેધ આપે છે. આ રીતે આ શ્રી ભગવતીસૂત્રમાં ચારે અનુગેનું વર્ણન કર્યું છે. તેને સાંભળનારા અને ભણનારા ભવ્ય છે ચારે અનુગાના જાણકાર બની પુદગલરમણતા વગેરે દોષોને દૂર કરી નિજગુણરમણતા, કર્મનિર્જરા વગેરે લાભ પામી મોક્ષમાર્ગને સાધી મુક્તિનાં અવ્યાબાધ સુખ જરૂર પામે છે. શ્રીભગવતીસૂત્રને સાર પૂરો થયો. સર્વાનુયોગમય પંચમાંગ શ્રીભગવતીજી સૂત્રનો ટૂંક પરિચય; તેમાં પહેલા શતકના પહેલા ઉદ્દેશાનો ટૂંક પરિચય અહીં સૂત્રો ૮૬૯ અને સૂત્રગાથાઓ ૧૧૪ છે, આ પાંચમાં અંગની ટીકા શરૂ કરતાં પહેલાં શ્રીઅભયદેવસૂરિ મહારાજ જણાવે છે કે આ ભગવતીસૂત્રની પ્રાચીન ટીકા અને ચૂણિ તથા શ્રી જીવાભિગમસૂત્ર વગેરે શાસ્ત્રોની વૃત્તિઓના જરૂરી ભાગ યોગ્ય સ્થલે જોડીને હું નવી ટીકા બનાવીશ. પછી આ સૂત્રને જયકુંજર (લડાઈમાં વિજય પમાડનાર હાથી)ની ઉપમા દઈને ઉપમેય (જેમાં ઉપમા ઘટાડવી હોય તે) શ્રીવ્યાખ્યાપ્રજ્ઞતનું યથાર્થ સ્વરૂપ જણાવી શબ્દાર્થ કહ્યો છે. પછી પંચ પરમેષ્ઠીમય પંચમંગલ નમસ્કારમંત્રને, અને બ્રાહ્મીલિપિને નમસ્કાર કરી પહેલા શતકના ૧૦ ઉદ્દેશાની Jain Education International For Private & Personal Use Only WWW.jainelibrary.org
SR No.004513
Book TitlePravachana Kiranavali Pistalisa agam Rahasya
Original Sutra AuthorN/A
AuthorVijaypadmasuri
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1987
Total Pages750
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_related_other_literature
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy