SearchBrowseAboutContactDonate
Page Preview
Page 194
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી જૈન પ્રવચન કિરણાવલી (૪, શ્રીસમવાયાંગસૂત્રને પરિચય) ૧૪૫ (૪૫૦) સાડા ચારસોમા સમવાયમાં કહ્યું છે કે-શ્રી અજિતનાથસ્વામી સાડા ચાર ધનુષ ઊંચા હતા, સગર ચક્રવતી પણ સાડા ચારસે ધનુષ ઊંચા હતા. (૫૦૦) પાંચમા સમવાયમાં કહ્યું છે કે વક્ષસ્કાર પર્વતો સીતા અને સીતાદા મહાનદી પાસે તથા ગજદંતાઓ મેરુ પર્વતની પાસે પાંચ પાંચ યોજન - ઊંચા અને પાંચ પાંચસો ગાઉ ઊંડા છે, વક્ષસ્કારે પાંચસો પોજન એક સરખા પહેલા છે. સર્વે વર્ષધર ઉપરના કુટો પાંચસો પાંચસો વજન ઊંચા અને મૂલમાં પાંચસો પાંચસો યોજન વિષ્ક્રભવાલા છે. શ્રી ઋષભદેવ સ્વામી પાંચસો ધનુષ ઊંચા હતા, ભરતકી પણ પાંચસે ધનુષ ઊંચા હતા, સૌમનસ, ગંધમાદન, વિધુપ્રભ અને માલવંત નામના ગજાંત પર્વતો મેરુપર્વતની પાસે પાંચસો પાંચસો યોજન ઊંચા અને પાંચ પાંચસો ગાઉ ઊંડા છે. સર્વે વક્ષસ્કાર ઉપરના હરિ અને હરિસ્સહ એ બે ફૂટને લઈને બાકીના કૂટો પાંચ પાંચ યોજન ઊંચા અને મૂલમાં પાંચ પાંચસો જિન લાંબા પહેલા છે, એક બળકૂટને લઈને બાકીના નંદનવનના કૂટો પાંચસો પાંચ યોજન ઊંચા અને મૂળમાં પાંચ પાંચસો યોજન લાંબા પહોળા છે, સૌધર્મ અને ઈશાન કલ્પમાંનાં વિમાનો પાંચસો પાંચસો યોજન ઊંચા છે. (૬oo) છ મા સમવાયમાં કહ્યું છે કે-સનકુમાર અને માહે કહપનાં વિમાને છસો જન ઊંચા છે, મુહિમવંતના ફૂટની ઉપરના છેડાથી ક્ષુલ્લહિમવંત પર્વતના સમભૂમિતલ સુધી ઇસ યોજનાનું આંતરૂં છે. (સે જન ઊંચે પર્વત ને પાંચસો વજન ઊંચા ફૂટ-બે મલીને છસો જાણવા) એ જ પ્રમાણે શિખરી કૂનું પણ જાણવું. શ્રી પાર્શ્વનાથ પ્રભુને છસો વાદીઓ હતા, અભિચંદ્ર નામના કુલકર છસે ધનુષ ઊંચા હતા, શ્રીવાસુપૂજ્ય સ્વામી છ પુરુષોની સાથે પ્રજિત થયા હતા. (૭૦૦) સાતમા સમવાયમાં કહ્યું છે કે-બ્રહ્મ અને લાંતક કલ્પનાં વિમાને સાતસો યોજન ઊંચા છે, શ્રી મહાવીરસ્વામીને સાતસો કેવલી અને સાતસો વૈક્રિય લબ્ધિવાળા હતા, શ્રીઅરિષ્ટનેમિ ભગવાન કાંઈક ન્યૂન સાત વર્ષ કેવલી પર્યાયને પાલી સિદ્ધ થયા, મહાહિમાવાન કૂટના ઉપરના છેડાથી મહાહિમાવાન વર્ષધર પર્વતના સમભૂમિતળ સુધી સાત જનનું આંતરું છે. એ જ પ્રમાણે રૂપી પર્વત ને તેના કૂનું પણ જાણવું, (૮૦૦) આ મા સમવાયમાં કહ્યું છે કે-મહાશુક્ર અને સહસાર કલ્પનાં વિમાને આઠ યોજન ઊંચાં છે. આ રત્નપ્રભા પૃથ્વીના પહેલા એક હજાર જનના કાંડમાં મધ્યના આઠસો જનને વિષે વાણવ્યંતર દેવોના ભૂમિનગરે રહેલા છે. શ્રી મહાવીરસ્વામીના આસો સાધુઓ અનુત્તર વિમાનમાં ઉત્પન્ન થયા, રત્નપ્રભા પૃથ્વીના સમભૂમિભાગથી આઠસો જન ઊંચે સૂર્ય ગતિ કરે છે. શ્રીઅરિષ્ટનેમિ પ્રભુને આઠસો વાદીઓ હતા, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004513
Book TitlePravachana Kiranavali Pistalisa agam Rahasya
Original Sutra AuthorN/A
AuthorVijaypadmasuri
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1987
Total Pages750
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_related_other_literature
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy