SearchBrowseAboutContactDonate
Page Preview
Page 201
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૨ શ્રીવિજ્યપધસૂરીશ્વરકૃત सरिसवमासकुलत्था, तामलितववण्णणं च देसाई । सुत्तत्ताइयपण्हा, कहिया बुद्धाइजागरिय। ।। ४३ ।। दाणकसायाइफलं, निगोय सावग्ग मुणो सवृत्तता ॥ चमरि दाइचरित्तं, पुग्गलबंधाइनत्ताई ।। ४४ ॥ अणुओगचउक्कफलं, नियगणरमणाइविविहबोहदयं ।।। संखेवा पण्णत्त, वियाहपत्तिणिस्संदं ॥ ४५ ।। શબ્દાર્થ – હવે શ્રીપ્રવચન કિરણાવલી ગ્રંથના છ પ્રકાશમાં સર્વાનુગમય પંચમાંગ શ્રીભગવતીસૂત્ર (વ્યાખ્યાપ્રજ્ઞપ્તિસૂત્ર), પહેલાં તેને જ્યાં જણાવે ઉચિત લાગે ત્યાં, સાર પણ ગોઠવીને પરિચય શ્રીનંદીસૂત્રાદિનાં વચનો (પાઠ)ને અનુસારે ટૂંકમાં કહીશ. ૩૨. શ્રીસમવાયાંગસૂત્રમાં અને શ્રીનંદીસૂત્રમાં સંક્ષેપથી દ્વાદશાંગી (બાર અંગે)નો સાર કહેવાના પ્રસંગે શ્રીભગવતીસૂત્રનું પણ વૃત્તાંત કહ્યું છે. ૩૩. તે ટૂંકામાં આ પ્રમાણે જાણવું–શ્રીભગવતીસૂત્રમાં સ્વસમયની ને પરસમયની તથા બંને સમયની, તેમજ જીવ અવની ને લેક એલોકના પદાર્થોની બીના કહી છે. તથા જુદી જુદી જાતના અભિલા પદાર્થો કહ્યા છે. તે પદાર્થો વિવિધ પ્રકારના સંશયવાલા દેવ, રાજા, રાજર્ષિ તથા ગણધરાદિ મહાપુરુષાએ પ્રભુ શ્રી મહાવીરદેવને જુદા જુદા સ્થલે જુદા જુદા પ્રસંગે જે જે પ્રશ્નો પૂછથા તે બધા પ્રશ્નોના પ્રભુ શ્રીમહાવીરદેવે આપેલા ઉત્તરોની હકીકતને જણાવનાર છે. તે ઉત્તરે દ્રવ્ય-ગુણ-પર્યાયાદિ પદાર્થોને ને લોક અલોકમાં રહેલા ધર્માસ્તિકાયાદિ પદાર્થોને બોધ કરાવનારા તથા સંસારરૂપી સમુદ્રને પાર પાડવાને સમર્થ મજબૂત છિદ્ધ વિનાના વહાણ જેવા છે. ૩૪-૩૫. વલી તે ઉત્તરે દેવોના સ્વામી ઇદ્રોથી પણ પૂજાયેલા છે એટલે વખણાયેલા છે. ને ભવ્ય જીવોએ હૃદયના ખરા ઉમળકાથી તે બધા ઉત્તરની અનુમોદના કરી છે. તથા તે ઉત્તરે અજ્ઞાન અને પાપકર્મોનો નાશ કરનારા તથા ઈહામતિ-બુદ્ધિને દેનારા અને વધારનારા છે. આ પ્રશ્નો અને ઉત્તર શિષ્યનું ભલુ (કલ્યાણ) કરવાના ઇરાદાથી અનુક્રમે પૂછાયા છે ને દેવાયા છે. આ રીતે શ્રુતજ્ઞાનને અનુસરતા પદાર્થો શ્રીભગવતીસૂત્રમાં કહ્યા છે એમ જાણવું, ૩૬. આ શ્રીવ્યાખ્યાપ્રજ્ઞપ્તિસૂત્રમાં સંખ્યાતા (ગણી શકાય તેવા) કે વગેરે છે. એક શ્રુતસ્કંધ છે. શત (સો ૧૦૦)થી વધારે અધ્યયને હતા, અને દશ હજાર ઉદ્દેશાઓ હતા. ૩૭. આમાં યથાર્થ રહસ્યને સમજાવનારા ૩૬૦૦૦ પ્રશ્નો અને તે તેના ઉત્તરો, ૪૧ શતક અને ર૮૮૦૦૦ પદો કહ્યાં છે. ૩૮. આ ભગવતીસૂત્રનું પ્રાકૃતમાં “વિવાદ quળજી” નામ છે. તેના ૧૦ અર્થો શ્રીઅભયદેવસૂરિકૃત વિદ્યમાન ટીકામાં કહ્યા છે. અહીં શ્રીગૌતમ ગણધરે પૂછેલા પ્રશ્નો ઘણાં છે ને બીજા અગ્નિભૂત વિગેરેના પ્રશ્નો છેડા છે. ૩૯. અહીં પ્રશ્નોને પૂછનારાઓમાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004513
Book TitlePravachana Kiranavali Pistalisa agam Rahasya
Original Sutra AuthorN/A
AuthorVijaypadmasuri
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1987
Total Pages750
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_related_other_literature
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy