SearchBrowseAboutContactDonate
Page Preview
Page 206
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી જૈન પ્રવચન કિરણાવલી (૫. શ્રીભગવતીસૂત્રનો પરિચય) ૧૫૭ વિકસાવનાર છે. તથા અહીં શ્રી ભગવતીસૂત્રમાં અનુટુપ છંદરૂપ સંખ્યાતા લોકો છે, બત્રીશ અક્ષર એક અનુષ્યપ શ્લોકમાં આવે છે. તેમાં ૪ પાદ હોય છે, આઠ અક્ષરનો એક પાદ એટલે વ્હેકનો ચોથો ભાગ થાય. આ રીતે ગણતાં આના સંખ્યાતા લોકે કહ્યા તે બે રીતે જણાવેલી પદસંખ્યાને વિચાર કરતાં ઘટી શકે છે. સખ્યાતી વાચનાઓ છે. શિષ્યોને સૂત્રાર્થ ભણાવવા તે વાચના કહેવાય, તે સંખ્યાતી છે. કારણ કે ગણત્રીની વાચનાઓથી આ સૂત્ર સંપૂર્ણ ભણાવી શકાય છે, અથવા અવસર્પિણી અને ઉત્સર્પિણીકાલની અપેક્ષાએ પણ સંખ્યાતી વાચનાઓ ઘટી શકે છે. તેમજ ઉપક્રમ વગેરે અનુગના દ્વારે પણ સંખ્યાતા જ છે, કારણ કે અધયયને જ સંખ્યાત છે તે પ્રાપકનાં વચનો દ્વારા કહી શકાય છે. તથા સંખ્યાતી પ્રતિપત્તીએ એટલે મતાંતરે છે. સંખ્યાતા વિષ્ટ છે. વેષ્ટક એક જાતના છંદનું નામ છે, વેદ શબ્દના ત્રણ અર્થો કહ્યા છે. તે આ પ્રમાણે-૧, એક જાતનો છંદ, ર, વેઝન (લપેટ), ૩, એક વસ્તુ વિષયક (એક અધિકારને અનુસરતાં) વાક્યોનો સમુદાય. છંદવિશેષરૂપ અર્થ શ્રીનંદીસૂત્રની ચૂર્ણિમાં અને તેને અનુસરીને બનાવેલી શ્રીહરિભસૂરિકૃત ટીકામાં પણ જણાવ્યું છે. સમવાચાંગની વૃત્તિમાં “પાર્થ પ્રતિવર્ડ્સ વન સંક્રસ્ટિ” એટલે એક અર્થને અનુસરતાં જે શૃંખલાબદ્ધ વાક્યો તે વેષ્ટક કહેવાય. તેમજ જ્ઞાતાસૂત્રના ૧૬મા અધ્યયનની ટીકામાં રરરમા પાનામાં વેદકને અર્થ “એક વસ્તુ વિષયકપદપદ્ધતિ અને ર૩૦મા પાનામાં વર્ણનાર્થ વાકયપદ્ધતિ ? એમ કહ્યું છે. કેટલાક વિદ્વાને માને છે કે “આ વેષ્ટક છંદ આ ઈદને પુરોગામી છંદ છે. અને વેદનું માપ વિવિધ પ્રકારનું હોવાથી તેમાં કડીરૂપ વિભાગ હોતો નથી, માટે લયબદ્ધ ગદ્ય સ્વરૂપ આ વેષ્ટક છે. આવા સંખ્યાતા કે આ શ્રીભગવતીજીમાં હતા, તેમજ નિક્ષેપ નિર્યુક્તિ વગેરે નિયુક્તિઓ પણ અહીં સંખ્યાતી છે. સૂત્રના વાગ્યાર્થની વિશિષ્ટ જે યોજના તે નિર્યુક્તિ કહેવાય. બાકીનાં અધ્યયનની ને ઉદ્દેશાની તથા શતકેની તેમજ વ્યાખ્યાપ્રાપ્તિના દશ અની અને અગ્નિભૂત વગેરે પ્રક્ષકારોની બીના સ્પષ્ટ સમજાય એવી છે. તથા અહીં પ્રભુ શ્રી મહાવીર દેવના શ્રમણ જીવનના અપૂર્વ બેધદાયક જુદી જુદી જાતના પ્રસંગે વધારે પ્રમાણમાં જણાવ્યા છે. એ સર્વેનું રહસ્ય વિચારતાં આત્મિક ગુણે જરૂર નિર્મલ બને છે. કર્મોની સાથે નિશ્ચલપણે સ્પર્ધા કરનાર પ્રભુ મહાવીરદેવની પરોપકાર રસિકતા, ગભરાયેલા આત્માને આશ્વાસન દેનારી અપૂર્વ દેશના, વ્યક્તિને ઓળખીને તેના પ્રશ્નને અનુસરીને જવાબ દેવાની ભવ્ય પ્રણાલિકા, ક્રોધી અને અનુચિત વચને કહેનારા જીવોની ઉપર પણ અપૂર્વ દયા, તેને તારવાની તીવ્ર લાગણી, સમભાવ, સહનશીલતા વગેરે ગુણે આદરવા લાયક છે, એમ તે તે પ્રસંગમાંથી જાણી શકાય છે. તથા શ્રીષભદત્ત બ્રાહ્મણ અને દેવાનંદા બ્રાહ્મણ પ્રભુ શ્રી મહાવીરદેવની પાસે આવ્યા, વંદન કરીને દેવાનંદા વધતા પુત્રસ્નેહથી સ્થિર નજરે જોતાં તેમને પાને (સ્તનમાંથી દૂધનું Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004513
Book TitlePravachana Kiranavali Pistalisa agam Rahasya
Original Sutra AuthorN/A
AuthorVijaypadmasuri
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1987
Total Pages750
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_related_other_literature
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy