SearchBrowseAboutContactDonate
Page Preview
Page 207
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૮ શ્રીવિજયપધસૂરીશ્વરકૃત કરવું) ચડયો. આ પ્રસંગ જોઈને પૂછનાર શ્રીગૌતમ ગણધરને પ્રભુ શ્રી મહાવીરદેવે ખુલાસો કર્યો કે હે ગૌતમ ! એ મારી પૂર્વ માતા છે. હું પહેલાં દેવલોકથી ચવીને એની કુક્ષિમાં નીચગાત્રના ઉદયથી ૮૨ દિવસ સુધી રહ્યો હતે. ૮૩મા દિવસની રાત્રિએ હરિસેગમેલી દેવની મારફત હું ત્રિશલાની કુક્ષિમાં મુકાયે. ત્યાં મારો જન્મ થયે, તેથી મારી માતા ત્રિશલારાણી કહેવાય છે. મને જોઈને પુત્રસ્નેહ વધવાથી દેવાનંદા મને સ્થિર નજરે જોઈ રહી, ને તેને પાને ચડ્યો. પ્રભુ શ્રી મહાવીરની દેશના સાંભળી પ્રતિબંધ પામેલા તે બંને પ્રભુના હાથે દીક્ષા લઈ તેની નિર્મલ આરાધના કરી ગયા. તથા પૂર્વ ભવના શુભ સંસ્કારોને ધારણ કરનાર અતિમુક્તકુમાર શ્રીગૌતમસ્વામીજીને દેખીને રાજી થાય છે. તેમની સાથે વિનયથી વાતચીત કરે છે. પ્રભુની પાસે આવી દીક્ષા લઈ આરોધે છે. બાલપણાની ચપળતાથી કરેલી સચિત્ત જલની વિરાધનાને દોષ પ્રભુનાં વચનથી જાણી તે દોષની શુદ્ધિને માટે ઇરિયાવહી પ્રતિક્રમતાં કાયોત્સર્ગમાં શુભ ભાવના ભાવી કેવલજ્ઞાની થઈ મોક્ષે ગયા. આ બીના “વૃદ્ધાવસ્થામાં ત્યાગધર્મ સ્વીકારે જોઈએ આવી માન્યતા વ્યાજબી છે જ નહિ એમ સાબિત કરે છે. સૌ કોઈ જાણે જ છે કે ઘડપણમાં દયાજનક પરિસ્થિતિ હોય છે. શરીરની ક્ષીણતા વધે છે પણ આશા ઘટતી નથી. દાંતનું પડવું, લાકડીના ટેકે ચાલવું, પરાધીનતા વગેરે પણ નજરે નજર દેખાય છે. માટે જ જૈનદર્શન ફરમાવે છે કે “જે ટાઈમે દીક્ષાની ભાવના થાય, તે જ ટાઈમે તે સિંહની જેવા શૂરવીર થઈને તેવી જ રીતે પાલીને મુક્તિના સુખ પામવા.” ગુરુમહારાજ દીક્ષાનો વિચાર જણાવનાર ભવ્ય જીવોને અનુમોદના કરતાં એ જ ટૂંકામાં જણાવે છે કે, “જ્ઞાસુવર્ણ વાળુષિા ! મા પરિવંધે દુ” એટલે હે પુણ્યશાલી ભવ્ય જીવ! જેમ તને સુખ ઉપજે તેમ કર, તેમાં વિલંબ (ઢીલ) કરીશ નહિ, માટે જ બીજાઓએ પણ સ્વાર્થની ખાતર પણ કહ્યું છે. કે જે દિવસે વૈરાગ્ય થાય, તે જ દિવસે પ્રત્રજ્યા (ત્યાગધર્મ) સ્વીકારવી, એમ તેમના જ ગ્રંથમાં કહેલાં “ચન વિવેત તદ્દન પ્રત” વગેરે વાકયોનું રહસ્ય વિચારતાં જણાય છે. શંકરાચાર્યે નાની ઉંમરમાં સંન્યાસ સ્વીકાર્યો છે. આથી પણ જેના દર્શનની માન્યતા વ્યાજબી કરે છે. ત્યાગધર્મની સાધનાના પહેલા પગથિયા જેવું સામાયિક છે, તેની પણ યથાર્થ કીંમત આંકનારા શ્રીગુરુમહારાજ સામાયિક પારનાર ભવ્ય જીવ જ્યારે પારવાને આદેશ માગે છે, ત્યારે એ જ કહે છે કે “gવ છે એટલે હે ભવ્ય જીવ! ફરી પણ આ સામાયિક કરવું, અને બીજા આદેશની અંતે પણ કહે છે કે-“બાપા = મોત્તવો' સામાયિક કરવું, એ તમારે હંમેશાં વારંવાર કરવાનો આચાર છે, તેને કરવાનું ચાલુ રાખજે, પણ મૂકી દેશે નહિ. વળી ખરાબ નિમિત્તોના સંસર્ગથી શુભ ભાવ ક્ષણ વારમાં પલટાઈ જાય છે. માટે જ પ્રભુ શ્રી મહાવીર બાલક છતાં પણ યોગ્ય જાણીને અતિમુકત કુમારને દીક્ષા આપી. આ બાલમુનિનું Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004513
Book TitlePravachana Kiranavali Pistalisa agam Rahasya
Original Sutra AuthorN/A
AuthorVijaypadmasuri
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1987
Total Pages750
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_related_other_literature
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy